Vastu Tips : વાસ્તુ શાસ્ત્ર મુજબ આ 5 બાબત વ્યક્તિને બનાવે છે કંગાળ, ઘરમાં લક્ષ્મી ટકતી નથી, આજથી સુધારો કરો

Home Vastu Shastra Tips In Gujarati : વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અમુક બાબતો વ્યક્તિની આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. ઉપરાંત તે ઘરમાં રહેતા સભ્યોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે.

Home Vastu Shastra Tips In Gujarati : વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અમુક બાબતો વ્યક્તિની આર્થિક પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. ઉપરાંત તે ઘરમાં રહેતા સભ્યોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vastu Shastra Tips In | Vastu Tips In | Home Vastu Shastra Tips | Vastu Tips For Moenty

Vastu Shastra Tips In Gujarati : ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે વાસ્તુ શાસ્ત્ર ટીપ્સ. (Photo: Freepik)

Vastu Tips For Money : દરેક વ્યક્તિ ઇચ્છે છે તેની નોકરી અથવા ધંધા વેપારમાં સતત પ્રગતિ થાય અને તેના જીવનમાં આરામ, સુખ અને શાંતિ રહે. આ માટે, તે સખત મહેનત કરે છે જેથી તે પોતાની અને તેના પરિવારની દરેક ઇચ્છા પૂરી કરી શકે. તેમ છતાં કેટલીકવાર વ્યક્તિ ખુશ રહી શકતી નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, ત્યારે જ વ્યક્તિને પ્રગતિ, શાંતિ, સુખ, ગૌરવ અને સમૃદ્ધિ મળી શકે છે. પરંતુ જો વ્યક્તિ કોઈ સતત કોઇન કોઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો તેનું કારણ ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. ચાલો ઘરમાં નાણાં તંગી શા માટે સર્જાય છે તેના કારણો શોધીએ.

Advertisment

ઘરની દિવાલો પર ભેજ

વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરની દિવાલો સતત ભીની રહે અથવા તેમાં પાણી અને ભેજ હોય, તો માતા લક્ષ્મીની કૃપા રહેતી નથી. ઘરમાં ભેજને લીધે, વાસ્તુ દોષ ઉભો થાય છે અને નકારાત્મક ઉર્જા રહે છે. આવી જગ્યાએ પૈસા ક્યારેય અટકતા નથી, કારણ કે પાણીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે, જ્યાં પાણી જમા થાય છે, ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. તેઓ બિનજરૂરી ખર્ચથી પરેશાન રહે છે. આ ઉપરાંત તે ઘરમાં રહેતા સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

છત સાફ ન રાખવી

ઘણા લોકોને આદત હોય છે કે તેઓ વર્ષોથી તેમના ઘરની છત સાફ ન કરે અથવા તો જૂના ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, વાસણો વગેરે જેવી તૂટેલી વસ્તુઓ છત પર રાખે છે. આવી સ્થિતિમાં, વાસ્તુ દોષ થાય છે. આ સિવાય તે નેગેટિવ એનર્જીનો મુખ્ય સ્ત્રોત બની જાય છે. તેથી, છતને સંપૂર્ણ સ્વચ્છ રાખવી આવશ્યક છે. ઘરની છતને સ્વચ્છ રાખીને માતા લક્ષ્મી પણ ખૂબ જ ખુશ થાય છે.

ઘરની અંદર કાંટાળા છોડ વાવવા

વાસ્તુ શાસ્ત્રમાં, એવી સલાહ આપવામાં આવે છે કે કાંટાળા અથવા ડંખ મારતા છોડ ઘરની અંદર વાવવા જોઈએ નહીં, કારણ કે તે આર્થિક મુશ્કેલીઓ - ધન હાનિ તરફ દોરી શકે છે. આ સાથે જ ઘરમાં વિવાદ ઉભો થાય છે અને શાંતિ રહેતી નથી.

Advertisment

ઘરમાં કબૂતરનો માળો

વાસ્તુના જણાવ્યા અનુસાર, જો ઘરના કોઈપણ ભાગમાં કબૂતરનો માળો હોય, તો તેને ધન હાનિની નિશાની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આને કારણે, ઘર માલિકે રાહુ-કેતુ વગેરે ગ્રહોની નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે. તેથી જો કબૂતરો સતત તમારા ઘરે આવતા હોય, તો તરત જ તેમને ભગાડી દો.

સાવરણી યોગ્ય રીતે ન રાખવી

વાસ્તુ શાસ્ત્રમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, સાવરણી રાખવાના ઘણા નિયમો છે અને એક દિશા હોય છે. તેથી, સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તેને કોઈ જોઈ ન શકે. સાવરણીને ઉભી રાખવો જોઈએ નહીં, કારણ કે તેને આ રીતે રાખવાથી નાણાંની તંગી થઈ શકે છે. આ સિવાય સાવરણીને ક્યારેય લાત મારવી જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે.

Disclaimer : આ લેખમાં આપેલી માહિતી જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અથવા શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી સંકલિત કરવામાં આવી છે અને આ માહિતી તમને પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની સચોટતા અને સાબિતતાની પ્રમાણિકતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ધર્મ ભક્તિ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ