નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની થાય છે પૂજા, જાણો, પૂજા વિધિ, કથા, મંત્ર અને આરતી

shardiya navratri 4th day puja: નવરાત્રીના ચોથા દિવસે દેવી શક્તિના કૂષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો. ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો.

shardiya navratri 4th day puja: નવરાત્રીના ચોથા દિવસે દેવી શક્તિના કૂષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો. ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની થાય છે પૂજા

Navratri 2022, Day 4: નવરાત્રીના ચોથા દિવસે દેવી શક્તિના કૂષ્માંડા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટીની રચના થઈ ન્હોતી એ સમયે ચારેય બાજુ અંધકાર હતો. ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો. દેવી કૂષ્માંડા અષ્ટભુજા ધારી છે. કૂષ્માંડા માતાને અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખાય છે. આ દેવી ભક્તોના કષ્ટ રોગ, શોક સંતાપોનો નાશ કરે છે.

Advertisment

પૂજા વિધિ
સૌથી પહેલા કળશ અને તેમાં ઉપસ્થિત દેવી દેવતાની પૂજા કરો. પછી અન્ય દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા કર્યા બાદ દેવી કૂષ્માંડાની પૂજા શરૂ કરો. હાથમાં ફૂલ લઈને દેવીને પ્રણામ કરવું જોઈએ. ત્યારબાદ વ્રત, પૂજનનો સંકલ્પ લેવો. પછી માતા કૂષ્માન્ડા સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની પૂજા કરો. માતાની કથા સાંભળો, મંત્રોનો જાપ કરો. અંતમાં માતાના માલપુવા અથવા કોળાનું બનેલા પેઠાનો ભોગ લગાવો.

કૂષ્માંડા દેવીનો મંત્ર

या देवी सर्वभू‍तेषु मां कूष्‍मांडा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

ધ્યાન મંત્ર

वन्दे वांछित कामर्थे चन्द्रार्घकृत शेखराम्।
सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्वनीम्॥

Advertisment

भास्वर भानु निभां अनाहत स्थितां चतुर्थ दुर्गा त्रिनेत्राम्।
कमण्डलु, चाप, बाण, पदमसुधाकलश, चक्र, गदा, जपवटीधराम्॥

पटाम्बर परिधानां कमनीयां मृदुहास्या नानालंकार भूषिताम्।
मंजीर, हार, केयूर, किंकिणि रत्नकुण्डल, मण्डिताम्॥

प्रफुल्ल वदनांचारू चिबुकां कांत कपोलां तुंग कुचाम्।
कोमलांगी स्मेरमुखी श्रीकंटि निम्ननाभि नितम्बनीम्॥

સ્તોત્ર પાઠ

दुर्गतिनाशिनी त्वंहि दरिद्रादि विनाशनीम्।
जयंदा धनदा कूष्माण्डे प्रणमाम्यहम्॥

जगतमाता जगतकत्री जगदाधार रूपणीम्।
चराचरेश्वरी कूष्माण्डे प्रणमाम्यहम्॥

त्रैलोक्यसुन्दरी त्वंहिदुःख शोक निवारिणीम्।
परमानन्दमयी, कूष्माण्डे प्रणमाभ्यहम्॥

કૂષ્માંડા માતાની આરતી (Kushmanda Aarti)

कूष्मांडा जय जग सुखदानी।
मुझ पर दया करो महारानी॥

पिगंला ज्वालामुखी निराली।
शाकंबरी माँ भोली भाली॥

लाखों नाम निराले तेरे ।
भक्त कई मतवाले तेरे॥

भीमा पर्वत पर है डेरा।
स्वीकारो प्रणाम ये मेरा॥

सबकी सुनती हो जगदंबे।
सुख पहुँचती हो माँ अंबे॥

तेरे दर्शन का मैं प्यासा।
पूर्ण कर दो मेरी आशा॥

माँ के मन में ममता भारी।
क्यों ना सुनेगी अरज हमारी॥

तेरे दर पर किया है डेरा।
दूर करो माँ संकट मेरा॥

मेरे कारज पूरे कर दो।
मेरे तुम भंडारे भर दो॥

तेरा दास तुझे ही ध्याए।
भक्त तेरे दर शीश झुकाए॥

માતા કુષ્માડા વ્રત કથા (Kushmanda Vrat Katha)

નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ શક્તિનું ચોથું સ્વરૂપ છે. જેમને સૂર્યના સમાન તેજસ્વી માનવામાં આવે છે. માતાનું સ્વરૂપની વ્યાખ્યા કંઈક આવા પ્રકારે કરવામાં આવે છે. દેવી કૂષ્માંડા અને તેમની આઠ ભુજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જીત કરવાની પ્રેરણા આપે છે. તેમની મધુર મુસ્કાન આપણી જીવન શક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવા પ્રેરણા આપે છે.

ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપનું નામ કૂષ્માંડા છે. પોતાની મંદ મુસ્કાન દ્વારા અન્ડ અર્થાત બ્રહ્માન્ડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે સૃષ્ટીનું અતસ્તિત્વ ન્હોતું ત્યારે ચારે બાજુ અંધકાર જ હતું. ત્યારે દેવીએ પોતાના ઈષ્ત હાસ્યથી બ્રહ્માન્ડની રચના કરી હતી. એટલે આ સૃષ્ટીની આદિ સ્વરૂપા વગેરે શક્તિ છે. તેમની આઠ ભુજાઓ છે. તેમના સાત હાથમાં ક્રમશઃ કમન્ડલ, ધનુષ બાણ, કમળ-પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. આઠમાં હાથણાં દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે.

એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટીનું અસ્તિત્વ ન્હોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. આ જ સૃષ્ટીની આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. આમનું નિવાસ સૂર્યમંડલની અંદરના લોકમાં છે. ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે.

તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે. માતા કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક મટી જાય છે. તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે. માતા કૂષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે.

માતા કૂષ્માંડાનું વાહન સિંહ છે. નવરાત્રીના ચોથા દિવસે કૂષ્માડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે માતા કૂષ્માન્ડાની ઉપાસનાથી આયુ, યશ, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે.

navratri ધર્મ ભક્તિ