વૃંદાવનથી જરૂર લાવો આ 2 વસ્તુઓ, દરેક દુઃખ-દર્દ થશે દૂર, દરેક કામમાં મળશે સફળતા

મથુરાના વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિરને પ્રતિષ્ઠિત મંદિરોમાંથી એક માનવામાં આવે છે. વૃંદાવન અને મથુરા શ્રી કૃષ્ણની લીલાઓથી ભરપૂર છે. ત્યાં જવાથી જ તમારું મન કૃષ્ણમય બની જાય છે

Written by Ashish Goyal
April 28, 2024 23:14 IST
વૃંદાવનથી જરૂર લાવો આ 2 વસ્તુઓ, દરેક દુઃખ-દર્દ થશે દૂર, દરેક કામમાં મળશે સફળતા
મથુરાના વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિરને પ્રતિષ્ઠિત મંદિરોમાંથી એક માનવામાં આવે છે. (PC-Insta/Merebankeybihari)

Vrindavan Darshan: મથુરાના વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિરને પ્રતિષ્ઠિત મંદિરોમાંથી એક માનવામાં આવે છે. અહીં આવેલા ઠાકુરજીના 7 મંદિરોમાંથી એક છે. દરરોજ હજારો લોકો બાંકે બિહારીના દર્શન કરવા પહોંચે છે. બાંકે બિહારીના ઘણા રહસ્યો છે, જે બધાને આશ્ચર્યચકિત કરે છે. વૃંદાવન અને મથુરા શ્રી કૃષ્ણની લીલાઓથી ભરપૂર છે. ત્યાં જવાથી જ તમારું મન કૃષ્ણમય બની જાય છે. બાંકે બિહારીના દર્શન કર્યા પછી અહીં સ્થિત યમુના તટ, શ્રી રાધાવલ્લભજી, શ્રી ગોવિંદ દેવજી વગેરેના દર્શન કરીએ છીએ.

ઘણા લોકો બ્રજ રજને દર્શન કરવાની સાથે પોતાના આખા શરીરમાં લગાવે છે. બ્રજ રજ બ્રજની માટીને કહેવામાં આવે છે. બ્રજ રજનું ખૂબ જ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે તેને તમારા શરીરમાં લગાવવાથી દરેક રોગ અને દોષ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘણા લોકો માને છે કે બ્રજ રજને ઘરે લાવવું શુભ માનવામાં આવે છે, તેથી ઘણા પંડિતો માને છે કે બ્રજ રજ લાવવી શુભ માનવામાં આવે છે. જો તમે પણ વૃંદાવન ગયા છો, તો આ બે વસ્તુઓ લાવવી શુભ માનવામાં આવે છે.

વૃંદાવનથી ઘરે લાવો આ 2 વસ્તુઓ

બ્રજ ની રજ

ઘણા પંડિતો માને છે કે વૃંદાવન જ્યારે પણ આવો ત્યારે થોડી બ્રજ રજને લઇ જવી જોઈએ. તેને તમારા ઘરે તે જગ્યાએ મૂકો જ્યાં ઠાકુરજીની જગ્યા છે. રોજ સ્નાન કર્યા બાદ આ રજને પોતાના માથે અને થોડી મોંમાં મુકી દો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક રોગ અને દોષ દૂર થાય છે. આ સાથે જ અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થઈ જાય છે. આ સાથે શ્રી કૃષ્ણ અને રાધા રાનીની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો – ગ્રહ ગોચર મે 2024 : મે મહિનામાં ત્રણ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, ધન લાભનો યોગ

ઘણા પંડિતોનું માનવું છે કે વૃંદાવનથી બ્રજની રજ લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ માટીમાં ભગવાન શ્રીકૃષ્ણે બાળપણમાં ઘણી લીલાઓ કરી છે. તેને પ્રસાદ પણ માનવામાં આવે છે, કારણ કે આ એક પ્રસાદ છે જે ભગવાને બ્રજના લોકોને આપ્યો છે. આ પ્રસાદ જન્મ જન્માંતર સુધી દૂષિત થશે નહીં કે તે ક્યારેય સમાપ્ત થશે નહીં.

આ સ્થળે શ્રી કૃષ્ણ અને રાધા રાણી પોતે વસે છે. આવી સ્થિતિમાં, અહીંની માટી કોઈ અમૃતથી ઓછી નથી. બ્રજની રજ લાવવા અંગે બે મત છે. કેટલાક પંડિતો માને છે કે તેને ઘરે લઈ જવી જોઈએ. સાથે જ કેટલાક લોકો કહે છે કે આમા બધા દેવી-દેવતાઓ હોવાની સાથે વર્ષો સુધી તપસ્યા કરતી વખતે ઋષિ આ રજમાં મળવાની ઈચ્છા રાખ છે. આવી સ્થિતિમાં જ્યારે તમે આ રજને તમારા ઘરે લઈ જાઓ છો, ત્યારે તે રુષ્ટ થાય છે.

યમુનાનું પાણી

પંડિતો કહે છે કે જેમ ગંગાનું પાણી પવિત્ર છે. એ જ રીતે વૃંદાવનમાંથી યમુનાનું થોડું પાણી લેવું જોઈએ. કારણ કે આ યમુનાજીમાં શ્રી કૃષ્ણેએ ઘણી લીલાઓ કરી છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે ધર્મગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ