Ram Navami 2025 : 6 કે 7 એપ્રિલ, ક્યારે મનાવવામાં આવશે રામનવમી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ

Ram Navami 2025 Date: હિંદુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. રામ નવમીને ભગવાન રામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે

Written by Ashish Goyal
March 04, 2025 16:55 IST
Ram Navami 2025 : 6 કે 7 એપ્રિલ, ક્યારે મનાવવામાં આવશે રામનવમી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ
Ram Navami 2025 Date: હિંદુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે

Ram Navami 2025 Date: હિંદુ ધર્મમાં રામ નવમીનું વિશેષ મહત્વ છે, જે દર વર્ષે ચૈત્ર સુદ નવમીના દિવસે ઉજવવામાં આવે છે. રામ નવમીને ભગવાન રામની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને તમામ મુશ્કેલીઓથી છૂટકારો મળે છે. સાથે જ આ દિવસે દેવી દુર્ગાના નવમાં રૂપ સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે.

રામ ભક્તો આ પવિત્ર દિવસે વ્રત રાખે છે અને વિધિપૂર્વક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પૂજા કરે છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ રામ નવમીની તારીખ, શુભ સમય, પૂજા વિધિ અને મહત્વ વિશે.

રામ નવમી 2025 ક્યારે ઉજવવામાં આવશે?

પંચાગ મુજબ ચૈત્ર સુદ નવમી તિથિ 5 એપ્રિલ 2025ના રોજ સાંજે 07:26 વાગ્યાથી શરૂ થશે અને 6 એપ્રિલ 2025ના રોજ સાંજે 07:22 વાગ્યે સમાપ્ત થશે. હિંદુ ધર્મમાં ઉદય તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, તેથી આ વર્ષે રામ નવમી 6 એપ્રિલ 2025ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે અને રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

રામ નવમી 2025 શુભ મુહૂર્ત

પંચાગ મુજબ રામ નવમીના દિવસે પૂજા કરવાનો સૌથી શુભ સમય સવારે 11:08 થી 01:39 વાગ્યા સુધીનો રહેશે. ભગવાન શ્રી રામના જન્મનો વિશેષ સમય બપોરે 12:24 વાગ્યે માનવામાં આવે છે. આ સમય દરમિયાન ભગવાન શ્રી રામની પૂજા કરવી અને રામાયણનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો – આ તારીખે જોવા મળશે 2025નું પ્રથમ સૂર્યગ્રહણ, શું ભારતમાં દેખાશે આ નજારો, જાણો

રામ નવમી 2025 પૂજા વિધિ

રામનવમીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ગંગા જળથી પૂજા સ્થળને શુદ્ધ કરો અને ભગવાન શ્રી રામની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. આ પછી દીવો પ્રગટાવો અને ભગવાન શ્રી રામનું આહ્વાન કરો. પૂજામાં ફળ, ફૂલ, અક્ષત, ચંદન, તુલસીના પાન અને પંચામૃત અર્પણ કરો. ભગવાન શ્રી રામની સાથે માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરો. રામ ચાલીસા અને રામ સ્તુતિનો પાઠ કરો અને અંતે આરતી કરી પ્રસાદનું વિતરણ કરો. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે અને જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે.

રામનવમી 2025નું મહત્વ

રામનવમી માત્ર એક તહેવાર જ નહીં પરંતુ ધર્મ અને આસ્થાનું પ્રતીક પણ છે. આ દિવસે ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય, સદાચાર અને ન્યાયના માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ સિવાય આ દિવસે રામના નામનો જાપ કરીને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે અને રામભક્તો આ તહેવારને ધામધૂમથી ઉજવે છે.

ડિસ્ક્લેમર– આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ