Sawan Somwar 2024 Upay: શ્રાવણ સોમવાર શિવલિંગ પર દૂધ સહિત આ વસ્તુ અર્પણ કરો, રાહુ દોષ માંથી મુક્તિ અને ધન લાભ થશે

Sawan Somwar 2024 Upay For Raui Dosh Mukti: શ્રાવણ સોમવાર પર શિવ પૂજા સાથે સાથે અમુક ઉપાય કરવાથી રાહુ દોષ ઓછો થાય છે અને ધનલાભ સાથે સાથે શુભ મળવા લાગે છે.

Written by Ajay Saroya
August 04, 2024 15:24 IST
Sawan Somwar 2024 Upay: શ્રાવણ સોમવાર શિવલિંગ પર દૂધ સહિત આ વસ્તુ અર્પણ કરો, રાહુ દોષ માંથી મુક્તિ અને ધન લાભ થશે
Sawan Somwar 2024 Upay: શ્રાવણ સોમવાર પર ભગવાન શંકરની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. (Photo: Freepik)

Sawan Somwar 2024 Upay For Raui Dosh Mukti: શ્રાવણ ભગવાન શંકરની પૂજા આરાધનાનો મહિનો છે. ગુજરાતમાં 5 ઓગસ્ટથી શ્રાવણ માસ 2024 શરૂ થઇ રહ્યો છે. શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘણા ગણા વધુ ફળ મળશે. તમને જણાવી દઈએ કે આ વર્ષે શ્રાવણ માસમાં કુલ 5 સાવન સોમવાર છે. શ્રાવણ સોમવાર વિધિ વ્રત રાખવાની સાથે શિવ-પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિને દરેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

શ્રાવણ સોમવારે અમુક ઉપાય કરવાથી રાહુ દોષ માંથી મુક્તિ મેળવી શકાય છે તેમજ ઘરમાં સુખ-શાંતિ આવે છે. ચાલો જાણીએ કે કયા ઉપાય કરવાથી શ્રાવણ સોમવારે કુંડળીમાં રાહુની સ્થિતિને મજબૂત બનાવી શકાય છે.

Shiv Puja Vidhi In Sawan Months | Shivling Puja Vidhi | Sawan 2024 | shravan month 2024 | sawan mass bilipatra upay
Shravan Mass Shiv Puja Vidhi: શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. (Photo: Social Media)

શિવલિંગ પર દૂધ વડે અભિષેક કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં રાહુ દોષ હોય તો કરિયર, સંબંધ, સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ સાથે જ આખું જીવન ઉથલ-પાથલ બની જાય છે. સાવન સોમવારે એક લોટામાં થોડું કાચું દૂધ નાખીને શિવલિંગ પર અભિષેક કરો. આ સાથે, તમે તમારી ઇચ્છા જણાવો. આ સાથે દર સોમવારે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને કુંડળીમાંથી રાહુ દોષની ખરાબ અસર ઓછી થાય છે. રાહુ દોષના કારણે જીવનમાં આવતી દરેક બાધા ઓછી થઇ શકે છે. આ સાથે જ સુખ-સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે.

વડના મૂળમાં મીઠુ દૂધ અર્પણ કરો

જો તમે કોઈ બીમારીથી પરેશાન છો. જો એક રોગ મટતો ન હોય અને બીજો રોગ થતો હોય તો દર સોમવારે દૂધમાં મીઠુ દૂધ એટલે કે થોડી ખાંડ ભેળવીને વડના ઝાડને અર્પણ કરો. શાસ્ત્રો અનુસાર વડના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને ભગવાન બ્રહ્માનો વાસ છે. આવી સ્થિતિમાં આ વૃક્ષને મીઠુ દૂધ ચઢાવવાથી રોગોની સાથે સાથે સુખ-સમૃદ્ધિ પણ દૂર થાય છે.

Shiv Puja Vidhi In Sawan Months | Shivling Puja Vidhi | Sawan 2024 | shravan month 2024 | sawan mass bilipatra upay
Shiv Puja Vidhi In Sawan Months: શ્રાવણ માસમાં ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. (Photo: Social Media)

પક્ષીને જવ નાંખો

જો તમે તમારા કેટલાક દુશ્મનોથી પરેશાન છો અને વિરોધી પર સફળતા મેળવવા માંગો છો, તો રાત્રે દૂધમાં થોડો જવ પલાળી રાખો. આ પછી, બીજા દિવસે તે જવ પક્ષીઓને ખવડાવો. આમ કરવાથી શત્રુ સામે જીત થાય છે. આ સાથે જ સુખ-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો | ગુજરાતના પ્રખ્યાત 8 શિવ મંદિર અને મહત્વ, શ્રાવણમાં દેવ દર્શન સાથે પ્રવાસનો આનંદ

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેના સાચા અને સાબિત થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ