Fengshui Tips Of Paint Colors For Home: વાસ્તુ શાસ્ત્ર જેમ ફેંગશુઇ પણ ઘર કેવી રીતે બનાવવું, ઘરમાં કઇ વસ્તુ રાખવી અને ન રાખવી, ક્યા રંગનો પેઇન્ટ કરવો તેના વિશે માહિતી આપી છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે દરેક રંગની પોતાની વાર્તા અને ઉર્જા હોય છે. દરેક રંગની પોતાની એક વિશેષતા હોય છે.
ફેંગશુઈમાં વાસ્તુની સાથે રંગનું પણ ઘણું મહત્વ છે. ઘર કે ઓફિસથી લઈને ફેક્ટરી સુધી દરેક જગ્યાએ કલર પેઇન્ટનો ઉપયોગ વિચારપૂર્વક કરવામાં આવે છે, કારણ કે રંગને વ્યક્તિની સુખ-સમૃદ્ધિ, શાંતિ, સારો વ્યવસાય, સારી કારકિર્દી, અપાર સફળતા, ધનલાભ તેમજ સારા સ્વાસ્થ્યનું કારક માનવામાં આવે છે. જો કે મોટા ભાગના લોકો એ વાતથી સંપૂર્ણપણે અજાણ હોય છે કે કઈ દીવાલ પર ક્યો પેઇન્ટ કલર કરવો જોઇએ.
ડિઝાઇન બાય મેટાનાસ્થાપક નોમિતા સાહનીએ જણાવ્યું હતું કે, ડિઝાઇનમાં રંગ ભરવાની શક્તિ અને એક એવી લાગણી હોય છે જે આપણે જ્યારે અમુક રંગો તરફ જોઈએ છીએ ત્યારે આપણામાં જાગૃત થાય છે. આવો જાણીએ ઘર કે ઓફિસમાં કયા કયા પેઇન્ટ કલર કરવાનું ટાળવું જોઈએ.
નોમિકા સાહની કહે છે, ‘આપણા જીવન, આધ્યાત્મિક સુખાકારી, આરોગ્ય અને સુખ પર કલરની અસરનો અભ્યાસ ન કરવાથી વિખવાદ કે વૈમનસ્ય થઈ શકે છે. આપણે સંતુલિત કલર કોમ્બિનેશન સાથે સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ, જે આપણા જીવન પર્યાવરણમાં શાંતિ, પ્રેમ, ખુશી અને સંવાદિતા લાવે છે. ’
રંગ આપણા મૂડને વ્યાખ્યાયિત કરી શકે છે અને આપણા મનને શાંતિ આપે છે અથવા તો ઉત્તેજિત પણ કરી શકે છે. એટલું જ નહીં, આ કલર આપણને ઊર્જાવાન અને સજાગ પણ બનાવી શકે છે. રગંમાં પણ સ્મરણશક્તિ રહેલી છે, જે આપણને આપણા બાળપણમાં લઈ જાય છે અને આપણા અર્ધજાગ્રત મનમાં અંકિત કરેલા કેટલાક દશ્ય નકશાની યાદ અપાવે છે. પાંચ રંગો જે તત્વો સાથે સંકળાયેલા છે એટલે કે અગ્નિ, પાણી, ધાતુ અને લાકડું. અગ્નિ (લાલ, નારંગી અને પીળો), પાણી (વાદળી, આસમાન), લાકડું (કથ્થઈ અને છિકણી રંગ) અને ધાતુ (ગ્રે, સફેદ, ચાંદી અને સોનેરી રંગ).
આ કલરનો સાવધાની સાથે ઉપયોગ કરવો
ફેંગશુઇ અનુસર કલરના મતે રંગોનું સંતુલન આ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને સ્થાન પર સંવાદિતા લાવે છે. ફેંગશુઇ કળાનો અભ્યાસ કરીને, કોઈ પણ વ્યક્તિ દરેક સ્થાનના પ્રકાર માટે જરૂરી રંગ પસંદ કરવામાં સારી રીતે જાણકારી થઇ શકે છે. દરેક જગ્યા, પછી તે ઘર હોય કે ઓફિસ, જગ્યાના ઉપયોગના આધારે વિવિધ રંગોની જરૂર પડશે. આ દરેક રંગનો ઉપયોગ સ્થાનમાં યોગ્ય ઊર્જા લાવવા માટે ખૂબ જ કાળજીપૂર્વક કરવાની જરૂર પડશે અને તેને સુધારવા માટે કોઈ પ્રોફેશનલની સલાહ લેવી શ્રેષ્ઠ રહેશે. પાંચ તત્વો અને ફિલસૂફીઓ ખરેખર આપણા શરીરમાં પણ દરેક ચીજને અસર કરે છે.
લાલ, નારંગી અને પીળો જેવા ગરમ રંગો અને ટોન તમારી ડિઝાઇનમાં વધુ ઊર્જા, જુસ્સો અને વાઇબ્રેન્ટ લાવશે. તેમ છતાં તેનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે, કારણ કે સ્થાન પર વધુ પડતો લાલ રંગ અસંતુલનનું કારણ બની શકે છે. જે જગ્યાઓ પર પહેલેથી જ ખૂબ આગ લાગતી હોય, જેમ કે કિચન, લાલ રંગથી બચવું જોઈએ. લાલ રંગની સાથે, તે આપણી અંદર ભૂખને જગાડવાની જાદુઈ શક્તિ ધરાવે છે.
લીલો અને ભૂરો રંગ
લીલા રંગની વાત કરીએ તો, તે આપણને શાંત બનાવે છે અને લાંબા શિયાળાના અંત અને વસંત ઋતુની શરૂઆતનું પ્રતિક છે. જ્યારે આપણે ઝાડ પર તાજા નવા લીલા પાંદડા જોઈએ છીએ. લીલો રંગ પ્રકૃતિ, હૃદય ચક્ર અને જંગલ સાથે સીધો સંકળાયેલો છે, તેનો સંદેશ આપણા વતનથી આપણા ઊંડા મૂળ સુધી છે, જે આપણે શહેરી જંગલની અંધાધૂંધીમાં ભૂલી જઈએ છીએ.
આ પણ વાંચો | વાસ્તુ ટીપ્સ : ઘરમાં રાખો આ પાંચ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન, જીવનમાં બની રહેશે ધન – સમૃદ્ધિ
વાદળી રંગની શેડ્સ આપણા મનમાં એક વિશાળ અનંત ક્ષિતિજ, સમુદ્ર અને શાંતિ અને સુલેહની સ્થિતિ લાવે છે. તે રંગની ડિઝાઇનમાં શાંતિ અને ઠંડક પણ લાવે છે. ઘણા બધા પાણીનાં તત્ત્વો સાથે બાથરૂમનાં સ્થળોએ, વ્યક્તિએ વાદળી રંગના શેડ્સનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને ઊર્જાના પ્રવાહને સંતુલિત કરવા માટે પૃથ્વીના રંગ ઉમેરવા જોઈએ.