હોલિકા દહનમાં ભૂલથી પણ આ વસ્તુઓ ના નાખો, ખુશીઓ છીનવાઇ જશે

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે શુભ સમયે અગ્નિ પ્રજ્વલિત કરીને દુષ્ટ શક્તિઓને સળગાવવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે હોલિકાની આગમાં કેટલીક વસ્તુઓ નાખવાથી પરેશાનીઓ થઈ શકે છે

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે શુભ સમયે અગ્નિ પ્રજ્વલિત કરીને દુષ્ટ શક્તિઓને સળગાવવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે હોલિકાની આગમાં કેટલીક વસ્તુઓ નાખવાથી પરેશાનીઓ થઈ શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Holika Dahan 2025, Holika Dahan

Holika Dahan 2025 : પંચાગ અનુસાર 13 માર્ચ, 2025 ના રોજ હોલિકા દહન કરવામાં આવશે (Pics : Freepik)

Holika Dahan 2025 : હોળીનો તહેવાર નજીક છે અને તેની સાથે જ તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. પંચાગ અનુસાર 13 માર્ચ, 2025 ના રોજ હોલિકા દહન કરવામાં આવશે, જેને છોટી હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે 14 માર્ચ 2025ના રોજ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.

Advertisment

હોલિકા દહનના દિવસે શુભ સમયે અગ્નિ પ્રજ્વલિત કરીને દુષ્ટ શક્તિઓને સળગાવવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે હોલિકાની આગમાં કેટલીક વસ્તુઓ નાખવાથી પરેશાનીઓ થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક એવી વસ્તુઓ છે જેને હોલિકાની અગ્નિમાં નાખવાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. સાથે જ તેની અસર તમારી કુંડળી અને ગ્રહો પર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

હોલિકા દહનમાં આ વસ્તુઓ બિલકુલ ન નાખો

ગંદા કપડાં અને ટાયરો

ધાર્મિક માન્યતા અનુસાર હોલિકાની અગ્નિ અતિ પવિત્ર છે. આવી સ્થિતિમાં ગંદા કપડા, જૂના શૂઝ કે ટાયર જેવી વસ્તુઓ નાખવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મંગળનો પ્રકોપ વધી શકે છે, જેનાથી ઘરમાં વિખવાદ થઈ શકે છે.

પાણીવાળું નાળિયેર

હોલિકા દહનમાં સૂકું નાળિયેર ચઢાવવાની પરંપરા છે, પરંતુ જો તમે પાણીવાળું નાળિયેર ચઢાવશો તો ચંદ્રમાની સ્થિતિ ખરાબ થઈ શકે છે. તેનાથી માનસિક તણાવ અને આર્થિક સમસ્યા થઈ શકે છે.

Advertisment

લાકડાની તૂટેલી વસ્તુઓ

ઘણી વખત જોવામાં આવે છે કે લોકો હોલિકાની આગમાં જૂના બેડ, કબાટ કે પછી તૂટેલા ફર્નીચર નાખે છે, પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. તેનાથી શનિ, રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ વધી શકે છે, જેનાથી જીવનમાં અડચણો આવી શકે છે.

ત્રણ ગુજિયા કે અન્ય પકવાન

હોલિકા પૂજા દરમિયાન ગુજિયા, પુએ અને મીઠાઈઓ ચઢાવવામાં આવે છે, પરંતુ ધ્યાન રાખો કે તેમની સંખ્યા ત્રણ ના હોય. કારણ કે નંબર ત્રણને અશુભ માનવામાં આવે છે અને તેનાથી પરિવારમાં વિખવાદ થઈ શકે છે.

સૂકા ફૂલો

એવું માનવામાં આવે છે કે સૂકા ફૂલો હોલિકાની અગ્નિમાં ન નાખવા જોઈએ. તેનાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધી શકે છે અને ભાગ્ય પર ખરાબ અસર પડી શકે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

holi ધર્મ ભક્તિ