Vastu Tips For Calendar 2024: ઘરમાં કેલેન્ડર કઇ દિશામાં લગાવવું જોઇએ? જૂના કેલેન્ડરનું શું કરવું? જાણો વાસ્તુ શાસ્ત્રની ટીપ્સ

Vastu Shastra Tips For Calendar 2024: વાસ્તુશાસ્ત્ર મુજબ, નવું કેલેન્ડર લગાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય.

Vastu Shastra Tips For Calendar 2024: વાસ્તુશાસ્ત્ર મુજબ, નવું કેલેન્ડર લગાવતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ઘરમાં રહેતા સભ્યોની પ્રગતિ અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vastu Shastra Tips for Calendar 2024 | Calendar 2024 Tips | Vastu Shastra Tips For House | Vastu Shastra Tips For Home | Vastu Tips | Best And Worst Direction for Calendar

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે ઓફિસમાં કેલેન્ડર લગાવતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે. (Photo - Freepik)

Vastu Shastra Tips For Calendar 2024: કેલેન્ડર 2024 માટે વાસ્તુ ટિપ્સ: નવું વર્ષ 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. પાછલા વર્ષની સારી અને ખરાબ ટેવો સાથે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં જૂના કેલેન્ડરને હટાવવાની સાથે ઘર કે ઓફિસમાં નવું કેલેન્ડર લગાવવામાં આવે છે. પરંતુ નવું કેલેન્ડર લગાવતી વખતે વાસ્તુની અવગણના કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેલેન્ડરને યોગ્ય દિશામાં ન રાખવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને પ્રગતિ પર નકારાત્મક અસર પડે છે. તેથી, કેલેન્ડર લગાવતી વખતે, દિશાને ધ્યાનમાં રાખો. ચાલો જાણીએ કે નવું કેલેન્ડર (કૅલેન્ડર 2024) લગાવતી વખતે કયા વાસ્તુ નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ.

Advertisment

કેલેન્ડર 2024 કઈ દિશામાં લગાવવું જોઇએ (Best Direction For Calendar 2024)

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેલેન્ડર મૂકતી વખતે દિશાનું ધ્યાન રાખો. એટલા માટે કેલેન્ડરને ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં રાખવું સૌથી વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે પશ્ચિમ દિશા એ પ્રવાહની દિશા છે અને કુબેરને ઉત્તર દિશાનો સ્વામી માનવામાં આવે છે. તેથી કેલેન્ડરને આ દિશામાં રાખવાથી શુભ ફળ મળે છે.

કેલેન્ડર 2024 કઈ દિશામાં ન લગાવવું (Worst Direction For Calendar 2024)

વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેલેન્ડરને ક્યારેય દક્ષિણ તરફ ન રાખવું જોઈએ, કારણ કે તે સમયનું સૂચક માનવામાં આવે છે. કેલેન્ડર આ દિશામાં રાખવાથી ઘરમાં રહેતા સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

Advertisment

ઘરના મુખ્ય દ્વાર પાસે કેલેન્ડર ક્યારેય ન લગાવવું જોઈએ. કારણ કે આ દિશામાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ સાથે, કેલેન્ડર પવનથી ઉડી જાય છે, જે પ્રગતિ પર નકારાત્મક અસર કરે છે.

Vastu Tips For Home | Vastu Tips | Never Do Keep These 5 Things In House
ઘર માટેની વાસ્તુ ટીપ્સ.

ઘરના દરવાજા પર કેલેન્ડર ક્યારેય ન લગાવવું જોઈએ

ઘરમાં આવી જગ્યાએ કેલેન્ડર બિલકુલ ન રાખવું જોઈએ. જ્યાં વધુ પવન લાગતો હોય, કારણ કે જો તમે આ જગ્યાએ કેલેન્ડર લગાવશો તો તે ઉડી જશે, જેનાથી સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે.

જૂના કેલેન્ડરનું શું કરવું?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘણા લોકોને જૂના કેલેન્ડર ફેંકવાની આદત હોય છે. જુના કેલેન્ડરને સાચવી રાખે છે અથવા તેના પર નવું કેલેન્ડર લટકાવી દે છે. જો કે આવું ન કરવું જોઈએ કારણ કે ભૂતકાળ ક્યારેક વાસ્તુ દોષનું કારણ બની શકે છે. જેના કારણે પ્રગતિની સાથે સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થાય છે. આવા કેલેન્ડર ફેંકી દેવા જોઈએ. જો તેમાં દેવી-દેવતાઓ વગેરેના ચિત્રો હોય તો તેને પાણીમાં પ્રવાહિત કરી દો.

આ પણ વાંચો | સુખી લગ્ન જીવન માટેની વાસ્તુ ટીપ્સ; બેડરૂમમાં આ વસ્તુઓ ભૂલથી પણ ન રાખવી, પતિ-પત્ની વચ્ચે થશે ઝઘડો

(Disclaimer - આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે, તેને સાચી સાબિત કરવાનો નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા, કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી.)

ગુજરાતી ન્યૂઝ astrology વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ ધર્મ ભક્તિ