50 વર્ષ બાદ બન્યો મીન માં ત્રિગ્રહી યોગ : આ ત્રણ રાશિ માટે Golden ટાઈમ શરૂ, દરેક ક્ષેત્રે મળશે સફળતા

Trigrahi Yog in Meen | ત્રિગ્રહી યોગ મીન : ત્રિગ્રહી યોગ મીન રાશિમાં બન્યો છે, એટલે કે જ્યાં શુક્ર અને સૂર્ય ગ્રહ બિરાજમાન છે, ત્યાં બુધ ગ્રહ પણ પ્રવેશ કરી ચુક્યા છે, જેનો ફાયદો આ ત્રણ રાશિને થશે.

Written by Kiran Mehta
April 10, 2024 19:09 IST
50 વર્ષ બાદ બન્યો મીન માં ત્રિગ્રહી યોગ : આ ત્રણ રાશિ માટે Golden ટાઈમ શરૂ, દરેક ક્ષેત્રે મળશે સફળતા
રાશિ પરિવર્તન - ત્રિગ્રહી યોગ (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)

Trigrahi Yog in Meen | ત્રિગ્રહી યોગ મીન : જ્યોતિષ શાસ્ત્ર મુજબ બુધ ગ્રહ 9 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. જ્યાં પહેલેથી જ ધનદાતા શુક્ર હાજર છે અને ગ્રહોના રાજા સૂર્ય દેવ પણ સ્થિત છે. આવી સ્થિતિમાં મીન રાશિમાં આ ત્રણ ગ્રહોના સંયોગથી ત્રિગ્રહી યોગ બન્યો છે.

તમને જણાવી દઈએ કે આ યોગ લગભગ 50 વર્ષ બાદ બની રહ્યો છે. જેના કારણે 3 રાશિના લોકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. વળી, આ રાશિના જાતકોને કરિયર અને બિઝનેસમાં ખુબ પ્રગતિ મળી શકે છે. તો આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…

કુંભ રાશિ (ગ, સ, શ, ષ,)

ત્રિગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણી સ્થળ પર બની રહ્યો છે. તેથી, આ સમયે તમને સમયાંતરે આકસ્મિક નાણાં મળી શકે છે. વળી, નવી નોકરીની શોધ ખતમ થઈ જશે અને તમને સારા પગાર સાથે નોકરી પણ મળશે. સાથે જ તમારી વાણી અસરકારક રહેશે, જેના કારણે તમે લોકોને પ્રભાવિત કરી શકશો. સાથે જ પરિવાર તરફથી પણ તમને પૂરો સહયોગ મળશે. જે તમને આત્મવિશ્વાસથી ભરપૂર રાખશે. વેપારીઓને ફસાયેલા પૈસા મળશે.

મિથુન રાશિ (ક, ઘ, છ,)

ત્રિગ્રહી યોગ બનતા તમારા લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી કર્મના ભાવે રચાયો છે. તેથી, આ સમયે તમને કાર્ય-વ્યવસાયમાં સારી પ્રગતિ મળશે. સાથે જ કેરિયરમાં તમને વિશેષ લાભ થશે અને પ્રમોશન મેળવવા માટે તમે મોટું પગલું ભરી શકો છો. તો જે નોકરી કરતા લોકો છે, તેમને નવી શાનદાર નોકરીની તકો મળી શકે છે. સાથે જ આર્થિક રીતે તમે પહેલા કરતા વધુ મજબૂત બનશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય તમારા માટે ઘણો સારો છે. સાથે જ વેપારીઓને આ સમયે સારા પૈસા મળશે.

આ પણ વાંચો – આગામી 10 વર્ષ સુધીમાં આ 7 રાશિઓ પર શનિ સાડા સાતીની અશુભ અસર રહેશે, ધનહાનિ અને ખરાબ સ્વાસ્થ્ય

મીન રાશિ (દ, ચ, ઝ, થ,)

ત્રિગ્રહી યોગ બનતા મીન રાશિના જાતકો માટે અનુકૂળ સમય સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી, આ સમયે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી જશે. તેમજ અંગત જીવનમાં તમારા પાર્ટનર સાથે તમારા સંબંધો મજબૂત રહેશે. તમને આ દરમિયાન તમારી કમાણી વધારવાની ઘણી મોટી તકો મળશે. સાથે જ તમારા માટે આવકના નવા સ્ત્રોત પણ બનશે. વળી, જે લોકો અપરિણીત છે તેમને સંબંધનો પ્રસ્તાવ પણ મળી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ