વિરાટ અનુષ્કા બાદ પ્રેમાનંદ મહારાજની શરણમાં પહોંચ્યા 2 ફેમસ એક્ટર, અભિનેતા કહ્યું - મારા પર કાળો જાદુ થયો છે

Premanand Maharaj Satsang Video: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બાદ વૃંદાવનના આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના શરમમાં 2 ટીવી એક્ટર પારસ છાબરા અને કરણ ખંડેલવાલ પહોંચ્યા છે. ટીવી કલાકારોએ પ્રેમાનંદ મહારાજ સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી.

Premanand Maharaj Satsang Video: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બાદ વૃંદાવનના આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના શરમમાં 2 ટીવી એક્ટર પારસ છાબરા અને કરણ ખંડેલવાલ પહોંચ્યા છે. ટીવી કલાકારોએ પ્રેમાનંદ મહારાજ સમક્ષ પોતાની સમસ્યા વ્યક્ત કરી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Paras Chhabra Meet Premanand Maharaj | Paras Chhabra | Premanand Maharaj | Premanand Maharaj Satsang Video

Paras Chhabra Meet Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજના દરબારમાં ટીવી અભિનેતા પારસ છાબરા એ પોતાની સમસ્યા જણાવી હતી. (Photo: Social Media)

Paras Chhabra And Karan Khandelwal Meet Premanand Maharaj In Vrindavan: આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના લાખો ભક્તો છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રેમાનંદ મહારાજના શરણમાં જાય છે. તાજેતરમાં જ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજના સત્સંગમાં ગયા હતા. યુગલો ઘણીવાર તેમના મનમાં શંકા સાથે પહોંચે છે. આશુતોષ રાણા, બી પ્રાક પણ તેમની વાતનું અનુસરણ કરે છે.

Advertisment

આવી સ્થિતિમાં, હવે બે ટીવી કલાકારો તેમની સમસ્યાઓ લઈને ત્યાં પહોંચી ગયા છે. તેઓ બીજું કોઈ નહીં પણ ટીવી અભિનેતા પારસ છાબરા અને કરણ ખંડેલવાલ છે. તેમણે પ્રેમાનંદ મહારાજને તેમના મનમાં ચાલી રહેલી શંકાઓ વિશે જણાવ્યું. તેમણે તેનો ઉકેલ પણ જણાવ્યો હતો, જે આજકાલ વાયરલ છે.

પારસ છાબરાએ પ્રેમાનંદ જી મહારાજને આ અંગે જણાવ્યું હતું કે એક સમયે તેઓ ખૂબ જ હતાશ હતા અને ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. પારસે તો ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. તે આધ્યાત્મિક ગુરુને કહે છે કે તેમણે તેમની સલાહનું પાલન કર્યું અને રાધા રાણીનો જાપ કર્યો. અભિનેતાની માતા પણ વૃંદાવન ગયા હતા.

પારસ છાબરાએ કહ્યું કે, જ્યારે તેણે નામ-ખ્યાતિ કમાવવાનું શરૂ કર્યું, ત્યારે તેણે વૃંદાવનમાં એક ઘર પણ ખરીદ્યું. ટીવી એક્ટરે કહ્યું કે, જ્યાં સુધી તેણે આધ્યાત્મિકતાના માર્ગ પર ચાલવાનું શરૂ ન કર્યું ત્યાં સુધી તે અસ્વસ્થ રહેતો હતો. તે ઘરની બહાર પણ નીકળતો ન હતો. તેને લાગતું હતું કે તે મરી જશે. તે અગાઉ નકારાત્મક વસ્તુઓથી ઘેરાયેલો રહેતો હતો પરંતુ હવે તે સંપૂર્ણપણે ઠીક છે.

Advertisment

કરણ ખંડેલવાલે કહ્યું- 'કાળો જાદુ થયો છે'

આ સાથે પારસ છાબરા બાદ અભિનેતા કરણ ખંડેલવાલે પણ પ્રેમાનંદ મહારાજ જીની સામે પોતાની સમસ્યાઓ રજૂ કરતા કહ્યું કે, તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમાંથી બહાર આવી શક્યા નથી. કરણે આધ્યાત્મિક ગુરુને કહ્યું કે, તેમણે ઘણા લોકોની સલાહ લીધી છે અને તે કહે છે કે તેઓ કાળા જાદુના પ્રભાવ હેઠળ છે. આ વાત પર પ્રેમાનંદ મહારાજે તેની શંકા દૂર કરી અને કહ્યું કે તેમના પર કોઈનો પ્રભાવ નથી. તેમણે અભિનેતાને કહ્યું કે, જો કાળા જાદુની અસર થઇ હોત તો તેઓ અહીં ન હોત. તેઓ માને છે કે કાળા જાદુ જેવી કોઈ વસ્તુ નથી. કોઈ તેમને છેતરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ પણ વાંચો | વ્યક્તિનું અકાળ મૃત્યુ કેમ થાય છે, જાણો પ્રેમાનંદ મહારાજે શું કહ્યું

પ્રેમાનંદ મહારાજે આપી સલાહ

પ્રેમાનંદ મહારાજે પણ કરણ ખંડેલવાલને સલાહ આપતા કહ્યું કે, તેમને કોઈએ શ્રાપ નથી આપ્યો. ભૂત જેવી કોઈ વસ્તુ નથી. તેમણે તેમને ખાલી ન રહેવાની સલાહ આપી અને કહ્યું કે ખાલી મન એ શેતાનનું મન છે. કોઈએ તેમના પર કોઈ જાદુ કર્યો નથી. મહારાજજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના પર ન તો કોઈ કાળો જાદુ છે કે ન તો પીળો જાદુ. તેમણે કહ્યું કે જો તે કોઇની જાળમાં ફસાઇ ગયો છે તો તે લોકો તેને બરબાદ કરી દેશે. લોકો માત્ર તેમને લૂંટવા માગે છે. પ્રેમાનંદ મહારાજે કરણ ખંડેલવાલને વર્કઆઉટ કરવાની સલાહ આપી હતી અને રાધા રાનીના નામનો જાપ કરવાનું કહ્યું હતું.

પ્રેમાનંદ મહારાજ ધર્મ ભક્તિ