Jyotish: 2024માં શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે; આ 3 રાશિનું નસીબ ચમકશે, નોકરી-ધંધામાં પ્રગતિ અને આકસ્મિક ધનલાભ થશે

Shani Nakshatra Parivartan 2024 : વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ વર્ષ 2024માં શતભિષા નક્ષત્રમાંથી નીકળીને ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનાથી 3 રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે

Written by Ajay Saroya
December 04, 2023 19:18 IST
Jyotish: 2024માં શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરશે; આ 3 રાશિનું નસીબ ચમકશે, નોકરી-ધંધામાં પ્રગતિ અને આકસ્મિક ધનલાભ થશે
શનિ ગોચર

Shani Nakshatra Parivartan 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમય – સમય પર રાશિ પરિવર્તન ની જેમ નક્ષત્ર પરિવર્તન કરતા રહે છે, જેની માનવ જીવન અને પૃથ્વી પર અસર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કર્મ આપનાર શનિદેવ શતભિષા નક્ષત્રમાંથી નીકળીને વર્ષ 2024માં ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેની તમામ રાશિના લોકો પર અસર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેના પર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આ ઉપરાંત, આ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ અને નસીબ ચમકવાની સંભાવના પણ છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે…

મેષ રાશિ (Aries Zodiac)

મેષ રાશિા જાતકો માટે ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિમાં આવક ભાવમાં સંક્રમણ કરી રહ્યા છે. તેથી, વર્ષ 2024માં તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ તમને દરેક ક્ષેત્રમાં ઇચ્છિત પરિણામ મળશે.

Shani Gochar 2024 | Shani Asta 2024 | Saturn Transit 2024 | Horoscope 2024 | Rashifal 2024,
શનિ ગોચર

તમે જે કામગીરી કરી રહ્યા છો તેનાથી તમને ફાયદો થશે અને તમારા જીવનમાં સકારાત્મક અસર વધશે. તમને પરિવારના સભ્યો તરફથી દરેક પ્રકારનો સહયોગ મળશે. જૂના રોકાણથી લાભ થવાની સંભાવના છે. જો તમે શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં રોકાણ કરવા માંગો છો, તો તમે તે કરી શકો છો. સમય સાનુકૂળ છે. આ સમયે તમારું બેંક બેલેન્સ પણ વધશે.

વૃષભ રાશિ (Taurus Zodiac)

શનિદેવનો ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિમાં કર્મ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. તેથી, વર્ષ 2024માં તમને નોકરી – ધંધામાં પ્રગતિ મળશે. તમને તમારી કારકિર્દી સાથે સંબંધિત શુભ પરિણામ મળશે.

તમારા વેપાર – ધંધામાં કમાણી વધશે અને તમને શુભ લાભ મળશે. તેમજ જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે. આ સમય દરમિયાન તમને તમારા પિતાનો પણ સહયોગ મળશે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળશે. તેમજ આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો.

Numerology Number 8
અંકશાસ્ત્ર ભવિષ્ય અનુસાર, 8 મૂળાંક લોકો કેવા હોય છે

સિંહ રાશિ (Leo Zodiac)

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિમાં સાતમા ભાવમાં ગોચર કરી રહ્યા છે. આ ઉપરાંત શનિદેવ પણ અહીં શશ રાજયોગ રચી રહ્યા છે. તેથી, આ સમયે પરિણીત લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે.

આ પણ વાંચો | તમારે સુખી અને સમૃદ્ધ જીવન જીવવું છે? સદગુરુના આ 4 નિયમોનું પાલન કરો, શનિ અને મંગળ પણ બનશે બળવાન

તમારું બેંક બેલેન્સ વધશે અને તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. શનિદેવની કૃપાથી તમને આધ્યાત્મિક કાર્યમાં રસ પડશે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. ઉપરાંત, આ સમયે તમને વાહન અને મિલકતનો આનંદ મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ