લગ્ન રેખા : હાથની આવી રેખાઓ અને ચિન્હો દર્શાવે છે બહુ લગ્નના યોગ, લગ્નજીવન રહે છે મુશ્કેલીમાં

Palmistry, Marriage line, લગ્ન રેખા : હસ્તરેખા શાસ્ત્ર પ્રમાણે હાથની રેખાઓ ઉપરથી વ્યક્તિનું ભવિષ્ય નક્કી થાય છે. હાથમાં લગ્ન રેખાની સ્થિતિ અને સંયોગથી વ્યક્તિના લગ્નનો યોગ અને લગ્નજીવનનું ભવિષ્ય જાણી શકાય છે.

Written by Ankit Patel
March 05, 2024 15:24 IST
લગ્ન રેખા : હાથની આવી રેખાઓ અને ચિન્હો દર્શાવે છે બહુ લગ્નના યોગ, લગ્નજીવન રહે છે મુશ્કેલીમાં
હસ્તરેખાશાસ્ત્ર દ્વારા લગ્ન રેખાના સંકેતો સમજો- પ્રતિકાત્મક તસવીર - photo credit- freepik

Marriage Line in Your Palm : કહેવાય છે કે લોકોનું નસિબ હાથોની લકીરો પર નિર્ભર કરે છે. હસ્તરેખાનું માનવના જીવનમાં આગવું મહત્વ હોય છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હાથની રેખાના આધારે મનુષ્યના ભુતકાળ, ભવિષ્ય અને વર્તમાન દર્શાવે છે. વ્યક્તિની પરિસ્થિતિને તેના હાથની રેખાઓ વાંચીને જાણી શકાય છે. તેની સાથે વ્યક્તિના વૈવાહિક જીવન, કરિયર અને સ્વાસ્થ્ય વિશે પણ જાણી શકાય છે. અહીં આપણે વાત કરવાના છીએ. હાથ પર કઈ લગ્ન રેખાઓ અને સંયોજનો છે? જે બીજા લગ્નની શક્યતાઓ દર્શાવે છે. વ્યક્તિનું વૈવાહિક જીવન ઉતાર-ચઢાવથી ભરેલું હોય છે. ચાલો આ રેખાઓ અને સંયોજનો વિશે જાણીએ.

હાથમાં અહીં હોય છે લગ્ન રેખા

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર હાથની નાની આંગળીની નીચે હાથના બહારના ભાગથી શરૂ થતી અને હૃદય રેખાની ઉપર અને બુધ પર્વત તરફ જતી રેખાને લગ્ન રેખા કહેવામાં આવે છે.

જીવનસાથે નથી રહેતો તાલમેલ

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે લોકોની લગ્ન રેખા પાતળી અને હથેળીમાં બારીક હોય છે તેઓ વૈવાહિક જીવન પ્રત્યે ઉદાસીન હોય છે. તેમનું લગ્નજીવન પણ નિરસ છે. આ લોકો પોતાના જીવનસાથી પર ઓછું ધ્યાન આપે છે. જીવનસાથી સાથે વૈવાહિક મતભેદો પણ છે.

એકથી વધુ લગ્નની શક્યતાઓ

જો કોઈ વ્યક્તિના હાથમાં બે લગ્ન રેખાઓ સમાન હોય તો વ્યક્તિના બે લગ્ન થઈ શકે છે. વળી તે વ્યક્તિ બંને માટે સમાન પ્રેમ રાખશે. પરંતુ જો કોઈ રેખા પાતળી અને ઓછી ઊંડી હોય તો શક્ય છે કે વ્યક્તિના લગ્ન એક જ હોય ​​પરંતુ તેનો પ્રેમ બીજા કોઈ માટે પણ એટલો જ ઊંડો હોય.

હસ્તરેખા શાસ્ત્ર, How to know your future by palmistry
હસ્તરેખાશાસ્ત્ર થકી વ્યક્તિનું ભવિષ્ય જોવું photo credit – freepik

આ પણ વાંચોઃ- અંકશાસ્ત્ર : આ જન્મતારીખ ધરાવતા લોકો શરમાળ સ્વભાવના હોય છે, પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતા નથી

વિવાહિત જીવન દુઃખદાયક

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની હથેળીમાં લગ્ન રેખા સ્પષ્ટ અને સ્વચ્છ હોય પરંતુ તેમાંથી નીકળતી ઘણી રેખાઓ હૃદય રેખા તરફ જતી હોય તો આવા વ્યક્તિના જીવનસાથી બીમાર હોય છે. સાથે જ લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત નાની નાની બાબતો ઉપર જીવનસાથી સાથે ઝઘડાઓ થવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- 30 વર્ષ પછી કુંભ રાશિમાં બનશે શનિ – મંગળનો વિધ્વંસક યોગ, જાણો દેશ – દુનિયા, શેર બજાર અને 12 રાશિઓ પર અસર થશે

લગ્ન રેખા મધ્યમાં તૂટેલી

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથ પર લગ્ન રેખા મધ્યમાં તૂટી જાય છે, તો તે વૈવાહિક વિચ્છેદ સૂચવે છે. જો કોઈ વ્યક્તિના બંને હાથમાં લગ્ન રેખાની શરૂઆતમાં બે શાખાઓ હોય તો તે વ્યક્તિનું લગ્નજીવન તૂટી શકે છે. વળી થોડા વર્ષો પછી બીજા લગ્નની પણ શક્યતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ