ઇન્દિરા એકાદશી ક્યારે છે 16 કે 17 સપ્ટેમ્બર? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Indira Ekadashi 2025 : શાસ્ત્રોમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે દર મહિને 2 અગિયારસ હોય છે, પરંતુ પિતૃ પક્ષમાં આવતી એકાદશીની ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે

Written by Ashish Goyal
Updated : September 09, 2025 17:44 IST
ઇન્દિરા એકાદશી ક્યારે છે 16 કે 17 સપ્ટેમ્બર? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ
Indira Ekadashi 2025 Date : શાસ્ત્રોમાં એકાદશીનું વિશેષ મહત્વ છે

Indira Ekadashi 2025 Date : શાસ્ત્રોમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે દર મહિને 2 અગિયારસ હોય છે, પરંતુ પિતૃ પક્ષમાં આવતી એકાદશીની ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશીને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત અને શ્રાદ્ધ-તર્પણ કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. સાથે તેમને મુક્તિ સાથે મોક્ષ પણ મળે છે. તે દિવસે ગૌરી યોગ, શિવ યોગ અને પરિઘ યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે. ચાલો જાણીએ ઇન્દિરા એકાદશીનું વ્રત ક્યારે છે અને આ દિવસે શું કરવું જોઈએ.

ઇન્દિરા એકાદશી 2025 તારીખ

જ્યોતિષીય કેલેન્ડર અનુસાર ભાદરવા વદની એકાદશી તારીખ 17 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે 12:21 વાગ્યે શરૂ થશે અને 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:39 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર તે 17 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે.

ઇન્દિરા એકાદશી શુભ મુહૂર્ત અને યોગ 2025

પંચાંગમાં કહેવામાં આવ્યું છે કે ભાદરવા મહિનાના વદ પક્ષની એકાદશી તારીખે શિવ અને પરિઘ યોગ સહિત અનેક શુભ સંયોગો બની રહ્યા છે. પરિઘ યોગ મોડી રાત્રે હોય છે. આ પછી શિવયોગનો સંયોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ યોગમાં પૂજા કરવી શુભ રહેશે. તમને જણાવી દઈએ કે આ દિવસે ગૌરી યોગનો શુભ સંયોગ હશે, ચંદ્રમાં પોતાની સ્વરાશિ કર્કમાં બિરાજમાન રહેશે. જે ગૌરી યોગ બનાવશે. આવી સ્થિતિમાં ઉપવાસ અને શ્રાદ્ધ કરનારાઓને પુણ્ય ફળની પ્રાપ્તિ થશે.

આ પણ વાંચો – કાગડા વગર કેમ અધૂરું માનવામાં આવે છે પિતૃ પક્ષનું શ્રાદ્ધ કર્મ

ઇન્દિરા એકાદશી મહત્વ

ઇન્દિરા એકાદશીના દિવસે વ્રત અને તર્પણ કરનારાઓના પૂર્વજોના પાપનો નાશ થાય છે. આ દિવસે વ્રત કરવાથી સાધકની દરેક ઇચ્છા પૂરી થાય છે સાથે-સાથે પરંતુ પૂર્વજોને પણ મોક્ષ મળે છે. તેઓ નરકની યાતનાઓમાંથી મુક્ત થાય છે. તેથી, આ દિવસે, તર્પણ અને પિંડદાન કરવાનું વિધાન છે. કહેવાય છે કે આ વ્રત રાખવાથી કોઈ કારણસર નરકમાં પડેલા પૂર્વજોને પણ મોક્ષ મળે છે. આ સિવાય આ વ્રત રાખવાથી વ્યક્તિ વૈકુંઠ ધામ પ્રાપ્ત કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ