Shani Vakri 2025: શનિ દેવ થશે વક્રી, આ 3 રાશિના નસીબ ખુલશે, બેંક બેલેન્સ વધશે

Shani Vakri 2025: કર્મ પ્રધાન શનિ દેવ જુલાઈ મહિનામાં મીન રાશિમાં વક્રી થવાના છે. જેનાથી અમુક રાશિના જાતકોને ઘણો ફાયદો થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિ કઇ છે

Written by Ajay Saroya
April 08, 2025 16:34 IST
Shani Vakri 2025: શનિ દેવ થશે વક્રી, આ 3 રાશિના નસીબ ખુલશે, બેંક બેલેન્સ વધશે
Shani Vakri 2025 Rashifal: શનિ દેવ જુલાઇ મહિનામાં મીન રાશિમાં વક્રી થવાના છે.

Shani Vakri 2025 Date: જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. ઉપરાંત શનિ દેવને કર્મ પ્રધાન અને ન્યાયના દેવ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ વ્યક્તિને તેના કર્મ મુજબ ફળ આપે છે. શનિને શિસ્ત, વ્યવહારિકતા, રચના, કાયદો અને સામાજિક ન્યાયના સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, ન્યાયાધીશ શનિની સ્થિતિમાં સહેજ પણ ફેરફાર દરેક રાશિના લોકોના જીવન પર ઉંટી અસર કરે છે. શનિએ લગભગ 30 વર્ષ પછી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે અને 2027 સુધી આ રાશિમાં રહેશે. આ સમય દરમિયાન તેમની સ્થિતિમાં ફેરફારની અસર પણ દુનિયા પર જોવા મળે છે. શનિ દેવ 13 જુલાઈ, 2025ના રોજ સવારે 9:36 વાગ્યે મીન રાશિમાં વક્રી થશે. આવી સ્થિતિમાં, કેટલીક રાશિઓને ફાયદો થશે, જ્યારે અમુક રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે. આવો જાણીએ કઈ રાશિઓને મળી શકે છે લાભ …

શનિ ગ્રહ લગભગ 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે અને 28 નવેમ્બરે માર્ગી થઈ જશે. શનિ દેવની વર્કી ચાલ ઘણી રાશિઓ માટે ફાયદાકારક છે, તો અમુક રાશિના જાતકોના જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.

કન્યા રાશિ

આ રાશિમાં શનિ સાતમા ભાવમાં વક્રી થશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોને ઘણો લાભ મળી શકે છે. નોકરીની ઘણી તકો મળી શકે છે. આ સાથે જ બિઝનેસમાં ઘણો ફાયદો થવાની સાથે ધનમાં પણ વધારો થઈ શકે છે. ભાગીદારીમાં કરેલા ધંધામાં લાભ મળી શકે છે. નોકરીયાત લોકોની વાત કરીએ તો તેમને પોતાની મહેનતનું ફળ મળી શકે છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને સફળતા મળી શકે છે. આ સાથે જ લવ લાઈફ પણ સારી રીતે ચાલશે. કેટલાક જાતકો તેમના રિલેશનને લગ્નમાં રૂપાંતરિત કરી શકે છે. શિક્ષણ ક્ષેત્રે પણ લાભ મળી શકે છે. સ્થાવર મિલકત અને સંપત્તિ દ્વારા તમને લાભ મળી શકે છે. આ સિવાય તમે નવું વાહન ખરીદી શકો છો અથવા નવું મકાન બનાવી શકો છો. ધૈર્ય, શિસ્ત, પ્રતિબદ્ધતાથી કરેલાં કાર્યોમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

મકર રાશિ

શનિ ગ્રહની વક્રી ચાલ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના ત્રીજા ભાવમાં શનિ વક્રી દિશામાં ગતિ કરશે. આવી સ્થિતિમાં, આ રાશિના જાતકોને ધીમે ધીમે નસીબનો સાથે મળી શકે છે. નોકરીની નવી તકો મળી શકે છે. આ રાશિને પણ સાડા સાતીની પનોતી માંથી મુક્તિ મળી છે. આવી સ્થિતિમાં, સંચાર કુશળતા, હિંમત, નેટવર્કના ક્ષેત્રમાં કામ કરતા લોકોને ઘણો લાભ મળી શકે છે. તમારી વાણીનો પ્રભાવ અપાર રહેશે. સંદેશાવ્યવહારની કુશળતામાં વધારો થવાથી તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. નાના ભાઈ-બહેન અને નજીકના મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે. આ સાથે તમે અમુક પ્રવાસ કરીને ઘણો નફો મેળવી શકો છો. શનિ ત્રીજા ભાવમાં બેસશે અને ત્રીજા ભાવ માંથી તમારા પાંચમા ભાવને જોશે. આવી સ્થિતિમાં, સંબંધોમાં સમસ્યાઓ પણ ઓછી થઈ શકે છે.

મીન રાશિ

આ રાશિના જાતકો માટે શનિ દેવની વક્રી ચાલ લાભદાયક રહેશે. આ રાશિના ચડતા ઘરમાં શનિ વક્રી થશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોના જીવનમાં અનુકૂળ અસરો જોવા મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારી ફિટનેસનું ધ્યાન રાખવાથી તમે જાતે જ ઊર્જાવાન મહેસૂસ કરશો. આ સાથે, તમે આત્મ ચિંતન કરતા થઇ જશો. તમે સામાજિક જીવનમાં વધુ સક્રિય રહી શકો છો. આવી સ્થિતિમાં, તમે લોકોના સંપર્કમાં આવી શકો છો. આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે. વિદેશમાં નોકરી અથવા વ્યવસાય કરતા જાતકોને ઘણો લાભ મળી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકો છો. કરિયરમાં પણ ઘણી સફળતા મળવાની સંભાવના છે. ધૈર્યથી કરેલા કામમાં સફળતા મળી શકે છે.

આ વર્ષે હનુમાન જયંતી 12 એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે ગ્રહોની સ્થિતિ ખૂબ જ સારી હોય છે, જેના કારણે પંચગ્રહી, લક્ષ્મી નારાયણ, શુક્રાદિત્ય અને ગજકેસરી રાજયોગની રચના થઈ રહી છે. આવી સ્થિતિમાં, 12 રાશિના જાતકોના જીવનમાં કોઈક રીતે અસર ચોક્કસપણે જોવા મળવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ