Hans And Malavya Rajyog: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. ઉલ્લેખનીય છે કે ગુરુ ગ્રહ મીન રાશિમં ગોચર કરી રહ્યા છે. શુક્ર ગ્રહ પણ મીનમાં ગોચર કરી રહ્યું છે. શુક્ર ગ્રહને વિલાસતા, ભૌતિક સુખ, સંસારિક સુખ, વૈભવ, ધન, સંગીત કલાનો કારક માનવામાં આવે છે. જ્યારે ગુરુ ગ્રહને જ્ઞાન, ઉન્નતિ, સુખ, સંપત્તિનો કારક માનવામાં આવે છે. ગુરુ અને શુક્રની મીનમાં યુતિ 12 વર્ષબાદ બની રહી છે. સાથે જ આ ગ્રહની યુતિ સાથે માલવ્ય અને હંસ નામનો રાજયોગ પણ બની રહ્યો છે. જેનાથી ત્રણ રાશિના જાતકોને ધનલાભ અને ઉન્નતિનો યોગ બની રહ્યો છે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઇ છે.
કર્ક રાશિ (Cancer Zodiac)
કર્ક રાશિના જાતકો માટે હંસ અને માલવ્ય રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ અને શુક્ર તમારી રાશિના ભાગ્ય સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે. એટલા માટે તમને ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે જ આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ખુબ જ મજબૂત થશે. જે કામ તમારા રોકાયેલા છે તે બનવાના સંકેત છે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. નોકરીના શોધમાં ફરી રહેલા લોકોને નોકરીની સારી તક મળી શકે છે. આ સાથે જ આ સમયમાં પ્રતિયોગી વિદ્યાર્થીઓ માટે સારી સાબિત થઈ શકે છે. મતલબ કે પરીક્ષામાં પાસ થઈ શકે છે.
આ પણ વાંચોઃ- હંમેશા ગર્વભેર જીવે છે આ ત્રણ રાશિની યુવતીઓ, હોય છે આખાબોલી અને સાહસી
ધન રાશિ (Dhanu Zodiac)
માલવ્ય રાજ યોગ બનવાથી ધનુ રાશિના લોકોને ધન અને ભૌતિક સુખો મળી શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ચોથા ભાવમાં બની રહ્યો છે. એટલા માટે આ સમયે તમારા કામ પૂરા થશે. તેની સાથે જ સુવિધાઓમાં પણ વધારો થશે. સાથે જ હંસ રાજ યોગ પણ બની રહ્યો છે. તેથી જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો, તો પછી તમે કોઈપણ પદ મેળવી શકો છો. તે જ સમયે, વ્યવસાયમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. આ સાથે તમે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું પણ મન બનાવી શકો છો. બીજી તરફ, નોકરી કરતા લોકો માટે એપ્રિલ અથવા એપ્રિલ પછી ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશનની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ- ધન-સંપત્તિના દાતા શુક્ર દેવ મેષ રાશિમાં કરશે ગોચર, આ રાશિઓના ખુલી જશે કિસ્મતના દ્વાર, સફળતાના યોગ
મીન રાશિ (Meen Zodiac)
મીન રાશિના લોકો માટે હંસ અને માલવ્ય રાજયોગની રચના સારી સાબિત થઈ શકે છે. એટલા માટે સમય તમારી હિંમત અને શક્તિમાં વધારો કરશે. તમને ભાઈ-બહેનોનો જ સહયોગ મળશે. બીજી તરફ જે લોકોનું કામ વિદેશથી સંબંધિત છે તેમને સારો લાભ મળી શકે છે. જો તમે આ સમયે કોઈ જમીન ખરીદવા અથવા વેચવા માંગતા હોવ તો આ કાર્ય માટે આ સમય અનુકૂળ છે.
તેમજ આ સમયે તમારી આવક અપેક્ષા કરતા વધુ વધી શકે છે. ઉપરાંત, આ સમયે તમને કાર્યસ્થળ પર વરિષ્ઠ અને જુનિયરનો સહયોગ મળી શકે છે.