/indian-express-gujarati/media/media_files/2025/12/26/lal-kitab-yearly-horoscope-upay-2025-12-26-12-05-35.jpg)
લાલ કિતાબ રાશિ વાર્ષિક ઉપાય Photograph: (instagram)
Lal Kitab Yearly Horoscope upay 2026: જ્યોતિષની દ્રષ્ટિએ 2026નું વર્ષ બધી રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. લાલ કિતાબ મુજબ આ વર્ષે ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવનના વિવિધ ક્ષેત્રો પર ઊંડી અસર કરશે. આ વર્ષ મેષ રાશિથી મીન રાશિ સુધીની બધી રાશિઓ માટે કારકિર્દી અને નાણાકીય બાબતોમાં નવી તકો લાવશે.
દરેક રાશિના જાતકો માટે વર્ષ સારું અને નરસું રહી શકે છે. જોકે, કેટલાક ઉપાયોથી આવનારી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. ચાલો જાણીએ કે લાલ કિતાબ મુજબ મેષ અને મીન રાશિ માટે 2026માં કયા ઉપાયો તેમને તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.
મેષ રાશિ ઉપાય
લાલ કિતાબ મુજબ મેષ રાશિએ 2026માં કોઈની પાસેથી મફત વસ્તુઓ સ્વીકારવાનું ટાળવું જોઈએ.ભગવાન શિવ અને પવન પુત્ર હનુમાનની પૂજા કરવી જોઈએ. મંદિરોમાં દૂધ અને ખાંડનું દાન કરવું ફાયદાકારક બની શકે છે.
વૃષભ રાશિ ઉપાય
સફેદ વસ્તુઓનો ઉપયોગ કરો અને તમારી સાથે ચાંદીનો ટુકડો રાખો. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ચંદ્રની પૂજા, સૂર્ય દેવની સાથે, ખાસ લાભ લાવી શકે છે. ભગવાન શિવની પૂજા કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે
મિથુન રાશિ ઉપાય
લાલ કિતાબ અનુસાર વર્ષ 2026 ને શુભ બનાવવા માટે તમારે દરરોજ સવારે તાંબાના વાસણમાંથી સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ.
કર્ક રાશિ ઉપાય
તમારી માતાનો આદર કરો અને દરરોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરો.
સિંહ રાશિ ઉપાય
કોઈપણ શુભ કાર્ય પહેલાં મીઠાઈ ખાઓ અને પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવો.
કન્યા રાશિ ઉપાય
શુક્રવારે કાળા કપડાંનું દાન કરો અને નાની છોકરીઓને સફેદ મીઠાઈઓ ખવડાવો.
તુલા રાશિ ઉપાય
ગૌ માતાને તમારા દૈનિક ભોજનની પહેલી રોટલી અર્પણ કરો અને ધાર્મિક સ્થળે વેલણ, ઓરસિયો, તવો દાન કરો.
વૃશ્ચિક રાશિ ઉપાય
મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મફતમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો સ્વીકારવાનું ટાળો.
ધન રાશિ ઉપાય
ઘરમાં પીળા ફૂલો લગાવવા અને પીપળાના વૃક્ષની પૂજા કરવી તમારા માટે શુભ રહેશે.
મકર રાશિ ઉપાય
વાંદરાઓને ખવડાવવા અને ધાર્મિક સ્થળે અખરોટનું દાન કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.
કુંભ રાશિ ઉપાય
શનિવારે કીડીઓને લોટ અને ખાંડનું મિશ્રણ (કિડિયારું) ખવડાવવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થશે.
મીન રાશિ ઉપાય
નિયમિત રીતે ગાયોની સેવા કરો. શુક્રવાર કે સોમવારે ગાયોને ખવડાવવાથી સૌભાગ્ય અને માનસિક શાંતિ બંને મળશે.
ડિસ્ક્લેમર- આ લેખ માત્ર માહિતી પુરી પાડવા માટે છે. કોઈપણ ઉપાયો કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતોની સલાહ ચોક્કસ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us