Premanand Maharaj Video: વ્યક્તિ મૃત્યુ બાદ ફરી જીવિત થઇ શકે છે? પ્રેમાનંદ મહારાજે આપ્યો આશ્ચર્યજનક જવાબ

Premanand Maharaj Viral Video: પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના ઘણા વીડિયો વાયરલ થયા છે. એક વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, કોઇ વ્યક્તિ મૃત્યુ બાદ ફરી જીવિત થઇ શકતો નથી.

Premanand Maharaj Viral Video: પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજના ઘણા વીડિયો વાયરલ થયા છે. એક વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, કોઇ વ્યક્તિ મૃત્યુ બાદ ફરી જીવિત થઇ શકતો નથી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Premanand Maharaj | Premanand Maharaj Viral Video | Premanand Maharaj photo

Premanand Maharaj : પ્રેમાનંદ મહારાજ વૃંદાવનના પ્રખ્યાત સંત છે. (Photo: @premradhamadhav)

Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: પ્રેમાનંદ મહારાજની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. કારણ કે મહારાજજી ભક્તોના પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળ રીતે આપે છે. તમને જણાવી દઈએ કે, પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં કેલિકુંજ નામની જગ્યાએ રહે છે. તેઓ ત્યાં જ સત્સંગ દ્વારા લોકોને માર્ગદર્શન આપે છે. પ્રેમાનંદ મહારાજ રાધા રાણીને પોતાના ઇસ્ટ માને છે. સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજના લાખો ફોલોઅર્સ છે અને ઘણી હસ્તીઓ તેમના સત્સંગમાં પહોંચી છે.

Advertisment

પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ છે અને તેમના ઘણા વીડિયો વાયરલ થયા છે. તાજતેરમાં પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભક્ત તેમને પૂછી રહ્યો છે કે શું કોઈ વ્યક્તિના શરીર માંથી પ્રાણ ગયા બાદ શું તે ફરીથી જીવીત થઇ શકે છે? જેના પર મહારાજજીએ કહ્યું કે આ બધી બકવાસ વાતો છે અને એક વાર યમરાજના ફાંસીના માંચડે ફસાય જાય પછી ફરી છૂટી જવાની તાકાત નથી હોતી. ત્યા કોઇ ચૂકી થતી નથી.

પ્રેમાનંદ મહારાજે ઉદાહરણ આપતાં કહ્યું કે, રમેશ નામના લાખો લોકો હોઈ શકે છે અને તેમણે કહ્યું કે રમેશ મરવાનો છે. સાથે જ એક સેકન્ડમાં એવી ગણતરી કરવામાં આવી કે આ વ્યક્તિ આ રાજ્યના આ શહેરમાં રહે છે. જો તેની ઊંચાઈ અને રંગ ઉપલબ્ધ હશે તો તેનું નામ એક સેકન્ડમાં ક્લિક થઇ ગયું છે. એવું નથી કે યમદૂત ફરતો રહેશે કે, તે રમેશ છે કે આ રમેશ છે અને યમરાજ પાસે ગયા કે તમે ખોટા રમેશને લાવ્યા અને તે તેની ભૂલ હતી. એટલે એવું થતું નથી.

સંત શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ કોણ છે ?

સંત શ્રી હિત પ્રેમાનંદ મહારાજનું મૂળ નામ અનિરુદ્ધકુમાર પાંડે છે. પ્રેમાનંદ મહારાજનો જન્મ ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના અખરી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શંભુ પાંડે અને માતાનું નામ રામ દેવી છે. પ્રેમાનંદ મહારાજના ગુરુજીનું નામ શ્રી ગૌરાંગી શરણજી મહારાજ છે. આ સાથે જ પ્રેમાનંદ જી મહારાજનું કહેવું છે કે જ્યારે તેઓ 5માં ધોરણમાં હતા ત્યારે તેમણે ગીતાનું પઠન કરવાનું શરૂ કર્યું અને તેઓ નાની ઉંમરમાં જ કાશીમાં રહેવા જતા રહ્યા હતા. આ પણ વાંચો – ઘરમાં કુતરા રાખવા કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજ શું કહે છે

Advertisment
પ્રેમાનંદ મહારાજ વાયરલ વીડિયો ધર્મ ભક્તિ