Vastu Tips For Bathroom: બાથરૂમમાં આ વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ થશે, ગરીબી અને બીમારી આવશે

Vastu Tips For Bathroom In Gujarati : વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખેલી દરેક ચીજ હકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. બાથરૂમ માટે ખાસ વાસ્તુ નિયમ છે, જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો વાસ્તુ દોષ થઇ શકે છે.

Vastu Tips For Bathroom In Gujarati : વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખેલી દરેક ચીજ હકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. બાથરૂમ માટે ખાસ વાસ્તુ નિયમ છે, જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો વાસ્તુ દોષ થઇ શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Vastu Tips For Bathroom | Vastu Tips For home | Vastu Dosh Upay | vastu shastra remedies

Vastu Tips For Bathroom : વાસ્તુ શાસ્ત્ર મુજબ બાથરૂમમાં અમુક ચીજ રાખવાથી વાસ્તુ દોષ લાગે છે. (Photo : Freepik)

Vastu Tips For Bathroom : વાસ્તુ શાસ્ત્રનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કારણ કે જો આપણું ઘર અને કાર્યસ્થળ વાસ્તુ અનુસાર ન બને તો આપણા જીવનમાં ગરીબી આવે છે અને માતા લક્ષ્મીનો વાસ થતો નથી. ઘરમાં રહેલી દરેક વસ્તુ હકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી, ઘરના મુખ્ય દ્વાર, મંદિર, શયનખંડ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આથી ઘરમાં બાથરૂમ માટે ખાસ વાસ્તુ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. એટલ કે બાથરૂમમાં રાખેલી અમુક ચીજો પણ વાસ્તુ દોષનું કારણ બને છે. તેનાથી ઘરના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ વિગતવાર

Advertisment

તૂટેલા કાચ

વાસ્તુશાસ્ત્ર અનુસાર, બાથરૂમમાં તૂટેલા કાચ ક્યારેય લગાવવા જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી વાસ્તુ દોષ થાય છે. તેનાથી વ્યક્તિએ ગરીબીનો સામનો કરવો પડે છે. ઘરના લોકોને સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.

નળ માંથી પાણી ટપકવું

નળ માંથી પાણી ટપકવું દુર્ભાગ્ય વધારે છે. જો બાથરૂમ અથવા ઘરના કોઈપણ નળમાંથી પાણી લીક થાય છે, તો તેને તરત જ રિપેરિંગ કરાવી લો. ઉપરાંત, નળ માંથી પાણી ટપકવાથી બિનજરૂરી ખર્ચમાં વધારો થાય છે. દવાઓ પાછળ વધારે પૈસા ખર્ચાય છે.

આ દિશામાં બાથરૂમ બનાવવું નહીં

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો બાથરૂમ દક્ષિણ અથવા ઉત્તર-પૂર્વ ખૂણામાં છે, તો તે ખોટું છે. તેનાથી જીવનમાં ગરીબી આવી શકે છે. ઉપરાંત, વાસ્તુ દોષ થઇ શકે છે. ઘરની પૂર્વ દિશામાં બાથરૂમ હોવું સારું માનવામાં આવે છે.

Advertisment

તુટેલા વાળ

જો તમારા બાથરૂમમાં તુટેલા વાળ પડેલા છે, તો તે વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુ દેવતા નારાજ થાય છે. તેથી, જો ગટરમાં તૂટેલા વાળ પડ્યા હોય, તો તેને તરત જ ત્યાંથી દૂર કરો. કારણ કે આ તૂટેલા વાળ ગરીબીની નિશાની છે. આ સાથે શનિ અને મંગળ દોષ પણ લાગે છે. બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન મૂકવી જોઈએ. કારણ કે તે દુર્ભાગ્યનું કારણ બને છે.

વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ ધર્મ ભક્તિ