Palmistry હસ્તરેખા શાસ્ત્ર: હાથની આ રેખાથી જાણો તમે પ્રેમ લગ્ન કરશો કે એરેન્જ મેરેજ, તમારા લગ્ન કંઇ ઉંમરે થશે?

Palmistry Marriage Lines: હસ્તશાસ્તર અનુસાર જો લગ્ન રેખાને કોઇ બીજી રેખા છેદતી હોય તો લગ્નમાં વિલંબ થાય છે. જાણો હાથમાં લગ્ન રેખા ક્યાં હોય છે અને તેનું જીવનમાં શું મહત્વ છે.

Written by Ajay Saroya
August 07, 2024 22:17 IST
Palmistry હસ્તરેખા શાસ્ત્ર: હાથની આ રેખાથી જાણો તમે પ્રેમ લગ્ન કરશો કે એરેન્જ મેરેજ, તમારા લગ્ન કંઇ ઉંમરે થશે?
Palmistry Hastrekha : હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હાથની રેખા વાંચી વ્યક્તિનું જીવન અને ભવિષ્ય જાણી શકાય છે. (Photo: Wikipedia)

Palmistry Marriage Lines: વૈદિક જ્યોતિષમાં વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ જોઈ ભવિષ્યવાણી કરવામાં આવે છે. તો હસ્તરેખા શાસ્ત્રમાં વ્યક્તિની હાથની રેખા અને નિશાનનું વિશ્લેષણ કરી ભવિષ્યવાણી કરવામાં આવે છે. તમારા લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ તે પણ હસ્તરેખા મારફતે જાણી શકાય છે. વ્યક્તિના હાથમાં સ્થિત લગ્ન જીવન રેખા જોઈને આગાહી કરી શકાય છે. કારણ કે આ રેખાઓ તમારી લવ લાઈફ વિશે ઘણા રહસ્યો ખોલે છે. આ લેખમાં લગ્ન, પ્રેમ અને સંબંધોની ઊંડાઈ વિશે ખ્યાલ આવી શકે છે. આવો જાણીએ હાથમાં લગ્ન રેખા ક્યાં હોય છે અને તેનું જીવનમાં શું મહત્વ છે.

હાથમાં અહીં હોય છે લગ્ન રેખા

હથેળીમાં ટચલી આંગળીની નીચે અે હૃદય રેખાની ઉપર હાથની બહારની બાજુ થી શરૂ થઇ બુધ પર્વત તરફ જતી રેખાને લગ્ન રેખા કહેવામાં આવે છે. આ રેખાની આસપાસ આવી ઘણી રેખાઓ છે, જે એ પણ બતાવે છે કે લગ્ન પછી તમારું જીવન કેવું રહેશે. ઉપરાંત, તમે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધ કેવા રહેશે.

હથેળી પર આ નિશાન હોય છે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ જે વ્યક્તિની લગ્ન રેખા પર ચોરસ નિશાન હોય છે તેના લવ મેરેજ થાય છે. વળી, આવી વ્યક્તિ પોતાના જીવનસાથીનું બહુ ધ્યાન રાખે છે. વળી, આવી વ્યક્તિનું પોતાના પાર્ટનર સાથે સારું બોન્ડિંગ હોય છે.

આવી હસ્ત રેખા હોય તો લવ મેરેજ થાય છે

જો કોઈ વ્યક્તિના હાથ પર શુક્ર પર્વત વધુ ઉપસેલો અને સ્પષ્ટ દેખાય છે, તો પ્રેમલગ્નની સંભાવના ઝડપથી બની જાય છે. વળી, આવા લોકોને લક્ઝરી લાઈફ ગમે છે. વળી, આ લોકો પોતાના પાર્ટનરને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. આ લોકો પોતાના જીવનસાથીને ઘણો સમય આપે છે.

લગ્ન રેખા

હસ્તરેખા મુજબ જો તમારી લગ્ન રેખા ઊંડી, સ્પષ્ટ અને લાંબી હોય તો આવી વ્યક્તિ ભાગ્યશાળી હોય છે. તેમજ આવી વ્યક્તિનું દાંપત્યજીવન સુખી હોય છે. સાથે જ આવી વ્યક્તિનો પાર્ટનર સાથે સારો મનમેળ હોય છે. સાથે જ આવા લોકોએ અરેન્જ મેરેજ કર્યા છે.

લગ્નમાં વિલંબ થાય છે

જો બીજી રેખા લગ્ન રેખાને છેદતી હોય તો લગ્નમાં વિલંબ થાય છે. આવા લોકોના લગ્ન લગભગ 35 વર્ષની આસપાસ થાય છે. વળી, આવા લોકોને ઘણીવાર પોતાના પાર્ટનર સાથે મનમુટાવ પણ થઈ જાય છે.

આ પણ વાંચો | મૃત્યુ પછી શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન શા માટે મહત્વપૂર્ણ છે? સ્વામી પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કારણ

લગ્ન વહેલા થાય છે

હૃદય રેખા પાસે લગ્ન રેખા હોવાને કારણે વ્યક્તિ 20-22 વર્ષની ઉંમરે લગ્ન કરી લે તેવી શક્યતા રહે છે. પરંતુ આવા લોકોનું વૈવાહિક જીવન થોડા સમય બાદ પરેશાન થઈ જાય છે. વળી, પાર્ટનર સાથે પણ મનભેદ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ