/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Odia-Puri-Jagannath-Temple.jpg)
ઓડિસા પુરી જગન્નાથ મંદિર photo - X @JagannathaDhaam
Jagannath Mandir Ratna Bhandar, જગન્નાથ રત્ન ભંડાર : ઓડિશાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરનું રત્ન ભંડાર (ભોંયરું) આજે 14મી જુલાઈ પછી ફરી એકવાર ખોલવામાં આવશે. આ ભોંયરું 46 વર્ષ બાદ સમારકામ માટે ખોલવામાં આવી રહ્યું છે. ભોંયરામાં સવારે 8 વાગ્યે તેને ખોલવામાં આવે તે પહેલા ભક્તોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા છે. ભોંયરું ખુલતા પહેલા જ 'આગ્ય'ની વિધિ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં રત્ન ભંડાર ફરી શરૂ કરવા મંજૂરી માંગવામાં આવી છે.
મંદિરમાં બે ખંડ છે, એક બહારનું અને એક અંદરનું. આજે અંદરની ચેમ્બર ખુલવાની છે અને તે પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ASIની ટીમ મંદિરમાં પ્રવેશી છે અને પ્રક્રિયા શરૂ કરી છે.
જગન્નાથ મંદિર રહસ્યો અને ચમત્કાર
- જગન્નાથ પુરી હિન્દુઓની આસ્થાની પ્રાચીન અને પવિત્ર સાત નગરીઓ પૈકીની એક છે
- જગન્નાથ મંદિર ભારતનું સૌથી ભવ્ય અને ઉંચું મંદિર છે. જે 4 લાખ સ્કેવર ફુટ વિસ્તારમાં ફેલાયેલું છે. જેની ઉંચાઇ અંદાજે 214 ફૂટ છે.સતયુગના રાજા ઇન્દ્રદ્યુમે જગન્નાથ મંદિર બનાવ્યું હોવાનું કહેવાય છે.
- બ્રહ્મ અને સ્કંધ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ નીલમાધવના રુપમાં અવિરત થયા અને જનજાતી માટે પરમ પૂજ્ય દેવતા બન્યા
- પુરુષોત્તમ ભગવાન હરિને અહીં ભગવાન રામના રુપમાં માનવામાં આવે છે
- રામાયણના ઉત્તરાખંડ અનુસાર વિભીષણને પોતાના ઇક્ષ્વાકુ વંશના કૂળ દેવતા ભગવાન જગન્નાથની આરાધના કરવા માટે કહેવાયું છે.
- આજે પણ પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં વિભીષણ વંદાપનાની પરંપરા કાયમ છે
- સમય જતાં નીલમાધવ શ્રીહરિ વિષ્ણુના 8મા અવતાર કૃષ્ણના રુપમાં પુજાયા
- સ્કંદ પુરાણ અનુસાર પુરી દક્ષિણવર્તી શંખ આકારમાં છે અને દરેક દિશામાંથી એનું રક્ષણ થાય છે
- જગન્નાથ મંદિર એક એવું મંદિર છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાની અધુરી મૂર્તિઓ છે અને એ પણ લાકડાની છે
- જગન્નાથ મંદિર ઉપર સ્થાપિત લાલ ધ્વજ હંમેશા હવાની વિપરીત દિશામાં લહેરાય છે
- જગન્નાથ મંદિરનું બીજુ મોટું રહસ્ય એ છે કે મંદિરના ગૂંબજનો પડછાયો પડતો નથી
- જગન્નાથ મંદિર ઉપર મુકાયેલ સુદર્શન ચક્ર તમે ગમે તે દિશામાંથી જુઓ તો આખું જ દેખાય છે.જેને નીલચક્ર પણ કહે છે
ભક્તો માટે પ્રવેશ બંધ
કિંમતી ચીજવસ્તુઓ રત્ન ભંડાર (તિજોરી)ની અંદરની ચેમ્બરમાંથી અસ્થાયી સ્ટ્રોંગ રૂમમાં ટ્રાન્સફર કરવાની છે. તેથી ભક્તોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), મંદિરના રક્ષક, આંતરિક ચેમ્બરની અંદર સંરક્ષણ કાર્ય હાથ ધરવા માટે બધું સ્થાનાંતરિત કરવું જરૂરી હતું. 14 જુલાઈના રોજ 46 વર્ષ પછી ચેમ્બર પણ ખોલવામાં આવી હતી, જેથી કીમતી ચીજવસ્તુઓની યાદી તૈયાર કરી શકાય અને તેનું માળખું રિપેર કરી શકાય.
ડીએમનું નિવેદન
શ્રી જગન્નાથ મંદિરના 'રત્ન ભંડાર'ના ઉદઘાટન પર કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકર સ્વૈને જણાવ્યું હતું કે, " સરકાર દ્વારા આજે 'ભીતર રત્ન ભંડાર'માંથી તમામ કિંમતી ચીજવસ્તુઓ અને ઝવેરાત નક્કી કરાયેલ SOP મુજબ અસ્થાયી રત્ન ભંડારમાં સ્થાનાંતરિત કરવામાં આવશે."
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના વડા અરબિન્દા પાધીએ બુધવારે જણાવ્યું હતું કે, “ગુરુવારે રત્ન ભંડારની અંદરની ચેમ્બરને ફરીથી ખોલવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી, અમે મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. ગુરુવારે સવારે 8 વાગ્યા પછી કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે સવારે 8 વાગ્યા પછી ફક્ત અધિકૃત વ્યક્તિઓ અને સેવકોને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે અને ગુરુવારે ફક્ત મંદિરનો 'સિંહ દ્વાર' ખુલ્લો રહેશે.
આ પણ વાંચોઃ- Sawan 2024 : શ્રાવણ 2024ના સોમવાર કેવી રીતે કરવા? શિવલિંગ અભિષેકની સામગ્રી, શિવલિંગ અભિષેક રીત
જો કે, લોકો ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રના દર્શન કરી શકે છે કારણ કે તેઓ હાલમાં મંદિરની બહાર પાર્ક કરેલા તેમના રથ પર છે, IAS અધિકારી પાધીએ જણાવ્યું હતું. પુરીમાં ભગવાન જગન્નાથના મંદિરનો વહીવટ રાજ્ય સરકારના કાયદા વિભાગ હેઠળ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us