Radha Ashtami 2024 Date: રાધા આઠમ 10 કે 11 સપ્ટેમ્બર ક્યારે છે? જાણો તારીખ, પૂજા શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Radha Ashtami 2024: રાધા આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિયા રાધા રાણીનો જન્મોત્સવ. ભાદવર સુદ આઠમ તિથિ પર રાધા અષ્ટમી પર રાધા રાણીની વિધિવત પૂજા કરવાનો નિયમ છે. આવો જાણીએ તારીખ અને શુભ મુહૂર્ત

Radha Ashtami 2024: રાધા આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિયા રાધા રાણીનો જન્મોત્સવ. ભાદવર સુદ આઠમ તિથિ પર રાધા અષ્ટમી પર રાધા રાણીની વિધિવત પૂજા કરવાનો નિયમ છે. આવો જાણીએ તારીખ અને શુભ મુહૂર્ત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Radha Ashtami 2024 Date | Radha Ashtami significance | Radha Ashtami puja Vidhi shubh muhurat | Radha rani

Radha Ashtami 2024 Date: રાધા અષ્ટમી ભાદરવા સુદ આઠમ તિથિ પર ઉજવાય છે.

Radha Ashtami 2024 Date and Time: હિંદુ ધર્મમાં રાધા અષ્ટમી એટલે રાધા આઠમનું વિશેષ મહત્વ છે. હિંદુ પંચાંગ મુજબ ભાદરવા સુદ આઠમ પર રાધા રાણી જયંતિ ઉજવવામાં આવે છે. તે કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી આવે છે. માન્યતા અનુસાર રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીની પૂજા કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ મળે છે. આ દિવસે ખાસ કરીને વ્રજના તમામ મંદિરોને સજાવવામાં આવે છે અને રાધા રાણીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. રાધા રાણી શ્રી કૃષ્ણના પ્રિયા હતા, તેમને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચાલો જાણીયે રાધા આઠમ કઇ તારીખે છે અને મહત્વ …

Advertisment

રાધા આઠમ તિથિ 2024 (Radha Ashtami 2024 Date)

વૈદિક પંચાગ અનુસાર ભાદરવા સુદ આઠમ તિથિ 10 સપ્ટેમ્બરે રાત્રે 11.12 વાગ્યે શરૂ થશે. સાથે જ બીજા દિવસે એટલે કે 11 સપ્ટેમ્બરે રાત્રે 11.45 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં સૂર્ય ઉદયની તારીખને ધ્યાનમાં રાખતા 11 સપ્ટેમ્બરે રાધા આઠમની ઉજવણી કરવામાં આવશે.

રાધા અષ્ટમી શુભ મુહૂર્ત 2024 (Radha Ashtami 2024 Shubh Muhurat 2024)

રાધા આઠમ પર પૂજા કરવાનો શુભ સમય સવારે 11.02 વાગ્યા થી બપોરે 1.31 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન તમે રાધા રાણીની પૂજા કરી શકો છો.

રાધા આઠમ મહત્વ (Radha Ashtami 2024)

રાધા આઠમ પર કૃષ્ણ જન્માષ્ટમી જેમ વ્રત ઉપવાસ કરવામાં આવે છે. તેમજ આ દિવસે રાધા રાણીની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ આ દિવસે રાધા રાણીની પૂજા કરવાથી વિવાહિત જીવન સુખમય રહે છે. પતિ-પત્ની વચ્ચે સંબંધ મજબૂત છે. સાથે જ જીવનમાં ધન અને સમૃદ્ધિની પણ અછત નથી રહેતી. રાધા અષ્ટમી માટે શ્રી રાધા રાણીના મંદિરોને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે અને રાધા રાણીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

Advertisment

પૂજા દરમિયાન કરો આ મંત્રોનો જાપ

ઓમ હ્વીં શ્રીરાધિકાયે નામ:
ઓમ હ્વીં શ્રીરાધિકાયે નામ:
નામસ્ત્રેલોક્યજનની પ્રસીદ કરુણાર્ણવે
બ્રહ્મવિષ્ણાવદિભીરદેવદેવદેવનાધ્યાયીમાન પદામ્બુજે
નમસ્તે પરમેશાનિ રાસમંડલવાસિની
રાસેશ્વરિ નમસ્તેડસ્તુ કૃણ્ણ પ્રાણાધિકપ્રિયે

મંત્રૈર્બહુભિર્વિન્શ્વર્ફલૈરાયાસસાધયૈર્મખૈઃ કિંચિલ્લેપવિધાનમાત્રવિફલૈ: સંસારદુઃખાવહૈ

એક: સન્તપિ સર્વમંત્રફલદો લોપાદિદોષોંઝિંતઃ
શ્રીકૃષ્ણ શરણં મમેતિ પરમો મન્તોડ્યમષ્ટાક્ષર

જન્માષ્ટમી તહેવાર ધર્મ ભક્તિ