Ganesh Chaturthi 2024: બાપ્પાની કેટલા આકારની મૂર્તિ ઘરમાં લાવવી? સ્થાપના કરતા પહેલા જાણીલો અગત્યની બાબતો

Ganesh Chaturthi 2024 : ગણેશ મહોત્સવ દર વર્ષે 10 દિવસ સુધી ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે, જેની લોકો આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે.

Written by Ankit Patel
Updated : September 02, 2024 22:06 IST
Ganesh Chaturthi 2024: બાપ્પાની કેટલા આકારની મૂર્તિ ઘરમાં લાવવી? સ્થાપના કરતા પહેલા જાણીલો અગત્યની બાબતો
Ganesh Chaturthi 2024 - ગણેશ ચતુર્થી - photo - Jansatta

Ganesh Chaturthi 2024: ભગવાન શંકરને સમર્પિત શ્રાવણ મહિનો પુરો થયો છે. હવે ગણપત્તી બાપ્પાનો તહેવાર એટલે કે ગણેશ ચતુર્થી આવશે. ગણેશ મહોત્સવ દર વર્ષે 10 દિવસ સુધી ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન ગણેશના જન્મને ચિહ્નિત કરે છે, જેની લોકો આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કડક ઉપવાસ અને ભક્તિ સાથે પૂજા કરવાથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

ગણેશ ચતુર્થી બાબતે કેટલી મહત્વની જાણકારી

બાપ્પાની પ્રતિમાની સાચી ઉંચાઈ કેટલી હોવી જોઈએ?

જે લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની સ્થાપના કરવા માગે છે, તેમણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તવમાં તેઓએ 1 થી 12 આંગળીઓ સુધીની ગણપતિની મૂર્તિ લાવવી જોઈએ. આ સાથે તેમનું મુખ ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ, કારણ કે ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે.

ગણેશ મહોત્સવના દિવસે આ શુભ યોગો રચાઈ રહ્યા છે

વૈદિક કેલેન્ડર મુજબ સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 12:34 થી બીજા દિવસે સવારે 06:03 સુધી ચાલશે. આ સાથે રવિ યોગ સવારે 06:02 થી બપોરે 12:34 સુધી ચાલશે. તેમજ વિજય મુહૂર્ત બપોરે 02:24 થી 03:14 સુધી રહેશે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન પૂજા કરવાથી અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવાથી શુભ ફળ મળે છે. તેનાથી વ્યક્તિને કામમાં સફળતા મળે છે.

ગણેશ મહોત્સવ ક્યારે શરૂ થશે?

હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ 6 સપ્ટેમ્બર, 2024 ના રોજ બપોરે 3:01 વાગ્યે શરૂ થશે. તે જ સમયે, તે 7 સપ્ટેમ્બર, 2024 ના રોજ સાંજે 5:37 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિના આધારે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને તે જ દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન અને વ્રતની શરૂઆત પણ થશે.

આ પણ વાંચોઃ- સાપ્તાહિક રાશિફળ : આજથી શ્રાવણ મહિનો પુરો, દરેક રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે

ડિસ્ક્લેમરઃ- આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે. આ લેખ વિશેષતામાં અહીં જે લખ્યું છે તેને સમર્થન આપતા નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/શાસ્ત્રો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ