Shani Gochar: 2024માં શનિ દેવ 3 વખત ચાલ બદલશે, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરીમાં પ્રમોશન અને ધન લાભ થશે

Saturn Rise 2024 Horoscope : વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2024માં શનિદેવ ત્રણ વખત તેમની ચાલ બદલવાના છે, જેથી 3 રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે.

Written by Ajay Saroya
December 18, 2023 19:20 IST
Shani Gochar: 2024માં શનિ દેવ 3 વખત ચાલ બદલશે, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરીમાં પ્રમોશન અને ધન લાભ થશે
શનિ ગોચર

Shani Uday 2024: વૈદિક જ્યોતિષમાં શનિ દેવને કર્મ ફળ દાતા આપનાર માનવામાં આવે છે. મતલબ, તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર પરિણામ આપે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024માં શનિદેવ 3 વખત પોતાની ચાલ બદલવાના છે. જેમાં શનિદેવ 11 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં અસ્ત કરશે. વળી, તે 18મી માર્ચે કુંભમાં ફરી ઉદય થશે. ત્યારબાદ 29 જૂને શનિદેવ વક્રી થશે. આવી સ્થિતિમાં શનિદેવની ચાલમાં પરિવર્તન તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેનું નસીબ વર્ષ 2024માં ચમકી શકે છે. આ લોકોને કરિયર અને બિઝનેસમાં મોટી સફળતા મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…

વૃષભ રાશિ (Taurus Zodiac)

શનિદેવની ચાલ 3 વખત બદલવી વૃષભ રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને તમારા કામ અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે. ઉપરાંત, જ્યારે 18 માર્ચે શનિદેવનો ઉદય થશે, ત્યારે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. તેમજ જેઓ નોકરી કરતા હોય તેમને પ્રમોશન મળી શકે છે. નોકરીમાં તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. આ દરમિયાન વ્યાપારીઓ સારો નફો કરી શકે છે તેમજ કોઈ નવો વેપાર સોદો થઈ શકે છે. તમે કાર્ય-વ્યવસાય સંબંધિત કારણોસર દેશ અને વિદેશ પ્રવાસ કરી શકો છો.

rashifal | rashifal 2024 | Shani Vakri 2024 | Shani Gochar 2024 | rashi bhavishya 2024 | Shanidev rashifal | Saturn zodiac change
જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોમાં શનિદેવન કર્મ પ્રધાન દેવ માનવામાં આવે છે. (Photo – Jansatta)

સિંહ રાશિ (Leo Zodiac)

આ રાશિના જાતકો માટે શનિદેવની 3 વખત રાશિ બદલવી સાનુકુળ સાબિત થઈ શકે છે. આ સમયે તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તેમજ વિવાહિત લોકોને આ સમયે તેમના જીવનસાથી તરફથી સહયોગ મળશે. ઉપરાંત, કાર્યસ્થળમાં તમારી પ્રગતિની સંભાવનાઓ છે અને આગામી વર્ષમાં તમને પ્રમોશન મળી શકે છે. તમને ક્યાંકથી નવી નોકરી માટે ફોન આવી શકે છે. સાથે જ શનિદેવે તમારી ગોચલ કુંડળીમાં શશ રાજયોગ પણ બનાવ્યો છે. તેથી, આ સમયે તમને ભાગીદારીના કામમાં પ્રગતિ મળી શકે છે. તેમજ શનિદેવ તમારી રાશિથી છઠ્ઠા ભવના સ્વામી છે. તેથી, આ સમયે તમને કોર્ટ સંબંધિત માલમાં જીત મળી શકે છે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવવામાં પણ સફળ થશો.

આ પણ વાંચો | 2024માં આ રાશિના જાતકોએ સાવધાન રહેવું, શનિદેવ જીવનમાં ઉથલપાથલ સર્જશે, તબિયત પણ બગડશે

કુંભ રાશિ (Kumdh Zodiac)

કુંભ રાશિના જાતકો માટે વર્ષ 2024માં ત્રણ વખત શનિદેવના રાશિ પરિવર્તન ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને ધન – સંપત્નીતિ પ્રાપ્તિ થશે. તેમજ શનિદેવ તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ આપશે. ઉપરાંત, આ સમયે તમને માન અને પ્રતિષ્ઠા મળશે. આ સમયે તમે મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધો વિકસાવી શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરશો. તમને પૈસા કમાવવાની સારી તકો મળશે. માર્ચ પછી નોકરી કરતા લોકોના પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ