200 વર્ષ પછી શનિદેવે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો, આ 3 રાશિની કિસ્મત ચમકશે, અપાર ધન અને પ્રતિષ્ઠા મળશે

Shani Dev Nakshatra Parivartan: જ્યોતિષ શાસ્ત્ર શાસ્ત્રો અનુસાર શનિ દેવ એ નક્ષત્ર પરિવર્તન કર્યું છે, જેના કારણે આ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકી શકે છે

Written by Ajay Saroya
May 14, 2024 22:03 IST
200 વર્ષ પછી શનિદેવે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કર્યો, આ 3 રાશિની કિસ્મત ચમકશે, અપાર ધન અને પ્રતિષ્ઠા મળશે
Shani Dev : શનિ દેવ કર્મ પ્રધાન અને ન્યાયના દેવ છે. (Photo - ieGujarati)

Shani Dev Nakshatra Parivartan : વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દેવને ઉંમર, દુઃખ, રોગ, પીડા, વિજ્ઞાન, ટેકનોલોજી, લોખંડ, ખનિજ તેલ, કર્મચારી, નોકર, જેલ વગેરેના કારક માનવામાં આવે છે. તેથી જ્યારે પણ શનિદેવની ચાલમાં પરિવર્તન આવે છે, ત્યારે આ ક્ષેત્રોને ખાસ અસર થાય છે. તમને જણાવી દઈએ કે શનિ દેવે પૂર્વ ભાદ્રપદના બીજા ભાગમાં પ્રવેશ કર્યો છે, જેની અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિ એવી છે જેમનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. વળી, આ લોકોને બિઝનેસમાં પૈસાથી નવી નોકરી પણ મળી શકે છે. આવો જાણીએ આ રાશિ કઇ છે

મેષ રાશી (Aries Zodiac)

શનિ દેવનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેથી આ સમયે તમને સમયાંતરે અચાનક લાભ મળી શકે છે તેમજ તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ કરિયરમાં મજબૂતી આવશે અને સ્થિરતા વધશે. તમને છેલ્લા કેટલાક સમયથી નોકરીની ચિંતા હતી, તે બધી સમસ્યાઓ હલ થઈ જશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. બીજી તરફ જે લોકો બિઝનેસમેન છે તેમને આ સમયે સારા પૈસા મળી શકે છે. સાથે જ નોકરીયાત લોકોને પ્રમોશન પણ મળી શકે છે.

કુંભ રાશિ (Kumbh Zodiac)

શનિ દેવના નક્ષત્રનું પરિવર્તન કુંભ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયે તમારું વ્યક્તિત્વ સુધરશે. ઉપરાંત, તમે આ સમયે યોગ્ય નિર્ણયો લેશો. સાથે જ પરણિત લોકોનું લગ્ન જીવન સુખમયી રહેશે. તેમજ જીવનસાથી પણ આ સમયે પ્રગતિ કરી શકે છે. સાથે જ તમારા માન સન્માનમાં પણ વધારો થશે. પિતા સાથે સંબંધ મજબૂત બનશે. વળી, આ સમયે તમે ભાગીદારીના વ્યવસાયમાં લાભ મેળવી શકો છો.

Numerology Number 8
અંકશાસ્ત્ર ભવિષ્ય અનુસાર, 8 મૂળાંક લોકો કેવા હોય છે

આ પણ વાંચો | શનિ દેવ : આગામી 10 વર્ષ સુધી 7 રાશિ પર રહેશે સાડા સાતી અને ઢૈયાની અશુભ અસર, ધનહાનિ અને બીમારીનું જોખમ

તુલા રાશિ (Tula Zodiac)

આ રાશિના જાતકો માટે શનિ દેવ નું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમારું માન સન્માન પણ વધશે. પિતા સાથે સંબંધ મજબૂત બનશે. વળી, આ સમયે તમને બાળકો સાથે જોડાયેલ કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે જ સમયાંતરે તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે. બિઝનેસમાં પ્રગતિની સાથે તમને સન્માન પણ મળશે, જેનાથી તમને નવી તકો મળશે. સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઇચ્છુક હોય તેમને સંતાન પ્રાપ્તિ થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ