Nirjala Ekadashi 2024 : નિર્જળા અગિયારસ ક્યારે છે 17 કે 18 જૂન? જાણો તારીખ અને મહત્વ

Nirjala Ekadashi Vrat 2024 : એવી માન્યતા છે કે જે વ્યક્તિ વર્ષની ચોવીસ અગિયારસ ન કરી શકે તો તેણે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખવું જોઈએ. આવું કરવાથી અન્ય અગિયારસનો પણ લાભ મળે છે

Nirjala Ekadashi Vrat 2024 : એવી માન્યતા છે કે જે વ્યક્તિ વર્ષની ચોવીસ અગિયારસ ન કરી શકે તો તેણે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખવું જોઈએ. આવું કરવાથી અન્ય અગિયારસનો પણ લાભ મળે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
nirjala ekadashi, nirjala ekadashi vrat

હિંદુ ધર્મમાં નિર્જળા અગિયારસનું વિશેષ મહત્વ છે

Nirjala Ekadashi Vrat 2024 Date : આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિને લઈને થોડી મૂંઝવણ છે. આ વર્ષે જેઠ સુદ અગિયારસ બે દિવસ માટે આવી રહી છે જેના કારણે નિર્જળા અગિયારનું વ્રત 17 કે 18 જૂને ક્યારે રાખવામાં આવશે તે અંગે અસમંજસ છે. હિન્દુ ધર્મમાં કોઈપણ વ્રત સૂર્યોદયથી શરૂ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વર્ષે ઉદય તિથિ મુજબ નિર્જળા એકાદશી વ્રત કરવામાં આવી રહ્યું છે. આવો જાણીએ નિર્જળા એકાદશીની ચોક્કસ તારીખ, સમય અને અન્ય શુભ મુહૂર્ત.

Advertisment

નિર્જળા અગિયારસ 2024 ક્યારે છે?

દ્રિક પંચાગ અનુસાર જેઠ સુદ અગિયારસ તિથિ 17 જૂન સવારે 04.42 વાગ્યે શરૂ થાય છે, જે 18 જૂને સવારે 06.23 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે 18 જૂને નિર્જળા અગિયારસનું વ્રત રાખવામાં આવશે.

નિર્જળા અગિયારસ 2024 પારણાનો સમય

નિર્જળા અગિયારસના પારણાનો સમય 19 જૂનના રોજ સવારે 5.21 થી 7.28 સુધીનો છે.

આ પણ વાંચો - 100 વર્ષ પછી આ ત્રણ ગ્રહ આવશે નજીક, આ લોકો માટે નવી નોકરી સાથે અપાર આર્થિક લાભના યોગ બનશે

Advertisment

નિર્જલા અગિયારસનું મહત્વ

હિંદુ ધર્મમાં નિર્જળા અગિયારસનું વિશેષ મહત્વ છે. જેને કઠોર અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ વર્ષની ચોવીસ અગિયારસ ન કરી શકે તો તેણે માત્ર નિર્જળા એકાદશીનું વ્રત રાખવું જોઈએ. આવું કરવાથી અન્ય અગિયારસનો પણ લાભ મળે છે. આ અગિયારસ પર ભગવાન વિષ્ણુની પૂજા ખાધા-પીધા વગર ઉપવાસ કરીને કરવામાં આવે છે. તેને પાંડવ એકાદશી અને ભીમસેની અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ ભક્તિ