Shani Amavasya 2023 Shubh Muhurat: શાસ્ત્રોમાં શનિ અમાસનું વિશેષ મહત્વ છે. અમાસ શનિવારે છે જેથી તેને શનિ અમાસ કહેવામાં આવે છે. આ દિવસે શનિ દેવની વિશેષ રૂપથી પૂજા – અર્ચના કરવાનું મહત્વ છે. આ વખતે શનિ અમાસ 21 જાન્યુઆરીએ આવે છે. આ સાથે જ આ દિવસે મૌની અમાસ પણ છે. 30 વર્ષ બાદ શનિ દેવ કુંભ રાશિમાં હોવાના કારણે આ દુર્લભ સંયોગ બને છે. આ દિવસે અન્ય ચાર યોગ પણ બની રહ્યા છે. એલા માટે આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે. તો ચાલો જાણીએ શુભ મુહૂર્ત, તિથિ યોગ અને પૂજા મુહૂર્ત.
શનિ અમાસ શુભ મુહૂર્ત અને તિથિ (Shani Amavasya 2023 Tithi And Shubh Muhurat)
વૈદિક કેલેન્ડર અનુસાર આ વખતે અમાવસ્યા 21 જાન્યુઆરીએ સવારે 6.16 વાગ્યાથી શરૂ થશે અને 22 જાન્યુઆરીના રોજ સવારે 2.21 વાગ્યા સુધી રહેશે. ઉદય તિથિ અનુસાર 21 જાન્યુઆરીએ અમાવસ્યા ઉજવવામાં આવશે. આ સાથે જ શનિદેવની પૂજાનો શુભ સમય સાંજે 6 થી 7.30 સુધીનો રહેશે.
આ યોગ બની રહ્યો છે
પંચાંગ અનુસાર આ વખતે શનિશ્ચરી અમાવસ્યા પર ખાપ્પર યોગ, ચતુગ્રહી યોગ, ષડાષ્ટક યોગ અને સંસપ્તક યોગ બની રહ્યો છે. આ સાથે શનિદેવ પણ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં રહેશે.
આ પણ વાંચોઃ- જ્યોતિષ શાસ્ત્ર: આ 5 આદતોના કારણે વ્યક્તિના જીવનમાં આવે છે દરિદ્રતા, માતા લક્ષ્મી થાય છે ક્રોધે, આજથી જ ના કરો
આ પદ્ધતિથી પૂજા કરો
આ દિવસે સાંજે શનિ મંદિરમાં જઈને શનિ મૂર્તિની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. તેની સાથે જ શનિ મૂર્તિ પર સરસવનું તેલ ચઢાવવું જોઈએ. સાથે જ શનિદેવની શનિ ચાલીસા અને બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. બીજી તરફ આ દિવસે કાળો ધાબળો, કાળા ચંપલ, કાળા તલ, કાળી અડદનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ- Raj Yog : શુક્ર ગ્રહ કરશે પોતાની ઉચ્ચ મીન રાશિમાં પ્રવેશ, માલવ્ય રાજયોગ બનવાથી આ રાશિઓનું ચમકશે ભાગ્ય
આ સાથે જે લોકોને શનિ સાડે સતી કે ધૈયાથી પીડિત હોય તેમણે આ દિવસે શનિદેવના સમયે પીપળના ઝાડ નીચે ચારમુખી દીવો પ્રગટાવવો જોઈએ. સાથે જ શનિ મહારાજને સરસવના તેલનો અભિષેક કરો. આમ કરવાથી તેઓ શનિ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે.
બીજી બાજુ આ દિવસે મૌની અમાવસ્યા પણ છે, તેથી વ્યક્તિએ સવારે ગંગામાં સ્નાન કરવું જોઈએ અને તે પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને પૂર્વજોના નામ પર દાન કરવું જોઈએ.