હનુમાન જન્મોત્સવના દિવસે આ 6 ચોપાઇના પાઠ કરો, બજરંગબલીની ખાસ કૃપા વરસશે

Hanuman Janmotsav 2025: હનુમાન ચાલીસાના કેટલીક ચોપાઈ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. માન્યતા છે કે હનુમાન જન્મોત્સવના દિવસે આ ચોપાઈનો જાપ કરવાથી બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનના તમામ અવરોધોથી છુટકારો મળે છે

Written by Ashish Goyal
April 11, 2025 16:08 IST
હનુમાન જન્મોત્સવના દિવસે આ 6 ચોપાઇના પાઠ કરો, બજરંગબલીની ખાસ કૃપા વરસશે
માન્યતા છે કે હનુમાન જન્મોત્સવના દિવસે આ ચોપાઈનો જાપ કરવાથી બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળે છે

Hanuman Janmotsav 2025: હિંદુ પંચાંગ મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 12 એપ્રિલને શનિવારના રોજ ઉજવવામાં આવશે. માન્યતા છે કે આ દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ પ્રસંગે લોકો મંદિરોમાં જઇને પૂજા-પાઠ કરે છે, હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, સુંદરકાંડનું આયોજન કરે છે અને ભંડારામાં ભાગ લે ય છે.

કહેવાય છે કે જે પણ આ દિવસે હનુમાનજીની ભક્તિભાવથી પૂજા કરે છે, તેની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે હનુમાન ચાલીસાના કેટલીક ચૌપાઈ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. માન્યતા છે કે હનુમાન જન્મોત્સવના દિવસે આ ચોપાઈનો જાપ કરવાથી બજરંગબલીના વિશેષ આશીર્વાદ મળે છે અને જીવનના તમામ અવરોધોથી છુટકારો મળે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ તે ચૌપાઈઓ વિશે, જે તમને તમારી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે.

હનુમાન ચાલીસાની આ 6 ચોપાઈના જાપ કરો

‘સંકટ તેં હનુમાન છુડાવે, મન, ક્રમ, વચન ધ્યાન જો લાવૈ’

આ ચૌપાઈનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિ હનુમાનજીનું તન, મન અને સાચા મનથી ધ્યાન કરે તો તે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી જાય છે. ગમે તેટલી મોટી સમસ્યા હોય તો પણ બજરંગબલી તેને દૂર કરી દે છે.

‘સબ સુખ લહે તુમ્હારી સરના. તુમ રક્ષક કાહુ કો ડરના

આ ચોપાઈમાં કહેવામાં આવ્યું છે કે જે પણ હનુમાનજીની શરણમાં આવે છે, તેને તમામ સુખ મળે છે અને તે કોઈ પણ વસ્તુથી ડર લાગતો નથી. સાથે જ હનુમાનજી હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે.

‘ભૂત પિશાચ નિકટ નહીં આવે. મહાબીર જબ નામ સુનાવે’

જો તમને વારંવાર ડર લાગતો હોય કે નકારાત્મક ઊર્જાનો અનુભવ થતો હોય તો આ ચોપાઇ ખૂબ જ ઉપયોગી છે. એવું માનવામાં આવે છે કે આ ચોપાઈનો જાપ કરવાથી બધી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે.

આ પણ વાંચો – મંગળવારે અને શનિવારે કેમ કરવામાં આવે છે હનુમાન દાદાની પૂજા? જાણો કારણ

‘ઔર મનોરથ જો કોઇ લાવે. સોઇ અમિત જીવન ફેલ પાવૈ’

આ ચોપાઈનો અર્થ એ છે કે જે પણ વ્યક્તિ હનુમાનજીની સામે પોતાની ઈચ્છા રાખે છે, તે અવશ્ય પૂર્ણ થાય છે. માન્યતા છે કે હનુમાન ચાલીસાના આ ચોપાઈનો પાઠ કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે અને બધી મનોકામનાઓ પૂરી થાય છે.

‘વિદ્યાવાન ગુની અતિ ચાતુર. રામકાજ કરીબે કો આતુર’

હનુમાન જન્મોત્સવના દિવસે આ ચોપાઈનો પાઠ કરવાથી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને દરેક કામમાં સફળતાની શરૂઆત થાય છે.

‘નાસૈ રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમત બલબીરા ‘

જો કોઈ બીમાર હોય કે પીડાથી પરેશાન હોય તો હનુમાન જન્મોત્સવના દિવસે ઓછામાં ઓછા 108 વખત આ ચોપાઈનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તેનો જાપ કરવાથી તમામ પ્રકારની પીડા, રોગો, દોષ અને ભય દૂર થાય છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ