/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/makar-sankranti-2026-.jpg)
Makar Sankranti 2026 : હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે
Makar Sankranti 2026 Date and Time : હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાન અને સ્નાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય દેવ શનિના સ્વામિત્વ વાળી મકર રાશિમાં પ્રવેશ કરે છે. મતલબ કે તે તેમના પુત્ર શનિના ઘરમાં પ્રવેશ કરે છે. આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ જાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે મકર સંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.
મકર સંક્રાંતિનો તહેવાર દેશના અલગ-અલગ ભાગોમાં અલગ-અલગ નામો સાથે ઉજવવામાં આવે છે. જેમ કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં મકર સંક્રાંતિ અથવા ખીચડી તહેવાર, પંજાબ અને હરિયાણામાં લોહડી, તમિલનાડુમાં પોંગલ, આસામમાં માઘ બિહુ અથવા ભોગ્લી બિહુ. મકર સંક્રાંતિ પર સ્નાન અને દાનનું મુહૂર્ત ક્યારે છે અને આ દિવસે દાન પૂર્ણ્ય કરવાનું મહત્વ શું છે ચાલો જાણીએ.
મકર સંક્રાંતિ 2026 તારીખ અને દાન-સ્નાનનું શુભ મુહૂર્ત
વૈદિક પંચાગ અનુસાર 14 જાન્યુઆરીએ સંક્રાંતિનો સમય સાંજે 03:13 વાગ્યાનો રહેશે. જ્યારે મકર સંક્રાંતિ 2026નો શુભ સમયગાળો બપોરે 03:13 થી સાંજના 05:45 ની વચ્ચે હશે. આ સમયગાળો 02 કલાક અને 32 મિનિટનો રહેશે. 2026માં મકરસંક્રાંતિનો મહા પુણ્યકાળ 03:13 થી 04:58 ની વચ્ચે હશે. તેનો સમયગાળો 01 કલાક અને 45 મિનિટનો રહેશે.
આ પણ વાંચો - મની પ્લાન્ટમાં બાંધી દો આમાંથી કોઇ 1 ખાસ વસ્તુ, મા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે
મકર સંક્રાંતિનું મહત્વ
મકર સંક્રાંતિ પર તલ અને ગોળના લાડુ, રેવડીનું વિતરણ કરવામાં આવે છે. આ દિવસે ભોજન, કમ્બલ, ઘી, કપડાં, ચોખા, દાળ, શાકભાજી, મીઠું અને ખીચડીનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિનું બની રહે છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરનારને માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us