Mahakumbh 2025 : મહાકુંભ જઇ રહ્યા છો તો આ ઘાટો પર જરૂર સ્નાન કરજો, દરેકનું છે પોતાનું અલગ મહત્વ

Mahakumbh 2025 : મહાકુંભમાં જઇ રહ્યા છો તો ત્યાં કેટલાક પવિત્ર ઘાટ પર ચોક્કસપણે સ્નાન કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને ઘરમાં સુખ-શાંતિ લાવી શકે છે

Mahakumbh 2025 : મહાકુંભમાં જઇ રહ્યા છો તો ત્યાં કેટલાક પવિત્ર ઘાટ પર ચોક્કસપણે સ્નાન કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને ઘરમાં સુખ-શાંતિ લાવી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
mahakumbh 2025, mahakumb

Mahakumbh 2025 : મહાકુંભ 2025ની પૂર્ણાહુતિ થઇ ગઇ છે છતાં સંગમના તટ પર હજુ પણ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે (Express photo/ Vishal Srivastava)

Mahakumbh 2025 : પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરી 2025થી થઈ ગઈ છે. આ વિશાળ મેળામાં પવિત્ર ઘાટ પર સમગ્ર વિશ્વમાંથી ભક્તો, સંતો-મહંતો ડૂબકી લગાવવા પહોંચે છે. આ વખતે પણ મહાકુંભ દરમિયાન કરોડો લોકો પહોંચશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મહાકુંભને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે 144 વર્ષ બાદ મહાકુંભ પર એક દુર્લભ સંયોગ રચાયો છે. આવી સ્થિતિમાં, આ સમય દરમિયાન સ્નાન કરવાથી ઘણા વધુ ફાયદાઓ મળી શકે છે.

Advertisment

અહીં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનો સંગમ છે, જેને ત્રિવેણી કહેવામાં આવે છે. આ સંગમ તેને ખાસ બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે મહાકુંભમાં જોડાવા જઇ રહ્યા છો, તો ત્યાં કેટલાક પવિત્ર ઘાટ પર ચોક્કસપણે સ્નાન કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને ઘરમાં સુખ-શાંતિ લાવી શકે છે. આ સાથે જ ઘરના ગ્રહ દોષો દૂર થાય છે. તો આવો જાણીએ આ ઘાટો વિશે.

સંગમ ઘાટ

સંગમ ઘાટ મહાકુંભનો મુખ્ય અને પવિત્ર ઘાટ છે. અહીં ત્રણ નદીઓ મળે છે - ગંગા, યમુના અને સરસ્વતી. એવું કહેવામાં આવે છે કે આ ઘાટ પર સ્નાન કરવાથી બધા પાપો દૂર થાય છે અને મોક્ષ થાય છે. મહાકુંભ દરમિયાન આ ઘાટ પર ભક્તોની મોટી ભીડ પણ જોવા મળે છે.

કેદાર ઘાટ

કેદાર ઘાટ ભગવાન શિવને સમર્પિત છે. અહીં લોકો સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરે છે. આ ઘાટનું વાતાવરણ ભક્તિમય છે અને શિવભક્તોની ભીડ તેને ખાસ બનાવે છે.

Advertisment

આ પણ વાંચો - મહા કુંભ 2025 પ્રયાગરાજમાં શરૂ, ઇતિહાસ ધાર્મિક મહત્વ અને શાહી સ્નાનની તારીખ જાણો

હાંડી ફોડ ઘાટ

હાંડી ફોડ ઘાટ પ્રયાગરાજના પ્રાચીન ઘાટમાંથી એક છે. તે ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે જાણીતું છે. અહીંના શાંત લહેરો અને સુંદર દૃશ્યો લોકોને આકર્ષિત કરે છે.

દશાશ્વમેધ ઘાટ

આ ઘાટનું નામ સાંભળતા જ પૌરાણિક કથાઓ યાદ આવી જાય છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન બ્રહ્માએ અહીં 10 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા. આ કારણે તેનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે. મહાકુંભ દરમિયાન અહીં ગંગા આરતી અને પૂજા થાય છે, જે જોવા જેવી છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

મહાકુંભ ઉત્તર પ્રદેશ દેશ ધર્મ ભક્તિ