297 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે 6 ગ્રહોનો દુર્લભ સંયોગ, આ રાશિઓનો શરુ થશે ગોલ્ડન સમય

Raksha Bandhan 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારો અને પર્વો પર ગ્રહોનું વિશેષ સંયોજન રચાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર 297 વર્ષ બાદ દુર્લભ ગ્રહોની યુતિ બનશે

Raksha Bandhan 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારો અને પર્વો પર ગ્રહોનું વિશેષ સંયોજન રચાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર 297 વર્ષ બાદ દુર્લભ ગ્રહોની યુતિ બનશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
rakshabandhan 2025 yog, રક્ષાબંધન યોગ

Raksha Bandhan 2025: રક્ષાબંધનના તહેવાર પર 297 વર્ષ બાદ દુર્લભ ગ્રહોની યુતિ બનશે

Raksha Bandhan 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તહેવારો અને પર્વો પર ગ્રહોનું વિશેષ સંયોજન રચાય છે, જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે રક્ષાબંધનના તહેવાર પર 297 વર્ષ બાદ દુર્લભ ગ્રહોની યુતિ બનશે. આ વર્ષે સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્રમાં મકરમાં, મંગળ કન્યા રાશિમાં, બુધ કર્કમાં, ગુરુ અને શુક્ર મિથુન રાશિમાં, રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશિમાં સ્થિત રહેશે.

Advertisment

આવો સંયોગ 1728માં બન્યો હતો. તે સમયે પણ ભદ્રા પૃથ્વી પર ન હતો અને ગ્રહોની સ્થિતિ પણ આવી જ હતી. આ વખતે પણ ભદ્રા વગર જ આ જ યોગ રચાઈ રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી શકે છે. સાથે જ નોકરીમાં આવક વધવાની અને પ્રમોશન મળવાના યોગ છે. સાથે જ તમે દેશ અને વિદેશ યાત્રા કરી શકો છો. ફસાયેલા પૈસા પણ મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે.

મકર રાશિ

6 ગ્રહોનું એક દુર્લભ સંયોજન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમને અચાનક આર્થિક લાભ થવાના યોગ બનશે. ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. રોકાણથી તમને ફાયદો થશે. તેનાથી લાભ મળવાની સાથે બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. નોકરીયાત લોકોની બઢતી અને વૃદ્ધિ થઈ શકે છે. સાથે જ પાર્ટનરશિપ બિઝનેસમાં મોટો ફાયદો પણ થઈ શકે છે. કાયદાકીય બાબતોમાં નિર્ણય તમારી તરફેણમાં આવશે અને તમારી કારકિર્દીમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. સાથે જ ધનની બચત કરવામાં સફળ રહેશો.

કુંભ રાશિ

છ ગ્રહોનું દુર્લભ સંયોજન કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમને માન-સન્માન મળશે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે જ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. તેમજ આ સમયગાળા દરમિયાન તમને નોકરીમાં નવી તકો મળી શકે છે. સાથે જ વિદેશ યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સન્માન અને પ્રગતિની તકો મળી શકે છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

Advertisment

આ પણ વાંચો - રક્ષાબંધન પર બહેનને આપો આ ખાસ ગિફ્ટ, આખું વર્ષ તમને યાદ કરશે

તુલા રાશિ

6 ગ્રહોનું એક દુર્લભ સંયોજન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયે તમારું જે કામ ખોરવાઈ રહ્યું હતું તે હવે દૂર થઈ જશે અને હવે તમારું કામ ઝડપથી વેગ પકડશે. સાથે જ અટકેલા પૈસા પણ મળશે. સાથે જ તમે કોઇ પણ લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. બેરોજગાર લોકોને આ સમયે નોકરી પણ મળી શકે છે. સાથે જ વેપારીઓને નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી સારો નફો થઈ શકે છે. આ સમય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળ થવા અને નવી કુશળતાઓ શીખવા માટે અનુકૂળ રહેશે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

raksha bandhan તહેવાર ધર્મ ભક્તિ