Mauni Amavasya 2026 : મૌની અમાસ ક્યારે છે 18 કે 19 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Mauni Amavasya 2026 Date And Significance : મૌની અમાસને તમામ અમાસ તિથિઓમાં શ્રૈષ્ઠ મનાય છે. મૌની અમાસ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવે છે. આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ મુહૂર્ત.

Mauni Amavasya 2026 Date And Significance : મૌની અમાસને તમામ અમાસ તિથિઓમાં શ્રૈષ્ઠ મનાય છે. મૌની અમાસ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવે છે. આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ મુહૂર્ત.

author-image
Ajay Saroya
New Update
mauni amavasya 2026 | mauni amavasya 2026 date | mauni amavasya tithi

Mauni Amavasya 2026 In Gujarati : મૌની અમાસ માગશર માસની અમાસ તિથિ પર ઉજવાય છે. Photograph: (Social Media)

Mauni Amavasya 2026 Date, Shubh Muhurat Time And Significance : સનાતન ધર્મમાં મૌની અમાસનું વિશેષ મહત્વ છે. વૈદિક કેલેન્ડર અનુસાર, માગશર મહિનામાં આવતી અમસાને મૌની અમાવસ્યા અને માઘ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિ પર ઋષિ મનુનો જન્મ થયો હતો. એવી માન્યતા છે કે આ દિવસે ગંગાનું જળ અમૃત જેવું પુણ્ય છે.

Advertisment

આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિને અક્ષય ફળ મળે છે અને જીવનમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક લાભ મળે છે. આ તિથિ પૂર્વજોને સમર્પિત પણ માનવામાં આવે છે. આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવા જોઈએ. આમ કરવાથી, પૂર્વજો પ્રસન્ન અને આશીર્વાદ આપે છે. ચાલો જાણીએ 2026માં મૌની અમાસ ક્યારે છે, તારીખ અને શુભ સમય.

મૌની અમાસ 2026 તારીખ : Mauni Amavasya 2026 Date

વૈદિક કેલેન્ડર અનુસાર, માગશર મહિનાની અમાસની તારીખ 18 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 12:04 વાગ્યે શરૂ થઈ રહી છે. જે 19 જાન્યુઆરી, 2026 ના રોજ સવારે 1:22 વાગ્યે સમાપ્ત થઇ રહી છે. આવી સ્થિતિમાં, 18 જાન્યુઆરી 2026 ના રોજ મૌની અમાસ ઉજવવામાં આવશે.

મૌની અમાસ શુભ મુહૂર્ત 2026 : Mauni Amavasya 2026 Shubh Muhurat 

પંચાંગ અનુસાર, આ દિવસે શિવાવાસ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમને જણાવી દઉં કે, શિવાવાસ યોગ શિવશક્તિજીની આરાધનાથી સુખ અને સૌભાગ્ય વધશે. સાથે બગડેલા કામ બનવા લાગશે. આ તિથિ પર પૂજા કરવાનું બમણું ફળ મળે છે..

Advertisment

મૌની અમાસ ધાર્મિક મહત્વ : Mauni Amavasya Significance

મૌની અમસાને તમામ અમાસ તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે દાન કરવાની અને મૌન વ્રત રાખવાની પરંપરા છે. આમ કરવાથી મનને શાંતિ મળે છે. આ સાથે જ પવિત્ર નદી, ખાસ કરીને ગંગામાં સ્નાન કરવું અને દાન કરવાનું પણ આ દિવસે વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ કાર્યો કરવાથી સાધકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે પૂર્વજો માટે શ્રાદ્ધા અને તર્પણ કરવાની પરંપરા છે. આમ કરવાથી વંશ વૃદ્ધિ થવાની સંભાવના છે.

તહેવાર ધર્મ ભક્તિ