/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/navpancham-yoga.jpg)
શનિવારે 8 માર્ચ 2025 ના રોજ સૂર્ય અને મંગળ નવપંચમ યોગ બનાવશે
Navpancham Yoga: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને શુભ અને રાજયોગ બનાવે છે, જેની અસર માનવ જીવનની સાથે દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શનિવારે 8 માર્ચ 2025 ના રોજ સૂર્ય અને મંગળ નવપંચમ યોગ બનાવશે, આ યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી 120 ડિગ્રી પર સ્થિત હોય છે.
આવામાં આ યોગ બનવાથી કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો આવવાના શરૂ થઈ શકે છે. સાથે જ ધનમાં પણ મોટો વધારો થઈ શકે છે. આવો જાણીએ આ કઈ રાશિવાળા લોકો હ છે.
સિંહ રાશિ
નવપંચમ યોગની રચના તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય તમારી કારકિર્દીમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કરવાનો છે. વેપારીઓને વિદેશથી નવી બિઝનેસ ઓફર મળી શકે છે. સાથે જ તમારો આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત, તમે સમાજમાં વધુ લોકપ્રિય થશો. તમને માન-સન્માન મળશે. ઉપરાંત નવી કુશળતાઓ શીખવા અને શૈક્ષણિક રીતે તમને પોતાને સુધારવા માટે આ સારો સમય છે. રોકાણ માટે આ સમય સારો છે.
આ પણ વાંચો - 6 કે 7 એપ્રિલ, ક્યારે મનાવવામાં આવશે રામનવમી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને મહત્વ
ધનુ રાશિ
નવપંચમ યોગની રચના ધનુ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. વેપારીઓ માટે આ સારો સમય છે. નવા ગ્રાહકો અને વ્યવસાયિક સંબંધો બનશે, જેનાથી આવકમાં વધારો થશે. જૂના દેવા કે દબાણમાંથી મુક્તિ મેળવી શકો છો. નાણાની દ્રષ્ટિએ શેર બજાર કે બિઝનેસમાં રોકેલા નાણાં ભવિષ્યમાં નફો અપાવશે. સાથે જ કાર્ય-ધંધાના સંબંધમાં યાત્રા કરી શકો છો. મહેનતની સાથે ભાગ્ય પણ મળશે. બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે.
ડિસ્ક્લેમર- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us