/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Kedarnath.jpg)
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શને આવે છે (Image: X)
Kedarnath Doli Yatra 2025: હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ ભક્ત આ યાત્રા પૂરી શ્રદ્ધાથી કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. ચાર ધામ યાત્રામાં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન થાય છે. આમાંથી કેદારનાથ ધામ ભગવાન શિવનું અતિ પવિત્ર સ્થાન છે અને તેને 12 જ્યોતિર્લિંગમાંનું એક માનવામાં આવે છે.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા કેદારના દર્શને આવે છે. એવું માનવામાં આવે છે કે બાબા કેદારના દર્શન કરવાથી ભોલેનાથની કૃપાથી તમામ દુઃખ અને કષ્ટો દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેદારનાથ ધામના દરવાજા ખુલતા પહેલા ડોલી યાત્રા કેમ કાઢવામાં આવે છે? ચાલો જાણીએ તેનું ધાર્મિક મહત્વ.
કેદારનાથ મંદિર અને ડોલી ઉત્સવની પરંપરા
આ વર્ષે એટલે કે 2025માં 2 મેના રોજ કેદારનાથ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશે. દરવાજા ખોલતા પહેલા ઘણી પરંપરાઓ કરવામાં આવે છે. સૌથી પહેલા બાબા ભૈરવનાથની પૂજા કરવામાં આવે છે, ત્યારબાદ બાબા કેદારનાથની પંચમુખી ડોલીને ઉખીમઠથી કેદારનાથ ધામ સુધી લઇ જવામાં આવે છે. આ પછી વિધિ-વિધાનથી મંદિરના દરવાજા ખોલવામાં આવે છે અને ભક્તોને દર્શનનો અવસર મળે છે.
શું છે પંચમુખી ડોલીની ખાસિયત?
દર વર્ષે શિયાળામાં કેદારનાથના દ્વાર બંધ કરવામાં આવે છે ત્યારે બાબા કેદારની ભોગ મૂર્તિને પંચમુખી ડોલીમાં રાખીને ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં લાવવામાં આવે છે. ભગવાન છ મહિના ત્યાં બેસે છે. પંચમુખી ડોલી એટલે કે તેમાં ભગવાન કેદારનાથના પાંચ મુખો દર્શાવવામાં આવ્યા છે. આ ડોલીમાં ચાંદીની સુંદર મૂર્તિ છે, જેની ખાસ પૂજા કરવામાં આવે છે. આ પછી જ્યારે કેદારનાથ ધામના દરવાજા ખોલવાનો સમય આવે ત્યારે બાબાની ડોલીને ફરી કેદારનાથ મંદિર લઇ જવામાં આવે છે.
આ પણ વાંચો - ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ઉભા રહીને બિલકુલ ના કરો આ 5 કામ, આખું ઘર થશે પરેશાન
ચાર ધામ યાત્રા 2025 ક્યારે શરૂ થશે?
વર્ષ 2025માં ચાર ધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા પણ આ જ દિવસે ખોલવામાં આવશે. કેદારનાથ ધામ 2 મેના રોજ અને બદ્રીનાથ ધામ 4 મેના રોજ ખુલશે. ચાર ધામ યાત્રાની પરંપરા અનુસાર યમુનોત્રીના પહેલા દર્શન થાય છે, ત્યારબાદ ગંગોત્રી, પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ ધામના દર્શન થાય છે. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના સુંદર વાદીઓમાં સ્થિત આ ચાર ધામ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને આકર્ષિત કરે છે. આ પવિત્ર યાત્રા દરમિયાન ભક્તોની શ્રદ્ધા અને ભક્તિનો અદભૂત નજારો જોવા મળે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us