Makar Sankranti 2025 : મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો દાન, જાણો મહત્વ

Makar Sankranti 2025 : મકરસંક્રાંતિ પર કરવામાં આવેલું સ્નાન અને દાન અનેક ગુણ આપે છે અને જીવનમાં સુખ અને શાંતિ લાવે છે

Makar Sankranti 2025 : મકરસંક્રાંતિ પર કરવામાં આવેલું સ્નાન અને દાન અનેક ગુણ આપે છે અને જીવનમાં સુખ અને શાંતિ લાવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
makar sankranti 2025 muhurat, makar sankranti 2025

Makar Sankranti 2025 Date and Time : મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપિક)

Makar Sankranti 2025 Date and Time : મકરસંક્રાંતિનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે એ સમયે આવે છે જ્યારે સૂર્ય ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે આ તહેવાર 14 જાન્યુઆરી 2025 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ગંગામાં સ્નાન, પૂજા અને દાન-પુણ્યનું વિશેષ મહત્વ હોય છે.

Advertisment

એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ પર કરવામાં આવેલું સ્નાન અને દાન અનેક ગુણ આપે છે અને જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. આ ઉપરાંત આ દિવસે પિતૃઓને તર્પણ અને પિંડદાનનું વિધાન છે. આવી સ્થિતિમાં મકરસંક્રાંતિ પર સ્નાન-દાનનું શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ વિશે જાણીએ.

મકરસંક્રાંતિ 2025 તારીખ

વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી 2025 મંગળવારના રોજ ઉજવવામાં આવશે. વૈદિક પંચાંગ મુજબ સૂર્ય આ દિવસે સવારે 9.03 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે.

મકરસંક્રાંતિ 2025 પર સ્નાન-દાનનું શુભ મુહૂર્ત

  • અભિજીત મુહૂર્ત- 12:09 pm થી 12:51 PM
  • વિજય મુહૂર્ત- 02:15 PM થી 02:57 PM
  • ગોધૂલી મુહૂર્ત- 05:43 PM થી 06:10 PM
  • સાયન સંધ્યા - 05:46 PM થી 07:07 PM
  • અમૃત કાલ- 07:55 AM થી સવારે 09:29 AM
  • મકર સંક્રાંતિ પુણ્ય કાલ - સવારે 09:03 થી સાંજે 05:46 સુધી
  • મકર સંક્રાતિ મહા પુણ્ય કાલ - સવારે 09:03 સવારે 10.48 સુધી
Advertisment

આ પણ વાંચો -  મકરસંક્રાંતિના ખાસ મેસેજ, સ્ટેટસ અને શાયરી

મકરસંક્રાંતિનું મહત્વ

કમૂર્તા દરમિયાન લગ્ન કે ગૃહ પ્રવેશ જેવા કોઈ પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી. પરંતુ મકરસંક્રાંતિથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. મકરસંક્રાંતિ પર દાન કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે તલ, ગોળ, ખીચડી, ચોખા અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને તર્પણ અને પિંડદાન કરવાથી તેમના આત્માને મળે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

મકર સંક્રાંતિ તહેવાર ઉત્તરાયણ ધર્મ ભક્તિ