Mokshada Ekadashi Vrat Katha: મોક્ષદા એકાદશી વ્રત આ કથા વગર અધુરું, પૂર્વજોના મોક્ષ માટે જરૂર સાંભળો

Mokshada Ekadashi vrat Katha in Gujarati 2025 : મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિની મનોકામના પુરી થાય છે અને પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય છે. વાંચો મોક્ષદા એકાદશી વ્રતની પૌરાણિક કથા.

Mokshada Ekadashi vrat Katha in Gujarati 2025 : મોક્ષદા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિની મનોકામના પુરી થાય છે અને પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થાય છે. વાંચો મોક્ષદા એકાદશી વ્રતની પૌરાણિક કથા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Mokshada Ekadashi 2025 Vrat Katha | Mokshada Ekadashi 2025 Date | Mokshada Ekadashi | Ekadashi 2025 | Ekadashi 2026

Mokshada Ekadashi Vrat Katha : મોક્ષદા એકાદશી વ્રત માગસર સુદ અગિયારસ તિથિ પર રાખવામાં આવે છે.

Mokshada Ekadashi 2025 Vrat Katha: વૈદિક પંચાંગ અનુસાર માગશર સુદ અગિયારસ તિથિને મોક્ષદ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણ એ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી જ આ દિવસ ગીતા જયંતી તરીકે પણ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પણ આ તારીખ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને અને પિંડદાન જેવી ધાર્મિક વિધિઓ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે.

Advertisment

આ વર્ષે મોક્ષદા એકાદશી 1 ડિસેમ્બરે છે. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, પૂજા પછી વ્રત કથા વાંચવી જરૂરી માનવામાં આવે છે. નહીં તો પૂજા અધૂરી રહે છે. સાથે જ પૂજાનું ફળ મળતું નથી. ચાલો જાણીએ એકાદશી વ્રતની કતા

Mokshada Ekadashi 2025 Date : મોક્ષદા એકાદશી 2025 ક્યારે છે?

હિંદુ પંચાર અનુસાર, મોક્ષદા એકાદશીની તારીખ 30 નવેમ્બર, રવિવારે રાત્રે 9:31 વાગ્યે શરૂ થશે અને 1 ડિસેમ્બરે સાંજે 7:01 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તારીખ અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત 1 ડિસેમ્બર 2025ના રોજ રાખવામાં આવશે.

Mokshada Ekadashi 2025 Vrat Katha In Gujarati : મોક્ષદા એકાદશી વ્રત કથા

Advertisment

ધાર્મિક દંતકથા અનુસાર, રાજા વૈખનાસ ચંપા નગરનો પ્રતાપી રાજા હતો. તેમને વેદોનું જ્ઞાન હતું. આટલો સારો રાજા મળ્યા પછી નગરવાસીઓ પણ ખૂબ જ સંતુષ્ટ અને ખુશ હતા. એકવાર સ્વપ્નમાં રાજાએ તેના પિતાને જોયા જે નરકમાં ઘણી યાતનાઓ સહન કરી રહ્યા હતા.

જ્યારે રાજાએ પોતાની પત્નીને આ વાત જણાવી ત્યારે રાણીએ તેમને આશ્રમમાં જવાનું સૂચન કર્યું. ત્યાં પહોંચીને રાજાએ પર્વત મુનિને પોતાના સ્વપ્ન વિશે કહ્યું. આખી વાત સાંભળ્યા પછી, ઋષિએ રાજાને કહ્યું કે તમારા પિતાએ તેની પત્ની પર ઘણો અત્યાચાર કર્યો છે, તેથી હવે મૃત્યુ પછી તે તેમના કર્મોનું પરિણામ ભોગવી રહ્યો છે.

જ્યારે રાજાએ તેનો ઉપાય જાણવા માંગ્યો ત્યારે પર્વત મુનિએ તેમને મોક્ષદા એકાદશી વ્રત કરવાની સલાહ આપી અને કહ્યું કે તેમાંથી મળેલા ફળને તેમના પિતાને સમર્પિત કરો. રાજાએ તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરીને આ ઉપવાસ કર્યો અને તેમના પિતા પોતાના દુષ્કૃત્યોથી મુક્ત થયા. ત્યારથી, એવું માનવામાં આવે છે કે મોક્ષદા એકાદશી માત્ર જીવંત જ નહીં પરંતુ પૂર્વજોને પણ મોક્ષ અપાવે છે.

તહેવાર ધર્મ ભક્તિ