/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/premanand-maharaj.jpg)
Premanand Maharaj Viral Video: પ્રેમાનંદ મહારાજ એક વીડિયોમાં જણાવે છે કે, રોડ પર પડેલા પૈસા ઉપાડવા કે નહીં? (Photo: Social Media)
Shri Hit Premanand Govind Sharan Ji Maharaj: ઘણી વખત અચાનક પૈસા મળે ત્યારે વ્યક્તિની ખુશીનો પાર નથી હોતો. લોકો રસ્તા પર કોઇ સિક્કો કે નોટ મળે તો તરત જ ઉપાડી પોતાના પાકીટમાં મૂકી દે છે. પરંતુ શું આવું કરવું યોગ્ય છે? શું તમારે રસ્તા પર પડેલા પૈસા ઉપાડવા જોઈએ અથવા રસ્તા પર મળેલા પૈસા કોઈ બીજા કામમાં ખર્ચ કરી શકાય છે? હાલ પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ જણાવે છે કે, રસ્તા પર પડેલા પૈસા ઉપાડવા જોઇએ કે નહીં? આવા પૈસા ક્યાં ખર્ચવા જોઇએ?
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જો ક્યાંક 100 રૂપિયાની નોટ પડી હશે તો તમારા પગ અટકી જશે, તમે આગળ વધી શકતા નથી. 500ની નોટ તમને હચમચાવી દેશે, તમે વારંવાર તમારી આસપાસ જોશો અને પછી તેને ધીમે ધીમે ઉપાડો. જો 500 - 500 રૂપિયાની 10 - 20 નોટ પડી હશે તો, આસપાસ પહેલા જોશો, કોઈ જોતું નથી, પછી આપણે તેને ધીરે ધીરે ઉપાડીશું, પછી ભલે આપણે તેને ક્યાંક દાનપેટીમાં મૂકી દઈએ, પરંતુ આપણે તેને ચોક્કસ ઉપાડી લઈશું. તમે તે કેમ ઉપાડ્યા? કારણ કે મહત્વ છે, સંપત્તિનું મહત્વ છે, ભોગમાં મહત્વ છે.
એ કહેવું અલગ વાત છે કે, અરે ભાઇ અમને સ્વર્ગનું સુખ નથી જોઈતું, આપણને મોક્ષ નથી જોઈતો, પ્રેમ જોઈએ છે, સ્વર્ગના સુખોનો અસ્વીકાર કરીએ છીએ, મોક્ષનો અસ્વીકાર કરીએ છીએ અને 500ની નોટને નકારીને આગળ વધી શકતા નથી. જો ગુલાબજાંબુ, મીઠાઈની વાત આવે તો મોઢામાં પાણી આવી જાય અને તેઓ મોક્ષને નકારે છે, બ્રહ્માનંદ… આ બધી વાતો કહેવાની છે. માત્ર ઈશ્વરપ્રેમી મહાત્મા જ સ્વર્ગના દિવ્ય સુખોનો અસ્વીકાર કરી શકે છે. ના, જ્યારે કોઈ અપ્સપા નીચે આવે છે, ત્યારે મહાન ઋષિમુનિઓ પણ ભ્રષ્ટ થઈ જાય છે, તેમના પદ પરથી નીચે ઉતરી આવે છે, અને મોક્ષનું સુખ એ એક મહાન સુખ છે, ભગવાનના પ્રેમીજન તેને નકારે છે. મોક્ષના સુખને જો કોઇ નકારી શકે છે, તો તે ભાગવત પ્રેમી મહાત્મા છે.
જો તમે રોડ પર પડેલા પૈસા ઉપાડો છો, તો તે કોઈના પૈસાની ચોરી કરવા બરાબર છે. જેવી રીતે ચોરી કરવાનું ફળ તમને મળે છે. એ જ રીતે, રસ્તા પર પડેલા પૈસા ઉપાડવાથી તમને પાપ લાગશે. તેથી ક્યારેય રસ્તા પરથી પૈસા ન ઉપાડો, પોતાના કાર્યમાં ખર્ચ કરવા નહીં.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Shri-Hit-Premanand-Govind-Sharan-Ji-Maharaj.jpg)
રોડ પર મળતા પૈસા આ કામમાં ખર્ચવા
પ્રેમાનંદ મહારાજ કહે છે કે, જો તમને રસ્તા પર પૈસા પડેલા જોવા મળે તો તેને પોતાની પાસે રાખવા એ પાપ છે. માટે આ પૈસાથી તમે ધર્મ સાથે જોડાયેલા કોઇ પણ કામ કરી શકો છો. તમે આ પૈસાથી પ્રાણીઓને ખવડાવી શકો છો અથવા જરૂરીયાતમંદોને ભોજન કરાવી શકો છો. આમ કરવાથી તમને પુણ્ય મળશે. આ સાથે તમારા દ્વારા ધર્મ સંબંધિત કામ કરવાથી જે વ્યક્તિના પૈસા ખોવાયા છે, તેને પણ પુણ્ય મળશે. શું મહિલા હનુમાનજીની પૂજા કરી શકે કે નહીં? જાણો પ્રેમાનંદ મહારાજે શું કહે છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us