Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં આ 4 વસ્તુઓ ખાલી રાખવાથી થઇ જશો કંગાળ, નસીબ પણ સાથ નહીં આપે

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક એવી ચીજો હોય છે જેને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. આવો જાણીએ આ વસ્તુઓ કઇ કઇ છે

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક એવી ચીજો હોય છે જેને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. આવો જાણીએ આ વસ્તુઓ કઇ કઇ છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
vastu tips for home

ઘરમાં આ 4 વસ્તુઓ ક્યારેય ખાલી રાખવી જોઇએ નહીં. જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે (file photo)

Vastu Tips for Home : વાસ્તુ ટિપ્સ: વાસ્તુનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે. કારણ કે જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુ અનુસાર બનાવવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહે છે. તેની સાથે જ મા લક્ષ્મીની કૃપા બની રહે છે. બીજી તરફ જો ઘર વાસ્તુ અનુસાર ન હોય તો ઘરમાં પરેશાનીનું વાતાવરણ રહે છે અને ઘરના સભ્યો બીમાર રહે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની અંદર કેટલીક ચીજોને ખાલી રાખવામાં આવે તો તેનાથી ગરીબી આવવાની અને ઘરના સભ્યોની પ્રગતિ અટકી જવાની સંભાવના છે, નસીબ પણ સાથ આપતુ નથી. ચાલો જાણીયે આ વસ્તુઓ કઇ-કઇ છે

Advertisment

તિજોરી અને પર્સ-પાકિટ ક્યારેય ખાલી રાખવા નહીં

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી અને પર્સ-પાકિટ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ. મતલબ કે તેની અંદર થોડાક પૈસા હંમેશા રાખવા જોઈએ. કારણ કે જો તમે બધા પૈસા ખાલી કરી દો તો મા લક્ષ્મી નારાજ થાય છે. ઉપરાંત નાણાં આવવાનું અટકી જાય છે. ઉપરાંત તમે કોડી, ગોમતી ચક્ર, શંખને લાલ કપડાંમાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો. કેમ કે આ વસ્તુઓથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

પૂજાના સ્થાને પાણીનું પાત્ર હંમેશા ભરેલું રાખવું

વાસ્તુ અનુસાર પૂજાના ઘરમાં રાખેલ પાણીનું પાત્ર ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. પૂજા કર્યા પછી, પાણીના પાત્રમાં પાણી ભરો અને તેમાં થોડું ગંગા જળ અને તુલસીનું પાન નાખો. કેમ કે એવું કેમ માનવામાં આવે છે કે જ્યારે પણ પાણીના વાસણમાં પાણી હોવાને કારણે ભગવાનને તરસ લાગે છે ત્યારે તેઓ પાણી લે છે. જેનાથી તેમને ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. તેમજ નકારાત્મકતા ઘરથી દૂર રહે છે. ઉપરાંત, જો તમે આવું નહીં કરો તો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

બાથરૂમમાં પાણીની ડોલ ક્યારેય ખાલી રાખવી નહીં

તમે જોયું હશે કે ઘણા લોકો બાથરૂમનીં અંદર ડોલ ખાલી રાખી છે, જો કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ બાબત ખોટી છે. કારણ કે જ્યારે તમે ડોલ ખાલી રાખો છો ત્યારે ઘરમાં નકારાત્મકતા આવે છે. તેમજ સ્નાનમાં કાળી કે તૂટેલી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે વાસ્તુ દોષ પણ લાગે છે.

Advertisment

આ પણ વાંચોઃ બેડરૂમમાં ક્યારે આ ચીજો ન રાખવી – માતા લક્ષ્મી નારાજ થશે, શારીરિક-આર્થિક સમસ્યાઓ આવશે

અનાજની પેટી હંમેશા ભરેલી રાખો

આજના આધુનિક યુગમાં લોકો ઘરમાં અનાજ રાખતા નથી. મતલબ કે તેઓએ તૈયાર લોટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જે ખોટું છે. કારણ કે વાસ્તુ અનુસાર જે ઘરમાં અનાજ નથી હોતું, ત્યાં માતા અન્નપૂર્ણાના આશીર્વાદ પણ હોતા નથી. આ સાથે જે ઘરોમાં અનાજનો ભંડાર હોય છે ત્યાં સંગ્રહ કરેલા અનાજનો ભંડાર જીવનમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી સમૃદ્ધિમાં વધારો કરે છે.

astrology ટ્રેન્ડિંગ ન્યૂઝ ધર્મ ભક્તિ વાસ્તુ શાસ્ત્ર ટિપ્સ