Shani Yantra Benefits: શનિદેવની કૃપા મેળવવા આ યંત્રની પૂજા કરો; શનિ દોષ, ઢેય્યા અને સાડાસાતીમાં મળશે રાહત, જાણો યંત્રની સ્થાપના કરવાની વિધિ

Shani Yantra Benefits In Shani Dosh, Dhaiya And Sade Sati Jyotish Upay : કર્મ પ્રધાન દેવ શનિદેવની ઢૈય્યા અને સાડાસાતી દરમિયાન વ્યક્તિએ ભંયકર પીડા - દુઃખ - મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે આ દરમિયાન શનિયંત્રની પૂજા કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે.

Shani Yantra Benefits In Shani Dosh, Dhaiya And Sade Sati Jyotish Upay : કર્મ પ્રધાન દેવ શનિદેવની ઢૈય્યા અને સાડાસાતી દરમિયાન વ્યક્તિએ ભંયકર પીડા - દુઃખ - મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે આ દરમિયાન શનિયંત્રની પૂજા કરવાથી શનિદેવની કૃપા મેળવી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Shani Gochar 2024: 30 વર્ષ બાદ મંગળ ગ્રહ પર શનિદેવની ત્રીજી દ્રષ્ટિ, આ 3 રાશિને મળશે અપાર સંપત્તિ, સન્માન અને દરેક ક્ષેત્રમાં સફળતા

શનિદેવની કર્મ પ્રધાન દેવ છે. શનિ દોષ, ઢૈય્યા અને સાડાસાતીમાં શનિ યંત્રની પૂજા કરવાથી શનિની પીડામાં રાહત મળે છે. (Photo - Social Midea)

Shani Yantra Benefits: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ પ્રધાન અને ન્યાયના દેવ કહેવામાં આવે છે. શનિદેવ એક રાશિમાંથી બીજી રાશિમાં લગભગ દોઢ વર્ષ પછી રાશિ પરિવર્તન કરે છે. તમને જણાવી દઈએ કે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે. તેમની ઉચ્ચ રાશિ તુલા રાશિ છે અને તેઓ મેષ રાશિમાં નીચ થઇ જાય છે. જ્યારે પણ શનિ દેવ રાશિ પરિવર્તન કરે છે ત્યારે રાશિઓ પર શનિની ઢૈય્યા અને કેટલીક રાશિઓ પર સાડાસાતી શરૂ થાય છે.

Advertisment

તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે, તેથી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે અને મીન રાશિ પર શનિની સાડાસાતી શરૂ થઈ છે. તેમજ આ દરમિયાન કુંભ અને મકર રાશિના લોકો પર પણ શનિની સાડાસાતી ચાલી રહી છે. સાડાસાતીમાં રહેલો શનિ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, કામકાજ બગડે અને કિસ્મત પણ સાથ આપતી નથી. કરિયર અને બિઝનેસમાં સફળતા મળતી નથી.

shani margi in kumbh | shani dev margi 2023 | Astrology | Grah Gochar
શનિ ગોચર

અલબત્ત જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દોષ, ઢૈય્યા અને સાડાસાતીની અશુભ અસરોને ઓછી કરવા કે દૂર કરવા માટે શનિ યંત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આ યંત્ર સ્થાપિત કરવા અથવા પહેરવાથી શનિના કષ્ટોમાંથી મુક્તિ મળે છે. કામમાં પણ સફળતા મળે છે. ચાલો જાણીએ આ સાધન વિશે...

શનિ યંત્ર શું છે (What It Is Shani Yantra)

વૈદિક જ્યોતિષ અનુસાર, જ્યારે કોઈ મંત્રને આકાર આપવામાં આવે છે, ત્યારે તે યંત્ર બની જાય છે. તમને જણાવી દઈએ કે તમે તાંબાનું શનિ યંત્ર ખરીદી શકો છો અથવા તેને બ્રાહ્મણ પાસેથી તામ્ર કે ભોજ પત્ર પર બનાવી શકો છો. તમે આ યંત્રને ગળામાં પણ પહેરી શકો છો.

Advertisment

આ પણ વાંચો | 2024માં શનિ દેવ 3 વખત ચાલ બદલશે, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે, નોકરીમાં પ્રમોશન અને ધન લાભ થશે

શનિ યંત્રને સ્થાપિત કરવાની વિધિ (Shani Yantra Puja Vidhi Tips)

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારના દિવસે શનિ યંત્રની સ્થાપના કરવી અથવા ધારણ કરવું જોઈએ. તેમજ શનિ યંત્રને ઘરમાં સ્થાપિત કરતા પહેલા યોગ્ય બ્રાહ્મણ પાસે પંચોપચાર પૂજા કરાવો. જેથી તે અસરકારક બને. જે દિવસે શનિ યંત્ર પહેરવામાં આવે અથવા સ્થાપિત કરવામાં આવે તે દિવસે વ્રત રાખો અને પૂજા દરમિયાન શનિ ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિને તરત જ પરિણામ મળશે. શનિના પ્રકોપથી પણ તમને રાહત મળશે.

શનિ દેવ રાશિ પરિવર્તન astrology ધર્મ ભક્તિ