મહાશિવરાત્રીના ઉપવાસમાં શું ખાવું જોઈએ અને શું નહીં? ઉપવાસ કરનાર આ વાતોનું રાખે ધ્યાન

Mahashivratri 2025: મહાશિવરાત્રી આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે લોકો શિવની પૂજા કરે છે, વ્રત રાખે છે અને આખી રાત જાગરણ કરીને ભજન-કીર્તન કરે છે

Mahashivratri 2025: મહાશિવરાત્રી આ વર્ષે 26 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે લોકો શિવની પૂજા કરે છે, વ્રત રાખે છે અને આખી રાત જાગરણ કરીને ભજન-કીર્તન કરે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
mahashivratri 2025, mahashivratri

Mahashivratri 2025: મહાશિવરાત્રી ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ ખાસ છે

Mahashivratri 2025: મહાશિવરાત્રી ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ ખાસ છે. આ તહેવાર દર મહા વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે લોકો શિવની પૂજા કરે છે, વ્રત રાખે છે અને આખી રાત જાગરણ કરીને ભજન-કીર્તન કરે છે.

Advertisment

એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવ્યા છે, જેનું ધ્યાન રાખવું જરૂરી છે. આવી સ્થિતિમાં જાણીએ મહાશિવરાત્રીના વ્રત પર શું ખાવું અને શું નહીં?

મહાશિવરાત્રીમાં શું ખાઈ શકાય?

મહાશિવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર લોકો સફરજન, કેળા, સંતરા, દાડમ વગેરે ફળોનું સેવન કરી શકે છે. તેનાથી શરીરને ઉર્જા રહે છે અને પેટ પણ ભરેલું રહે છે. તેમજ ઉપવાસ દરમિયાન સેંધાલુણ મીઠું અને હળવા મસાલાથી બનેલો આલુદમ પણ ખાઈ શકાય છે. તમે દૂધ, દહીં, ચીઝ, છાશ પણ ખાઈ શકો છો. આ સિવાય વ્રત કરનારા લોકો બદામ, કિસમિસ, કાજુ, અખરોટ, હલવો, મખાના વગેરેનું પણ સેવન કરી શકે છે.

આ દિવસે તમે પાણી પણ પી શકો છો. મહાશિવરાત્રિ પર સાબુદાણા, ખીચડી અને કુટ્ટુના લોટથી બનેલી વસ્તુઓનું પણ સેવન કરી શકાય છે. આ વ્રત દરમિયાન તમે થંડાઇ પણ પી શકો છો.

Advertisment

આ પણ વાંચો - મહાશિવરાત્રી ભોગ થાળી સ્પેશિયલ મખાના નાળિયેર ખીર, નોંધી લો રેસીપી

મહાશિવરાત્રીએ શું ન ખાવું જોઇએ?

મહાશિવરાત્રિના દિવસે વ્રત કરતા લોકોએ લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે સફેદ મીઠાનું સેવન ન કરો. મહાશિવરાત્રીના વ્રત દરમિયાન ચોખા, ઘઉં, જવ, બાજરી, મકાઈ, ચણા,રાજમા, વટાણા વગેરે જેવા અનાજથી દૂર રહેવું. ઉપવાસ દરમિયાન માંસાહાર અને દારૂથી દૂર રહો.

મહાશિવરાત્રીનું મહત્વ

મહાશિવરાત્રીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ભોલેનાથ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા અને આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી લગ્નના બંધનમાં બંધાયા હતા. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર અભિષેક કરવા અને 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ અને સમૃદ્ધિ આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો આ વ્રતને આદર સાથે રાખે છે, તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ રહે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

તહેવાર ધર્મ ભક્તિ મહાશિવરાત્રી