શનિ ગોચરઃ શનિદેવ કરશે રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત, દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ

Shani enter shatabhisha nakshatra : 14 માર્ચના દિવસે શનિ દેવ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનો સ્વામી રાહુ છે. જ્યોતિષ પ્રમાણે રાહુ અને શનિ દેવમાં મિત્રાનો ભાવ વિદ્યમાન છે. એટલા માટે પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે.

Written by Ankit Patel
Updated : March 04, 2023 10:42 IST
શનિ ગોચરઃ શનિદેવ કરશે રાહુના નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત, દરેક ક્ષેત્રમાં સફળતાના યોગ
શનિ ગોચર ફાઇલ તસવીર

Shani Enter Shatabhisha Nakshatra: વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહ સમય – સમય પર નક્ષત્ર પરિવર્તન કરે છે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. 14 માર્ચના દિવસે શનિ દેવ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનો સ્વામી રાહુ છે. જ્યોતિષ પ્રમાણે રાહુ અને શનિ દેવમાં મિત્રાનો ભાવ વિદ્યમાન છે. એટલા માટે પરિવર્તનની અસર દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેને શનિના નક્ષત્ર પરિવર્તનથી ધનલાભ અને પ્રગતિનો યોગ છે. તો ચાલો જાણીએ રાશિ કઇ કઈ છે.

મેષ રાશિ (Aries Zodiac)

શનિનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થઇ શકે છે. આ સમયે નોકરીની શોધ કરી રહેલા લોકોને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં વખાણ થશે. વેપારીઓને આ સમયે સારો ધનલાભ થઇ શકે છે. સાથે જ ફસાયેલા પૈસા મળી શકે છે. શનિ દેવ તમારી ગોચર કુંડળીમાં 11માં ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. એટલા માટે આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થઇ શકે છે. શેર બજાર, સટ્ટા અને લોટરીથી પણ ધનલાભનો યોગ બની રહ્યો છે.

મિથુન રાશિ (Mithun Zodiac)

શતભિષા નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને વિદેશ જવાની તક મળી શકે છે અથવા લાંબા પ્રવાસ પર જઈ શકો છો. સાથે જ ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધી શકે છે. આ સાથે તમને 17 જાન્યુઆરીથી આઝાદી મળી છે. તમારા પર શનિની સાડા સાતી ચાલે છે. જેના કારણે તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આ સાથે સમાજમાં તમારું સન્માન વધશે. તે જ સમયે પિતા સાથે સંબંધ મજબૂત રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે.

આ પણ વાંચોઃ- હોળી 2023: એકમેકના રંગમાં રંગાવાનો પર્વ એટલે હોળી, જાણો આ તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક કથા

તુલા રાશિ (Tula Zodiac)

શતાભિષા નક્ષત્રમાં શનિનું ગોચર તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયે તમને નોકરી-ધંધામાં સારી સફળતા મળશે. તેમજ જે લોકો બેરોજગાર છે તેઓને નવી નોકરી મળી શકે છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન વેપારીઓ તેમના વ્યવસાયનું વિસ્તરણ કરી શકે છે.

આ પણ વાંચોઃ- હોળી ગ્રહ યોગ : 12 વર્ષ બાદ હોળી પર બનેશે ગ્રહોનો વિશેષ સંયોગ, આ રાશિઓની ચમકી શકે છે કિસ્મત

સાથે જ નવી બિઝનેસ ડીલ ફાઈનલ થઈ શકે છે. જેના કારણે ભવિષ્યમાં સારો ફાયદો થઈ શકે છે. બીજી તરફ આ રાશિના જે લોકો કોઈપણ કામ જાતે કરે છે તેમને મોટી રકમ મળી શકે છે. આ સાથે અચાનક ધન લાભ થવાની સંભાવનાઓ પણ બની રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ