રસ્તા પર આ 5 વસ્તુઓ જોવા મળે તો સમજો કે લાગવાની છે લોટરી, જાણો શું કહે છે શકુન શાસ્ત્ર

Shakun Shastra: શકુન શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને રસ્તામાં જોવા કે મળવા માટે શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ આવનારા સમયમાં ધન, સુખ અને શાંતિનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે કે જે તમને રસ્તામાં દેખાય કે મળે તો સમજવું કે તમારું નસીબ ચમકવાનું છે

Shakun Shastra: શકુન શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને રસ્તામાં જોવા કે મળવા માટે શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ આવનારા સમયમાં ધન, સુખ અને શાંતિનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે કે જે તમને રસ્તામાં દેખાય કે મળે તો સમજવું કે તમારું નસીબ ચમકવાનું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Shakun Shastra, Shakun Shastra for lucky things

શકુન શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને રસ્તામાં જોવા કે મળવા માટે શુભ માનવામાં આવે છે

Shakun Shastra: ઘણીવાર આપણે રસ્તા પર ચાલીએ છીએ ત્યારે ઘણી વખત આપણને કેટલીક એવી વાતો જોવા મળે છે જેના પર આપણે ધ્યાન નથી આપતા. જેમ કે સિક્કા, ફૂલ, દાણા, મોરપીંછ કે તુલસીના પાન. પરંતુ શકુન શાસ્ત્રના મતે આ વસ્તુઓ માત્ર સામાન્ય વસ્તુઓ નથી, પરંતુ તે આપણા જીવનમાં પરિવર્તનનો સંકેત આપે છે.

Advertisment

શકુન શાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જેને રસ્તામાં જોવા કે મળવા માટે શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ આવનારા સમયમાં ધન, સુખ અને શાંતિનો સંકેત આપે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે કે જે તમને રસ્તામાં દેખાય કે મળે તો સમજવું કે તમારું નસીબ ચમકવાનું છે.

રસ્તા પર પડેલો સિક્કો કે નોટ

જો તમને ચાલતા ચાલતા રસ્તા પર અચાનક કોઈ સિક્કો કે નોટ પડેલી દેખાય તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. શકુન શાસ્ત્ર અનુસાર તેનો અર્થ એ છે કે તમને જલ્દી જ કેટલાક આર્થિક લાભ મળી શકે છે. તે સૂચવે છે કે અટકેલા કામ પૂર્ણ થશે અને પૈસા પ્રાપ્ત થશે. તમે ઇચ્છો તો આ પૈસા કોઇ જરૂરિયાતમંદને પણ આપી શકો છો. આનાથી પૂણ્ય મળશે.

અનાજના દાણા

રસ્તા પર ઘઉં, ચોખા કે કોઈ પણ પ્રકારનું અનાજ પડેલું દેખાય તો તેને અવગણશો નહીં. શકુન શાસ્ત્ર જણાવે છે કે આ સંકેત છે કે તમારા ઘરમાં ભોજનની કમી નહી રહે અને જીવનમાં આર્થિક સ્થિરતા આવશે. આ અનાજ પક્ષીઓને ખવડાવવું શુભ માનવામાં આવે છે.

Advertisment

ફૂલો અથવા ફળો

રસ્તામાં તાજા ફૂલ કે ફળ પડેલા દેખાય તો તમારા જીવનમાં નવી ખુશીઓ અને તકો આવી રહ્યા છે તેનો સંકેત છે. ખાસ કરીને જો તે ફૂલનો ઉપયોગ પૂજામાં કરવામાં આવેલો હોય તો તેને વધુ શુભ માનવામાં આવે છે. તે ઈશ્વરની કૃપાનું પ્રતીક છે.

આ પણ વાંચો - ઘરની આ દિશામાં લગાવો 5 ગુડલક વાળી તસવીર, પૈસામાં ઘણો વધારો થવાની છે માન્યતા

ગોમતી ચક્ર અને સફેદ કોડી

રસ્તા પર સફેદ કોડી અથવા ગોમતી ચક્ર મેળવવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ વસ્તુઓ ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે. તેને તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખો.

મોરના પીંછા

મોરપીંછને ભગવાન શ્રીકૃષ્ણનું પ્રતીક માનવામાં આવે છે. રસ્તામાં ક્યાંક મોરનું પીંછું પડેલું જોવા મળે તો સમજવું કે તમારા જીવનમાં સૌભાગ્ય અને સફળતા આવવાની છે. તેને ઘરના મંદિરમાં રાખવું શુભ માનવામાં આવે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ ભક્તિ