Palmistry હસ્તરેખા શાસ્ત્રઃ ભાગ્યશાળી લોકોના હાથમાં હોય છે શંખ યોગ, જીવનમાં મેળવે છે અખૂટ સંપત્તિ અને સુખ વૈભવ

Hast rekha shastra Shankh Yog: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર ભાગ્યશાળી લોકોના હાથમાં શંખ ​​યોગ હોય છે. ચાલો જાણીએ આ યોગ કેવી રીતે બને છે

Hast rekha shastra Shankh Yog: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર ભાગ્યશાળી લોકોના હાથમાં શંખ ​​યોગ હોય છે. ચાલો જાણીએ આ યોગ કેવી રીતે બને છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
hast rekha shastra Palmistry Shankh Yog

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર વ્યક્તિના હાથની રેખાઓ અનુસાર વ્યક્તિના સ્વભાવ અને તેના જીવનકાળ અંગે જાણકારી મેળવી શકાય છે. (file image)

Hast rekha shastra Palmistry Shankh Yog In Hand: હાથમાં શંખ ​​યોગઃ હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિનો સ્વભાવ અને કારકિર્દી તેના હાથની રેખાઓ અને નિશાનો પરથી જાણી શકાય છે. આ સાથે હાથમાં ઘણા પ્રકારના પર્વતો છે, જેમાં મુખ્ય પર્વત શુક્ર, શનિ અને સૂર્ય છે. ઉપરાંત આ પર્વતોની આસપાસ કેટલાક વિશેષ યોગો પણ રચાય છે, જેનું વિશ્લેષણ કરીને વ્યક્તિનું ભવિષ્ય અને ભૂતકાળ જાણી શકાય છે. સાથે સાથે એવું પણ જાણી શકાય છે કે, વ્યક્તિની આર્થિક સ્થિતિ કેવી રહેશે. અહીં અમે શંખ યોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તમને જણાવી દઈએ કે જે વ્યક્તિના હાથમાં આ શંખ યોગ હોય છે, તે જીવનમાં ખૂબ પૈસા કમાય છે અને દરેક સુખ ભોગવે છે. ચાલો જાણીએ હાથમાં શંખ યોગ કેવી રીતે બને છે અને તેના ફાયદા…

Advertisment

જાણો હાથમાં કેવી રીતે બને છે શંખ યોગ

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો શુક્ર પર્વતનો વિસ્તાર પહોળો હોય અને તેમાંથી એક રેખા શનિ પર્વત અને બીજી સૂર્ય પર્વત સુધી જત હોય તો શંખ યોગ બને છે.

publive-image
Shankh Yog - હાથમાં શંખ યોગનું નિશાન

અખૂટ સંપત્તિના માલિક છે

જે વ્યક્તિના હાથમાં શંખ ​​હોય છે, તે વ્યક્તિ જીવનમાં તમામ ભૌતિક સુખો ભોગવે છે અને સમગ્ર જીવન આનંદ-ઉલ્લાસ સાથે પસાર થાય છે. ઉપરાંત તે વ્યક્તિની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત હોય અને તે પોતાના દમ પર જીવનમાં એક સ્થાન હાંસલ કરે છે. આ લોકો પોતાના કરિયર પ્રત્યે પણ ઈમાનદાર હોય છે. શંખ યોગ ધરાવતા વ્યક્તિઓનો સ્વભાવ પણ બહુ ખાસ હોય છે અને તેઓ વિપરીત પરિસ્થિતિઓમાં પણ શાંત રહે છે. તેઓ સમસ્યાઓને સરળતાથી ઉકેલવામાં કુશળ હોય છે.

શંખ યોગ વાળા વ્યક્તિના જીવનસાથી કેવો હોય છે

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે લોકોના હાથમાં શંખ યોગ હોય છે, તેમના જીવનસાથી બહુ સુંદર અને સુશીલ હોય છે. ઉપરાંત તેમનું પર્સનાલિટી પણ ગજબ હોય છે. ઉપરાંત આવા વ્યક્તિઓ બહુ જ આસ્તિક હોય છે અને ભગવાનમાં બહુ વિશ્વાસ રાખે છે. આવા વ્યક્તિ મિતભાષી અને દાની હોય છે.

Advertisment

ભૌતિકવાદ અને આધ્યાત્મિકતાનો સમન્વય

જેમના હાથમાં શંખ ​​યોગ હોય છે તેવા વ્યક્તિઓની મનમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો સારો સમન્વય હોય છે. આવા લોકો આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલા હોય છે અને ભૌતિક વસ્તુઓનો પણ ઘણો ઉપયોગ કરે છે.

ભવિષ્ય વાણી astrology રાશિફળ ધર્મ ભક્તિ