Palmistry હસ્તરેખા શાસ્ત્રઃ ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે શંખ યોગ, જીવનમાં મેળવે છે અખૂટ સંપત્તિ અને સુખ વૈભવ

Hast rekha shastra Shankh Yog: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર ભાગ્યશાળી લોકોના હાથમાં શંખ ​​યોગ હોય છે. ચાલો જાણીએ આ યોગ કેવી રીતે બને છે

Written by Ajay Saroya
June 28, 2023 19:49 IST
Palmistry હસ્તરેખા શાસ્ત્રઃ ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે શંખ યોગ, જીવનમાં મેળવે છે અખૂટ સંપત્તિ અને સુખ વૈભવ
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર વ્યક્તિના હાથની રેખાઓ અનુસાર વ્યક્તિના સ્વભાવ અને તેના જીવનકાળ અંગે જાણકારી મેળવી શકાય છે. (file image)

Hast rekha shastra Palmistry Shankh Yog In Hand: હાથમાં શંખ ​​યોગઃ હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિનો સ્વભાવ અને કારકિર્દી તેના હાથની રેખાઓ અને નિશાનો પરથી જાણી શકાય છે. આ સાથે હાથમાં ઘણા પ્રકારના પર્વતો છે, જેમાં મુખ્ય પર્વત શુક્ર, શનિ અને સૂર્ય છે. ઉપરાંત આ પર્વતોની આસપાસ કેટલાક વિશેષ યોગો પણ રચાય છે, જેનું વિશ્લેષણ કરીને વ્યક્તિનું ભવિષ્ય અને ભૂતકાળ જાણી શકાય છે. સાથે સાથે એવું પણ જાણી શકાય છે કે, વ્યક્તિની આર્થિક સ્થિતિ કેવી રહેશે. અહીં અમે શંખ યોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના હાથમાં આ શંખ યોગ હોય છે, તે જીવનમાં ખૂબ પૈસા કમાય છે અને દરેક સુખ ભોગવે છે. ચાલો જાણીએ હાથમાં શંખ યોગ કેવી રીતે બને છે અને તેના ફાયદા…

જાણો હાથમાં કેવી રીતે બને છે શંખ યોગ

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો શુક્ર પર્વતનો વિસ્તાર પહોળો હોય અને તેમાંથી એક રેખા શનિ પર્વત અને બીજી સૂર્ય પર્વત સુધી જત હોય તો શંખ યોગ બને છે.

Shankh Yog – હાથમાં શંખ યોગનું નિશાન

અખૂટ સંપત્તિના માલિક છે

જે વ્યક્તિના હાથમાં શંખ ​​હોય છે, તે વ્યક્તિ જીવનમાં તમામ ભૌતિક સુખો ભોગવે છે અને સમગ્ર જીવન આનંદ-ઉલ્લાસ સાથે પસાર થાય છે. ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત હોય અને તે પોતાના દમ પર જીવનમાં એક સ્થાન હાંસલ કરે છે. આ લોકો પોતાના કરિયર પ્રત્યે પણ ઈમાનદાર હોય છે. શંખ યોગ ધરાવતા વ્યક્તિઓનો સ્વભાવ પણ બહુ ખાસ હોય છે અને તેઓ વિપરીત પરિસ્થિતિઓમાં પણ શાંત રહે છે. તેઓ સમસ્યાઓને સરળતાથી ઉકેલવામાં કુશળ હોય છે.

શંખ યોગ વાળા વ્યક્તિના જીવનસાથી કેવો હોય છે

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથમાં શંખ યોગ હોય છે, તેમના જીવનસાથી બહુ સુંદર અને સુશીલ હોય છે. ઉપરાંત તેમનું પર્સનાલિટી પણ ગજબ હોય છે. ઉપરાંત આવા વ્યક્તિઓ બહુ જ આસ્તિક હોય છે અને ભગવાનમાં બહુ વિશ્વાસ રાખે છે. આવા વ્યક્તિ મિતભાષી અને દાની હોય છે.

ભૌતિકવાદ અને આધ્યાત્મિકતાનો સમન્વય

જેમના હાથમાં શંખ ​​યોગ હોય છે તેવા વ્યક્તિઓની મનમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો સારો સમન્વય હોય છે. આવા લોકો આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલા હોય છે અને ભૌતિક વસ્તુઓનો પણ ઘણો ઉપયોગ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ