/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ram-mandir-diwali-2023.jpg)
અયોધ્યા રામ મંદિરમાં દિવાળી ઉજવણી
Diwali 2023, Ayodhya temple : આ વખતે અયોધ્યામાં દીપોત્સવના અવસર પર રેકોર્ડ 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. શનિવારના રોજ સરયુ નદીના કિનારે રામ કી પૌડી ખાતે સાતમી વખત પ્રકાશના આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સરયુ નદી વિશ્વનો સૌથી મોટો દીવો અને શ્રદ્ધાના અદ્ભુત દ્રશ્યની સાક્ષી બનવા જઈ રહી છે.
દર વર્ષે લેમ્પ્સની વધતી જતી સંખ્યા ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નવો રેકોર્ડ બની જાય છે. આ વખતે પણ શુક્રવારે ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સની ટીમે અયોધ્યાના સરયૂ તટના તમામ 51 ઘાટની મુલાકાત લીધી હતી અને દીવા ગણ્યા હતા. આ દરમિયાન ટીમ સાથે તેમના સુપરવાઈઝર પણ હાજર હતા.
યોગી આદિત્યનાથ જ્યારથી 2017માં સત્તામાં આવ્યા છે ત્યારથી તેમણે દર વર્ષે સૌથી વધુ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અયોધ્યા વિશ્વનું એકમાત્ર શહેર છે જ્યાં આટલી મોટી સંખ્યામાં દીવા પ્રગટાવવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us