Hanuman Jayanti live Darshan : હનુમાન જ્યંતિ પર ઘરે બેઠા જ સાળંગપુરના કષ્ટભંજન દેવના કરો લાઈવ દર્શન, જાણો આરતી અને દર્શનનો સમય

Hanuman Jayanti Today live darshan, kashtabhanjan salangpur temple, આજના લાઈવ દર્શન : આજના હનુમાન જ્યંતિના પાવન અવસર પર અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

Hanuman Jayanti Today live darshan, kashtabhanjan salangpur temple, આજના લાઈવ દર્શન : આજના હનુમાન જ્યંતિના પાવન અવસર પર અમે તમને ઘરે બેઠાં જ સાળંગપુરના કષ્ઠભજન હનુમાન દાદાના દર્શન કરાવીશું. સારંગપુર હનુમાન મંદિરથી થતાં લાઈવ દર્શનનો વીડિયો અહીં આપેલો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Hanuman Jayanti today live darshan, Hanuman jayanti kashtabhanjan dev darashan, today live darshan, આજના લાઇવ દર્શન, Kashtabhanjan dada darashan,

હનુમાન જ્યંતિ પર કષ્ટભંજન દેવ લાઈવ દર્શન photo- salangpur temple youtube video

Hanuman Jayanti Today live darshan, kashtabhanjan salangpur temple, આજના લાઈવ દર્શન : આજે મંગળવાર, 23 એપ્રિલ 2024ના રોજ હનુમાન જ્યંતિ છે. આનો દિવસ ખુબ જ ખાસ છે કારણ કે હનુમાન દાદાના પ્રિય વાર મંગળવારે જ હનુમાન જ્યંતિ આવી છે. એટલે ભક્તોમાં આ દિવસનું મહત્વ વધી જાય છે. આજના દિવસે ભક્તો હનુમાન મંદિરે દાદાના દર્શન કરવા જાય છે. બોટાદમાં આવેલા સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે આજે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. ત્યારે તમે અમારા માધ્યમથી ઘરે બેઠા જ કષ્ટભંજન દેવના લાઈવ દર્શન કરી શકો છો.

Advertisment

હનુમાન જ્યંતિ પર વીડિયોમાં કરો કષ્ટભંજન દેવના લાઈવ દર્શન

આજના દિવસે દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે જે ત્રેતાયુગમાં હનુમાનજ્યંતિ પર બન્યો હતો. એટલે આજના દિવસનું મહત્વ વધારે છે. સાળંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન દેવ ગુજરાત જ નહીં દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે.

હનુમાન જ્યંતિ પર કષ્ટભંજન દેવની આરતીનો સમય

  • મંગળા આરતી સવારે 5.30 વાગ્યે
  • શણગાર આરતી સવારે 7 વાગ્યે
  • સંધ્યા આરતી સાંજે 6.30 વાગ્યે
  • થાળ સાંજે 6.45થી 7.45 વાગ્યે

આ પણ વાંચોઃ-Hanuman Jayanti 2024 Date: હનુમાન જ્યંતિ પર ત્રેતા યુગ જેવો બનશે દુર્લભ સંયોગ, પૂજા વિધિ કરવાની સાચી રીત

Advertisment

હનુમાન જ્યંતિ પર કષ્ટભંજન દેવના દર્શન માટે મંદિરનો સમય

મંગળા આરતી પછી મંદિર દર્શન માટે ખુલી જાય છે. બપોરના 12 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. ત્યારબાદ રાતના નવ વાગ્યા સુધી ભક્તો દાદાના દર્શન કરી શકે છે ત્યારબાદ મંદિર બંધ થઈ જાય છે.

તહેવાર લાઇવ દર્શન ધર્મ ભક્તિ