27 વર્ષ પછી શનિ કરશે પોતાના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓના સારા દિવસો શરુ, આકસ્મિક ધનલાભના યોગ

Shani Gochar 2025: શનિ હાલમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. એપ્રિલના અંતમાં નક્ષત્ર બદલાઈને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવી જશે. પોતાના નક્ષત્રમાં શનિના આગમનથી કેટલીક રાશિઓને બમ્પર લાભ મળી શકે છે

Shani Gochar 2025: શનિ હાલમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. એપ્રિલના અંતમાં નક્ષત્ર બદલાઈને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવી જશે. પોતાના નક્ષત્રમાં શનિના આગમનથી કેટલીક રાશિઓને બમ્પર લાભ મળી શકે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
shani transit 2025, shani transit

Shani Gochar 2025: કર્મફળ દાતા શનિ ચોક્કસ સમયગાળા પછી રાશિ સાથે-સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે

Shani Gochar 2025: કર્મફળ દાતા શનિ ચોક્કસ સમયગાળા પછી રાશિ સાથે-સાથે નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની અસર 12 રાશિઓની સાથે સાથે દેશ-દુનિયાના જીવન ઉપર પણ પડે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ અને નક્ષત્રમાં લગભગ એક વર્ષ સુધી રહે છે. આવી સ્થિતિમાં નક્ષત્રમાં પાછા આવવામાં લગભગ 27 વર્ષ લાગે છે.

Advertisment

શનિ હાલમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. એપ્રિલના અંતમાં નક્ષત્ર બદલાઈને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં આવી જશે. પોતાના નક્ષત્રમાં શનિના આગમનથી કેટલીક રાશિઓને બમ્પર લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે ધન-ધાન્યમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ શનિના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશથી કઈ રાશિઓ ચમકી શકે છે.

28 એપ્રિલે સવારે 7:52 વાગ્યે દંડનાયક શનિ પોતાના નક્ષત્ર એટલે કે ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. ઉત્તરાભાદ્રપદને 27 નક્ષત્રોમાંથી 26મું નક્ષત્ર માનવામાં આવે છે. આ નક્ષત્રનો સ્વામી શનિ છે અને રાશિ મીન રાશિ છે. આ સાથે શનિ મીન રાશિમાં બિરાજમાન છે.

મિથુન રાશિ

શનિ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી આ રાશિના દસમા ભાવમાં બિરાજમાન થવાનો છે. આવી સ્થિતિમાં શનિનું આ નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થઈ શકે છે. તેનાથી પરિવાર વચ્ચેની સમસ્યાઓ દૂર થઈ શકે છે. જીવનમાં સુખ આવી શકે છે. તમે કોઈ પ્રોજેક્ટમાં જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ હવે તમને મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. આ સાથે હવે તમે બિનજરૂરી ખર્ચાથી છૂટકારો મેળવી શકો છો. કરિયરમાં પણ લાભ મળવાની સંભાવના છે. તમારા કામને જોતા મોટી જવાબદારી સોંપી શકાય છે.

Advertisment

મકર રાશિ

શનિની ઉત્તરાભાદ્રપદ તરફની ચાલ મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ રાશિના ત્રીજા ભાવમાં શનિ બિરાજમાન રહેશે. આ રાશિના જાતકોને સાડા સાતીથી મુક્તિ મળી છે. આ સાથે શનિના પોતાના નક્ષત્રમાં જવાથી તમે ઘણા શુભ ફળ મેળવી શકો છો. તમારા રોજિંદા જીવનમાં ચાલ રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું થઈ શકે છે. માર્કેટિંગ અને નેટવર્કિંગ સાથે સંકળાયેલા જાતકોને પણ ઘણા બધા ફાયદાઓ મળી શકે છે. તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. નાના ભાઈ-બહેન સાથે તમારા સંબંધો સારા રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેવાની છે. તમે મિલકત વધારવાની સાથે તેને સંચાલિત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. તમારી ક્ષમતાઓ ઝડપથી વધી શકે છે.

આ પણ વાંચો - ક્યારેય પણ કોઈની પાસેથી મફતમાં ન લો આ 3 વસ્તુઓ, નહીં તો ખરાબ નસીબ પીછો છોડશે નહીં

કુંભ રાશિ

આ રાશિના જાતકો માટે શનિનું પોતાના નક્ષત્રમાં જવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં શનિ બીજા ભાવમાં બિરાજમાન છે. આ રાશિમાં સાડા સાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને અનેક ક્ષેત્રોમાં મોટું પરિવર્તન જોવા મળવાનું છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. લાંબા સમયથી કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની છે. આ સાથે જ તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો. વિદેશથી પૈસા કમાવવાની તકો પણ મળી શકે છે. જીવનમાં સ્થિરતા આવશે. આ સાથે જ ધન સંબંધિત યોજનાઓ બનાવીને તમને ઘણો લાભ મળી શકે છે.

ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

શનિ દેવ રાશિ પરિવર્તન ધર્મ ભક્તિ