/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/evening.jpg)
મનુસ્મૃતિમાં એવા 5 કામો બતાવવામાં આવ્યા છે જે સાંજે બિલકુલ ન કરવા જોઈએ (Pics - Freepk)
Astrology : આજના સમયમાં દરેક વ્યક્તિ સુખ, સમૃદ્ધિ, ધન અને યશથી સૌભાગ્ય મેળવવા માંગે છે. આ સાથે જ જીવનમાં ખુશીઓ આવે તે માટે તે મહેનત કરે છે પરંતુ ઘણી વખત મહેનત કરવા છતાં જીવનમાં ખુશી મળતી નથી. શાસ્ત્રો અનુસાર દિનચર્યામાં કરવામાં આવેલા કેટલાક કામ જીવનમાં પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. આ સાથે દેવી લક્ષ્મી પ્રસન્ન રહેતા નથી.
મનુસ્મૃતિમાં એવા પાંચ કામો બતાવવામાં આવ્યા છે જે સાંજે બિલકુલ ન કરવા જોઈએ. આમ કરવાથી ગરીબી તમને છોડતી નથી. ચાલો જાણીએ કે સાંજે કયા-કયા કામો કરવાની મનાઈ છે.
મનુસ્મૃતિ શાસ્ત્ર માનવ, ધર્મ અને શાસ્ત્રોનું મિશ્રણ છે. તેને દુનિયામાં આવનાર પ્રથમ વ્યક્તિ મનુએ લખ્યું હતું. જેમનો જન્મ સૃષ્ટિના રચયિતા બ્રહ્માના મનન સંકલ્પથી થયો હતો. બાદમાં મનુસ્મૃતિ ગ્રંથ ઋષિઓને સોંપવામાં આવ્યો હતો. કહેવાય છે કે મનુસ્મૃતિમાં ભગવાન બ્રહ્માની વાણી છે.
શ્લોક
ચત્વારખિલુ કાર્યાણી સંધ્યાકાલે વિવર્જયતે
આહારં મૈથુનં નિદ્રાં સ્વાધ્યાયન્ચ ચર્તુર્થકમ.
મનુસ્મૃતિના આ શ્લોક મુજબ સૂર્યાસ્ત સમયે ભોજન ન કરવું જોઈએ, ઊંઘવું ન જોઈએ, પ્રેમ પ્રસંગોથી બચવું જોઈએ, વેદ અને શાસ્ત્રોનું અધ્યયન અને પૈસાની લેવડદેવડ ટાળવી જોઈએ.
સાંજના સમયે ભોજન ન કરશો
મનુ સ્મૃતિના જણાવ્યા અનુસાર સૂર્યાસ્ત સમયે ભોજન કરવાની મનાઈ છે. આ સમયે ખોરાક ખાવાથી પ્રાણી યોનિમાં વ્યક્તિનો જન્મ થાય છે. તેથી સૂર્યાસ્ત સમયે ક્યારેય ભોજન ન કરો.
આ પણ વાંચો - રક્ષાબંધનમાં પંચક અને ભદ્રાનો પડછાયો, જાણો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
સૂર્યાસ્ત સમયે ઊંઘવું નહીં
એવું કહેવામાં આવે છે કે સૂર્યાસ્ત સમયે ક્યારેય ઊંઘવું જોઈએ નહીં. આ સમયે તમારે પૂજા કરવી જોઈએ. આ સમયે ઊંઘવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા વાસ કરે છે.
આ સમયે સ્ત્રી-પુરુષે પ્રેમ પ્રસંગથી બચવું જોઈએ
મનુસ્મૃતિ અનુસાર સૂર્યાસ્ત સમયે કામ ભાવના પર નિયંત્રણ રાખવું જોઈએ. આ સમયે સ્ત્રી-પુરુષે પ્રેમ પ્રસંગથી બચવું જોઈએ. કહેવાય છે કે આ સમયે ગર્ભધારણથી જન્મેલા બાળકને પોતાના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સાંજે અભ્યાસ પણ ન કરવો
સાંજે વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ પણ ન કરવો જોઈએ. આ સમય સાધના અને ધ્યાન માટે સારો માનવામાં આવે છે.
પૈસાની લેવડદેવડ
સાંજના સમયે કોઈને પૈસા ન આપવા જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી તે વ્યક્તિના ઘરે ચાલ્યા જાય છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us