/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/palmistry-lucky-sings-in-hands.jpg)
Lucky Signs on Palm: વ્યક્તિની હથેળીનું વિશ્લેષણ કરીને તેના વ્યક્તિત્વ, દાંપત્ય જીવન, કરિયર અને બિઝનેસ વિશે જાણી શકાય છે (તસવીર - જનસત્તા)
Lucky Signs on Palm: વ્યક્તિની હથેળીનું વિશ્લેષણ કરીને તેના વ્યક્તિત્વ, દાંપત્ય જીવન, કરિયર અને બિઝનેસ વિશે જાણી શકાય છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા હાથમાં કેટલાક એવા શુભ નિશાન હોય છે, જે હોય તો વ્યક્તિ ખૂબ ધનવાન હોય છે. સાથે જ વ્યક્તિ હંમેશા ભાગ્યશાળી બની જાય છે. વ્યક્તિને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. આવો જાણીએ આ ચિન્હો કયા છે.
લોકો બને છે અમીર
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથમાં ચક્ર જેવું ચિહ્ન હોય તો તેને શુભ માનવામાં આવે છે. આવી વ્યક્તિને સમયાંતરે આકસ્મિક લાભ મળે છે. આ સિવાય જો તે અંગુઠા પર હોય તો આવા લોકોને પોતાના જીવનમાં ભૌતિક સુખ મળી શકે છે. આ ઉપરાંત તેઓ પૈતૃક સંપત્તિનો પણ આનંદ મળે છે. સાથે જ આ લોકોને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે.
હાથમાં ગજનું નિશાન
જો કોઈ વ્યક્તિના હાથમાં ગજનું ચિહ્ન હોય તો તે ખૂબ જ બુદ્ધિશાળી અને દૂરદર્શી હોય છે. સાથે જ આવા લોકો ભાગ્યથી પણ ભરપૂર હોય છે. આવા લોકો મોટા બિઝનેસમેન બની જાય છે. સાથે જ આવા લોકો ખૂબ જ સારી જિંદગી જીવે છે. આ લોકો સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે.
અઢળક સંપત્તિ મળે છે
હથેળીશાસ્ત્ર મુજબ જો કોઈ વ્યક્તિના હાથમાં માછલીનું નિશાન હોય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા લોકો દેશ-વિદેશમાં પ્રવાસ કરે છે. સાથે જ આવા લોકોને પૈસાની પણ કોઇ કમી નથી. આ લોકો સુખી જીવન જીવે છે. સાથે જ આ લોકો પાસે ઘણી પ્રોપર્ટી હોય છે. સાથે જ આ લોકો બિઝનેસ અને નોકરી બન્નેથી પૈસા કમાય છે.
આ પણ વાંચો - મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું અંતર છે? અહીં જાણો બન્ને વચ્ચેનો તફાવત અને મહત્વ
હાથમાં સ્વસ્તિકનું ચિહ્ન
જો કોઈ વ્યક્તિના હાથમાં સ્વસ્તિકનું પ્રતીક હોય તો તે ખૂબ જ શુભ હોય છે. આવા લોકો ભાગ્યશાળી હોય છે. આ લોકોને લક્ઝુરિયસ લાઈફ જીવવાનો શોખ હોય છે. આવા લોકો મંત્રી હોય છે અથવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોય છે. આ લોકોને જીવનના તમામ ભૌતિક સુખો પણ મળે છે.
જો X નિશાની હોય તો
હસ્તક રેખા પ્રમાણે જે લોકોની હથેળીમાં મસ્તિક રેખા અને હ્રદય રેખાની વચ્ચે (X)નું ચિહ્ન હોય છે તો આવા લોકોને ભાગ્યશાળી માનવામાં આવે છે. જેમના હાથમાં આ સંકેત હોય છે, આવા લોકો પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે. સાથે જ આ લોકોનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે. આ લોકો મનમોજી સ્વભાવના હોય છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us