Hastrekha : હાથમાં આ રેખા કરાવે છે લગ્ન અને સંબંધમાં બ્રેકઅપ, જીવનમાં નથી મળતો સાચો પ્રેમ, જોઈલો તમારો હાથ

Hastrekha Marriage Line On Palm : હસ્તરેખા પ્રમાણે ભવિષ્ય અને ભૂતકાળ જોવાનુ જ્યોતિષ શાસ્ત્ર પણ વર્ષો જુનુ પ્રચલિત છે, તો જોઈએ લગ્ન અને બ્રેકઅપની લાઈન પણ તેમાં જાણી શકાય છે.

Hastrekha Marriage Line On Palm : હસ્તરેખા પ્રમાણે ભવિષ્ય અને ભૂતકાળ જોવાનુ જ્યોતિષ શાસ્ત્ર પણ વર્ષો જુનુ પ્રચલિત છે, તો જોઈએ લગ્ન અને બ્રેકઅપની લાઈન પણ તેમાં જાણી શકાય છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
hastrekha marriage breakup

હસ્તરેખા, લગ્ન-બ્રેકઅપ (પ્રતિકાત્મક તસવીર)

Marriage Line On Palm: હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, વ્યક્તિનું ભવિષ્ય, વર્તમાન અને ભૂતકાળ તેના હાથમાં છુપાયેલુ હોય છે. હાથ પર કેટલાક પર્વતો અને રેખાઓ હોય છે, જેનું વિશ્લેષણ કરીને કોઈપણ વ્યક્તિનું વૈવાહિક જીવન, કારકિર્દી અને વ્યક્તિત્વ જાણી શકાય છે. અહીં અમે તમને એવી રેખાઓ અને પ્રતીકો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની હાજરી હોય તો સંબંધોમાં તિરાડ અને લગ્નજીવનમાં છૂટાછેડા થઈ શકે છે. વળી, આવી વ્યક્તિને જીવનમાં ક્યારેય સાચો પ્રેમ નથી મળતો. તો ચાલો જાણીએ આ પ્રતીકો અને રેખાઓ વિશે…

Advertisment

લગ્ન રેખા પર હોય કાંટાનું નિશાન

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો તમારી લગ્ન રેખા કાંટા જેવા નિશાન પર સમાપ્ત થાય છે, તો થોડા સમય પછી તમારા સંબંધોમાં બ્રેકઅપ થઈ શકે છે. તેમજ ગેરસમજ કે કોઈ ત્રીજી વ્યક્તિના કારણે આવા લોકોના સંબંધો તૂટી જાય છે.

દરેક બાબતમાં ઝઘડો

બીજી તરફ જો કોઈ વ્યક્તિના હાથની રેખા મંગળ પર્વતથી નીકળે છે અને મસ્તક રેખા અને હૃદય રેખાને છેદતી બુધ પર્વત પર સમાપ્ત થાય છે તો આવા લોકોના જીવનમાં છૂટાછેડા અથવા બ્રેકઅપનો ભય રહે છે. તેમજ આવા લોકોની દરેક બાબતમાં ચર્ચાઓ થતી રહે છે. આવા લોકો અહંકારી પણ હોય છે.

લગ્ન મોડું થાય છે

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જે લોકોના હાથમાં ગુરુ શનિ તરફ ઝુકાવ કરે છે તેમના લગ્ન સામાન્ય રીતે 30 વર્ષ પછી થાય છે. ઉપરાંત, આ લોકો તેમના જીવનસાથીની પસંદગી ખૂબ જ મુશ્કેલીથી કરે છે. ક્યારેક તેઓ લગ્ન ન કરવાનો વિચાર પણ કરે છે. આ લોકોની વિચારસરણી સાધુ જેવી થઈ જાય છે. તેમજ આ લોકો ભૌતિક સુખોનો ત્યાગ કરે છે.

Advertisment

આ પણ વાંચો - Hanuman Chalisa Lyric : ‘તુમ રક્ષક કાહુ કો ડરના’, હનુમાન ચાલીસાના પાઠ કરશે તમારા સંકટ દૂર, જાણો દોહા, ચોપાઈ અને મહત્વ

આ નિશાની શનિ પર્વત પર હોવી જોઈએ

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, જો કોઈ રેખા શુક્રમાંથી નીકળે છે અને શનિ પર્વત પર કાંટાના ચિહ્નના રૂપમાં સમાપ્ત થાય છે, તો તે લગ્ન વિચ્છેદનો સંકેત છે. આવા લોકોના જીવનમાં બહારના લોકોના કારણે સમસ્યાઓ ઉભી થાય છે. વળી, આવા લોકો નાની-નાની બાબતો પર લડાઈ કરે છે.

astrology ગુજરાતી ન્યૂઝ ધર્મ ભક્તિ