Holashtak 2026 : હોળાષ્ટક ક્યારથી શરુ થશે? 8 દિવસ બંધ રહેશે માંગલિક કાર્યો, જાણો તારીખ અને અન્ય માહિતી

Holashtak 2026 Start Date : હિન્દુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ફાગણ પૂર્ણિમા પર હોળીનો મહાપર્વ તહેવાર દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીના ઠીક 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે

Holashtak 2026 Start Date : હિન્દુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ફાગણ પૂર્ણિમા પર હોળીનો મહાપર્વ તહેવાર દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીના ઠીક 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે

author-image
Ashish Goyal
New Update
Holashtak 2026  Date

હોળીના ઠીક 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે

Holashtak 2026 Start & End : હિન્દુ ધર્મમાં હોળીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ફાગણ પૂર્ણિમા પર હોળીનો મહાપર્વ તહેવાર દેશ-વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીના ઠીક 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટકની શરૂઆત ફાગણ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી થાય છે, જે ફાગણ પૂનમ પર સમાપ્ત થાય છે. હોળાષ્ટક દરમિયાન નવા વેપાર, વાહન, દુકાનથી લઇને અન્ય શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે. 

Advertisment

હોળાષ્ટક 2026 ક્યારે છે? 

પંચાંગ અનુસાર આ વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિ 24 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે અને ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખ 03 માર્ચ 2026 સુધી રહેશે. આવી સ્થિતિમાં હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરુ થશે અને 3 માર્ચ 2026 સુધી રહેશે. આ સાથે જ 3 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે.

હોળાષ્ટક પ્રારંભ : 24 ફેબ્રુઆરી 2026
હોળાષ્ટક સમાપ્ત: 03 માર્ચ 2026

હોલિકા દહન 2026 ક્યારે છે?

હોલિકા દહન સમય 3 માર્ચના રોજ સાંજે 06:08 થી 08:35 સુધી રહેશે.

ધૂળેટી 2026 ક્યારે રમાશે? 

આ વર્ષે 3 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે. તેથી ધૂળેટી તેના બીજા દિવસે એટલે કે 04 માર્ચ 2026ના રોજ રમાશે.

હોળાષ્ટક કથા

હિન્દુ માન્યતાઓ અનુસાર હોળી અને હાળાષ્ટક પ્રહલાદ અને રાજા હિરણ્યકશિપુની પ્રખ્યાત દંતકથા સાથે સંકળાયેલ છે. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના આઠ દિવસ પહેલા રાજા હિરણ્યકશિપુએ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત પ્રહલાદને અનેક પ્રકારની પીડા આપી હતી. આ પછી આઠમા દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગયા. હોલિકા પોતે બળીને રાખ થઈ ગઇ હતી, જ્યારે ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ સલામત રીતે બચી ગયો હતો. આ ઘટનાની યાદમાં હોળાષ્ટક અને હોલિકા દહનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે.

Advertisment

આ પણ વાંચો - 165 વર્ષ પછી આ રાશિઓમાં આવ્યો આવો યોગ, પુષ્કળ પૈસા અને પ્રતિષ્ઠા મળશે

હોળાષ્ટક દરમિયાન આ ગ્રહો ઉગ્ર હોય છે

હોળાષ્ટક દરમિયાન દરરોજ કોઈક ને કોઇક ઉગ્ર અવસ્થામાં હોય છે. તેથી આ સમય દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવા માટે પ્રતિબંધિત છે. પ્રથમ દિવસે ચંદ્ર, બીજા દિવસે સૂર્ય, ત્રીજા દિવસે શનિ, ચોથા દિવસે શુક્ર, પાંચમા દિવસે ગુરુ, છઠ્ઠા દિવસે યુવરાજ બુધ, સાતમા દિવસે મંગળ અને આઠમા દિવસે રાહુ ઉગ્ર સ્થિતિમાં રહે છે.

ડિસ્ક્લેમર- આ લેખ વિવિધ માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા શાસ્ત્રોમાંથી એકત્રિત કરવામાં આવ્યો છે અને આ માહિતી તમને પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તમે તે સાચું અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.

holi તહેવાર ધર્મ ભક્તિ