Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો સાચી તિથિ, મુહૂર્ત અને જળાભિષેકનો સમય

mahashivratri date puja shubh muhurat: મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા સાથે વ્રત રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગમાં માત્ર જળાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.

Written by Ankit Patel
February 21, 2025 14:26 IST
Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો સાચી તિથિ, મુહૂર્ત અને જળાભિષેકનો સમય
મહાશિવરાત્રી મુહૂર્ત અને જળાભિષેકનો સમય - photo- freepik

Maha Shivratri 2025: હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે. દર વર્ષે મહા માસના વદ પક્ષની તેરસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા સાથે વ્રત રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવલિંગમાં માત્ર જળાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી શકે છે.

આ વખતે ચતુર્દશી તિથિ બે દિવસ દૂર હોવાને કારણે મહાશિવરાત્રીનો તહેવાર કયો દિવસ ઉજવવા માટે શુભ હોઈ શકે તે અંગે મૂંઝવણ છે. ચાલો જાણીએ મહાશિવરાત્રીની ચોક્કસ તારીખ, ચાર પ્રહર સાથે જલાભિષેકનો શુભ સમય અને મહત્વ.

મહાશિવરાત્રી 2025 ક્યારે છે?

વૈદિક કેલેન્ડર અનુસાર મહા વદ તેરસની તિથિ 26 ફેબ્રુઆરીના રોજ સવારે 11:08 વાગ્યે શરૂ થશે અને 27 ફેબ્રુઆરીએ સવારે 8:54 વાગ્યે સમાપ્ત થશે. સામાન્ય રીતે મોટાભાગના ઉપવાસોમાં ઉદયા તિથિનું વિશેષ મહત્વ હોય છે. પરંતુ મહાશિવરાત્રિમાં રાત્રી પૂજાની પરંપરા છે, તેથી મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.

મહા શિવરાત્રી પર ચાર પ્રહરની પૂજાનો સમય

નિશીથ કાલનો સમય – 27મી ફેબ્રુઆરીના રોજ, નિશીથ કાલ બપોરે 12:09 PM થી 12:59 PM સુધીનો રહેશે.

પ્રથમ પ્રહર પૂજાનો સમય – 26 ફેબ્રુઆરી સાંજે 6.19 થી 9.26 સુધીબીજા પ્રહર પૂજાનો સમય – 26મી ફેબ્રુઆરીના રોજ રાત્રે 9.26 વાગ્યાથી 27મી ફેબ્રુઆરીના રોજ સવારે 12.34 વાગ્યા સુધી.ત્રીજા પ્રહર પૂજાનો સમય – 27મી ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ 12:34 થી સવારે 3:41 સુધીચોથા પ્રહર પૂજાનો સમય – 27મી ફેબ્રુઆરીએ સવારે 3.41 થી 6.48 સુધી

મહાશિવરાત્રી 2025 ના રોજ જળાભિષેક માટેનો શુભ સમય

મહાશિવરાત્રીના દિવસે શિવલિંગનો જળાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મહાશિવરાત્રીના દિવસે સવારથી જ જળાભિષેક કરી શકાશે. પંચાંગ અનુસાર આ દિવસે સવારે 6.47 થી 9.42 સુધી રહેશે.

આ પછી સવારે 11:06 થી 12:35 સુધી જળ ચઢાવો અને પછી બપોરે 3:25 થી 6:08 સુધી જલાભિષેક પણ કરી શકો છો. આ સાથે અંતિમ જળાભિષેકનો સમય સવારે 8:54 કલાકે શરૂ થશે અને 12:01 સુધી ચાલશે.

મહાશિવરાત્રી 2025નું મહત્વ

શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન મહાશિવરાત્રીના દિવસે થયા હતા. આ કારણે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા સાથે વ્રત રાખવાની પરંપરા છે. તેની સાથે જ ભગવાન શિવનો જળાભિષેક કરવાથી તે ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે શિવની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ, શશ, માલવ્ય જેવા રાજયોગની રચના થઈ રહી છે.

આ પણ વાંચોઃ- Mahashivratri 2025 Upay: મહાશિવરાત્રિ પર કરો ચમત્કારી ઉપાય, ધન સંપત્તિ પ્રાપ્ત થશે, શંકર ભગવાનની કૃપા રહેશે

મહાશિવરાત્રી પર આ મંત્રોનો જાપ કરો

મહાશિવરાત્રીના અવસર પર ભગવાન શિવની વિધિવત પૂજા કરવાની સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.

ચંદ્ર બીજ મંત્ર – ઓમ શ્રાં શ્રીં શ્રૌ સઃ ચંદ્રમસે નમઃચંદ્ર મૂળ મંત્ર – ઓમ ચં ચંદ્રમસે નમઃ

ઓમ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમઉર્વારુકમિવ બંન્ધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાતઓમ નમઃ શિવાયઓમ હૌં જૂં સઃ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ